'અફઘાનિસ્તાનમાં ક્રેશ થયેલું વિમાન ભારતનું નથી', DGCAઓ કર્યો મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2024-01-21 15:08:32

અફઘાનિસ્તાનના બદખ્શાન પ્રાંતમાં રવિવારે એક પેસેન્જર પ્લેન ક્રેશ થયાના મીડિયા રિપોર્ટ છે. અગાઉ એવું જાણવા મળ્યું છે કે તે ભારતીય વિમાન હતું. જો કે, ભારતના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના અધિકારીઓએ પ્લેન ભારતનું હોવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તે મોરોક્કોમાં નોંધાયેલ DF10 એરક્રાફ્ટ હતું. હાલ અકસ્માતમાં જાનહાનિની ​​સંખ્યા વિશે કોઈ માહિતી નથી.


આ પ્લેન ભારતનું નથી-DGCA

 

અફઘાનિસ્તાનના બદખ્શાન વિસ્તારમાં પ્લેન ક્રેશ થયાના સમાચાર મામલે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના મીડિયા હાઉસે માહિતી આપી હતી કે તે ભારતીય વિમાન હતું. જો કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે આ પ્લેન ભારતનું નથી. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા પણ કન્ફર્મ કરવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં જે પ્લેન ક્રેશ થયું છે તે ભારતીય પ્લેન નથી. આ પ્લેન મોરક્કો રજિસ્ટર્ડ DF 10 એરક્રાફ્ટ હોવાનું સામે આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, અફઘાનિસ્તાનના ટોલો ન્યૂઝ દ્વારા આને ભારતીય પ્લેન ગણાવાયું હતું તે વાત ખોટી છે.આ મોરોક્કોમાં નોંધાયેલું નાનું એરક્રાફ્ટ છે. મોસ્કો જઈ રહેલું વિમાન રવિવારે અફઘાનિસ્તાનમાં ક્રેશ થયું હતું. તે અફઘાનિસ્તાન થઈને રશિયા જઈ રહ્યું હતું. આ અગાઉ પાકિસ્તાની મીડિયા હાઉસ સમાએ બદખ્શાન પ્રાંતના પોલીસ કમાન્ડને ટાંકીને માહિતી આપી હતી કે વિમાન ગઈકાલે રાત્રે રડારથી ગાયબ થઈ ગયું હતું. આ પછી તે જેબક જિલ્લાના પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું હતું.


પેસેન્જર નહીં પણ ચાર્ટર્ડ પ્લેન 


અફઘાનિસ્તાનના બદખ્શાન પ્રાંતના પોલીસ કમાન્ડે જણાવ્યું કે વિમાન ગઈકાલે રાત્રે રડારમાંથી ગાયબ થઈ ગયું હતું. આ પછી તે જેબક જિલ્લાના પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું. વિમાનમાં કેટલા મુસાફરો સવાર હતા તે અંગેની માહિતી હજુ સામે આવી નથી.દરમિયાન પાક અને અફઘાન મીડિયાએ આને શરૂઆતમાં ભારતીય પ્લેન ગણાવ્યું હતું પણ DGCAએ કન્ફર્મ કર્યું છે કે આ ભારતીય પ્લેન નથી. બપોરે 12.45 વાગ્યે અફઘાન મીડિયાના હવાલાથી કહેવામાં આવ્યું કે આ પ્લેન ભારતનું છે અને મોસ્કો જઈ રહ્યું હતું. જોકે, અડધા કલાકમાં ફરી માહિતી આવી કે તે પેસેન્જર પ્લેન નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ચાર્ટર્ડ પ્લેન હોઈ શકે છે. બદખ્શાનના માહિતી વિભાગના પ્રવક્તા ઝબીહુલ્લાહ અમીરીએ ટોલો ન્યૂઝને જણાવ્યું કે ઘટનાની તપાસ માટે એક ટીમને વિસ્તારમાં મોકલવામાં આવી છે. 


રશિયાએ કહ્યું- વિમાનમાં છ લોકો સવાર હતા


આ દરમિયાન, રશિયન ઉડ્ડયન અધિકારીઓએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં ક્રેશ થયેલું વિમાન શનિવારે મોડી સાંજે રડારમાંથી ગાયબ થઈ ગયું હતું. તેમાં છ લોકો હતા. આ એરક્રાફ્ટ ફ્રાન્સમાં બનેલું દસોલ્ટનું ફાલ્કન 10 જેટ હતું. આ ચાર્ટર પ્લેન ભારતથી ઉઝબેકિસ્તાન થઈને મોસ્કો આવી રહ્યું હતું.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.