પોલીસે એજન્સી અને આરોપીના નામ વગરની ફરિયાદ નોંધાવી


  • Published By :
  • Published Date : 2022-10-31 13:06:00

મોરબી પુલ કરૂણાંતિકા મામલે પોલીસકર્મીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં કલમ 304, 308 અને 114 કલમોના આધારે ફરિયાદ થઇ છે. આ એફઆઇઆરમાં બેદરકારી અને નિષ્કાળજીનો ઉલ્લેખ કરાયો છે. મોરબીમાં ગતસાંજે ઝૂલતો પુલ તૂટી પડતા લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં મૃત્યુઆંક 132 પર પહોંચી ગયો છે. 


સંચાલન કરનાર એજન્સી સામે ગુનો દાખલ

આ ફરિયાદમાં પુલનું સમારકામ કરનાર તેમજ સંચાલન કરનાર એજન્સી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, ફરિયાદમાં બન્નેમાંથી એકપણ એજન્સીના નામ લખવામાં નથી આવ્યા. મોરબીની ઘટનામાં જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવું રાજ્ય સરકારે જણાવ્યું હતું. પરંતુ કંપની બાબતે કોઈ પણ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો તેમાં સરકારની કામગીરીને લોકો પર શંકાની નજરે જોઈ રહ્યા છે.


એજન્સી અને આરોપીના નામ વગરની પોલીસ ફરિયાદ

ઝૂલતા પુલ કે જે યોગ્ય સમારકામ અને મેનેજમેન્ટ તથા મેન્ટેનન્સના અભાવે યાંત્રિક ખામી કે અન્ય કોઈ કારણોસર બ્રિજ 6.30 વાગ્યે તૂટી જતા દુર્ઘટના સર્જાઇ. ઝૂલતો પુલ મેન્ટેનન્સ કરનાર એજન્સી, મેનેજમેન્ટ કરનાર એજન્સી વિરુદ્ધ આરોપીઓના નામ વગર ફરિયાદ નોંધાઇ છે.


નિષ્કાળજી અને બેદરકારીનો ગુનો નોંધાયો

આ ફરિયાદમાં ઉલ્લેખ મુજબ પુલના સમારકામ બાદ પુલની ક્વોલિટી ચેક કર્યા વગર અને યોગ્ય કાળજી રાખ્યા વગર નિષ્કાળજી અને બેદરકારીનો મામલો સામે આવ્યો છે. ત્યારે હવે આ કરૂણાંતિકા મામલે નવું શું સામે આવે છે તે તપાસનો વિષય બન્યો છે. જેમાં પુલના સમારકામ કરતી એજન્સી, સમારકામનો કોન્ટ્રાક્ટ આપેલી કંપની અને તંત્રની નિષ્કાળજી જવાબદાર હોવાનો ઉલ્લેખ કરાયો છે.




ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.