'અફઘાનિસ્તાનમાં ક્રેશ થયેલું વિમાન ભારતનું નથી', DGCAઓ કર્યો મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2024-01-21 15:08:32

અફઘાનિસ્તાનના બદખ્શાન પ્રાંતમાં રવિવારે એક પેસેન્જર પ્લેન ક્રેશ થયાના મીડિયા રિપોર્ટ છે. અગાઉ એવું જાણવા મળ્યું છે કે તે ભારતીય વિમાન હતું. જો કે, ભારતના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના અધિકારીઓએ પ્લેન ભારતનું હોવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તે મોરોક્કોમાં નોંધાયેલ DF10 એરક્રાફ્ટ હતું. હાલ અકસ્માતમાં જાનહાનિની ​​સંખ્યા વિશે કોઈ માહિતી નથી.


આ પ્લેન ભારતનું નથી-DGCA

 

અફઘાનિસ્તાનના બદખ્શાન વિસ્તારમાં પ્લેન ક્રેશ થયાના સમાચાર મામલે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના મીડિયા હાઉસે માહિતી આપી હતી કે તે ભારતીય વિમાન હતું. જો કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે આ પ્લેન ભારતનું નથી. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા પણ કન્ફર્મ કરવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં જે પ્લેન ક્રેશ થયું છે તે ભારતીય પ્લેન નથી. આ પ્લેન મોરક્કો રજિસ્ટર્ડ DF 10 એરક્રાફ્ટ હોવાનું સામે આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, અફઘાનિસ્તાનના ટોલો ન્યૂઝ દ્વારા આને ભારતીય પ્લેન ગણાવાયું હતું તે વાત ખોટી છે.આ મોરોક્કોમાં નોંધાયેલું નાનું એરક્રાફ્ટ છે. મોસ્કો જઈ રહેલું વિમાન રવિવારે અફઘાનિસ્તાનમાં ક્રેશ થયું હતું. તે અફઘાનિસ્તાન થઈને રશિયા જઈ રહ્યું હતું. આ અગાઉ પાકિસ્તાની મીડિયા હાઉસ સમાએ બદખ્શાન પ્રાંતના પોલીસ કમાન્ડને ટાંકીને માહિતી આપી હતી કે વિમાન ગઈકાલે રાત્રે રડારથી ગાયબ થઈ ગયું હતું. આ પછી તે જેબક જિલ્લાના પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું હતું.


પેસેન્જર નહીં પણ ચાર્ટર્ડ પ્લેન 


અફઘાનિસ્તાનના બદખ્શાન પ્રાંતના પોલીસ કમાન્ડે જણાવ્યું કે વિમાન ગઈકાલે રાત્રે રડારમાંથી ગાયબ થઈ ગયું હતું. આ પછી તે જેબક જિલ્લાના પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું. વિમાનમાં કેટલા મુસાફરો સવાર હતા તે અંગેની માહિતી હજુ સામે આવી નથી.દરમિયાન પાક અને અફઘાન મીડિયાએ આને શરૂઆતમાં ભારતીય પ્લેન ગણાવ્યું હતું પણ DGCAએ કન્ફર્મ કર્યું છે કે આ ભારતીય પ્લેન નથી. બપોરે 12.45 વાગ્યે અફઘાન મીડિયાના હવાલાથી કહેવામાં આવ્યું કે આ પ્લેન ભારતનું છે અને મોસ્કો જઈ રહ્યું હતું. જોકે, અડધા કલાકમાં ફરી માહિતી આવી કે તે પેસેન્જર પ્લેન નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ચાર્ટર્ડ પ્લેન હોઈ શકે છે. બદખ્શાનના માહિતી વિભાગના પ્રવક્તા ઝબીહુલ્લાહ અમીરીએ ટોલો ન્યૂઝને જણાવ્યું કે ઘટનાની તપાસ માટે એક ટીમને વિસ્તારમાં મોકલવામાં આવી છે. 


રશિયાએ કહ્યું- વિમાનમાં છ લોકો સવાર હતા


આ દરમિયાન, રશિયન ઉડ્ડયન અધિકારીઓએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં ક્રેશ થયેલું વિમાન શનિવારે મોડી સાંજે રડારમાંથી ગાયબ થઈ ગયું હતું. તેમાં છ લોકો હતા. આ એરક્રાફ્ટ ફ્રાન્સમાં બનેલું દસોલ્ટનું ફાલ્કન 10 જેટ હતું. આ ચાર્ટર પ્લેન ભારતથી ઉઝબેકિસ્તાન થઈને મોસ્કો આવી રહ્યું હતું.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.