પરિવારનું નિવેદન લેવા પોલીસ પહોંચી ડો. વૈશાલી જોશીના ઘરે, શા માટે નથી કરવામાં આવી ફરાર પીઆઈ વિરૂદ્ધ ફરિયાદ? શું પોલીસ રાખી રહી છે રહેમનજર?


  • Published By :
  • Published Date : 2024-03-13 17:28:58

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો. વૈશાલી જોશીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ મામલે પોલીસ ડો.વૈશાલી જોશીના ગામ ડેભારી પહોંચી હતી અને ટૂંક સમયમાં પરિવાર આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવશે. પોલીસે આ મામલે અનેક લોકોના નિવેદનો તો પહેલાથી લઈ લીધા હતા પરંતુ હવે પરિવારના સભ્યોનું નિવેદન પોલીસે લીધું છે તેવી માહિતી સામે આવી છે. પ્રશ્ન એ થાય કે આટલો સમય વિત્યા બાદ પણ પોલીસ ફરાર પીઆઈ ખાચરને નથી પડકી શકી?   


રૂબરૂ મળવાનો કર્યો ઈન્કાર! 

પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા મળ્યા બાદ અનેક લોકો પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. આ કેસમાં પણ એવું જ થયું. ડો. વૈશાલી જોશી પીઆઈ ખાચરના પ્રેમમાં હતી પરંતુ તે વખતે તેને ખબર ન હતી કે પીઆઈ ખાચર પરિણીત છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ એકબીજાના સંપર્ક આવ્યા હતા અને તે relationshipમાં આગળ વધ્યા હતા. એવી માહિતી સામે આવી હતી કે વૈશાલીને ક્યાંકથી ખબર પડી કે પીઆઈ પરણીત છે, તે પીઆઈને મળવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી હતી. અનેક વખત ડો. વૈશાલીએ પીઆઈનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તે તેને ઈગ્નોર કરતો હતો. તેને લઈ ડો.વૈશાલી પીઆઈને રૂબરૂ મળવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી ગઈ. 


જ્યારથી આ ઘટના બની ત્યારથી પીઆઈ ખાચર છે ફરાર

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઓફિસની બાજુમાં એક ગ્રાઉન્ડ આવ્યું છે જ્યાં પોલીસ સ્પોર્ટ્સ મીટ ચાલી રહી હતી. અનેક પોલીસકર્મીઓએ આ સ્પોર્ટ્સ મીટમાં ભાગ લીધો હતો તેમાં પીઆઈ ખાચર પણ હાજર હતા. ડો. વૈશાલીને ખબર ન હતી કે પીઆઈ ખાચર ત્યાં હાજર નથી. ક્રાઈમ બ્રાન્ચ પરીસરમાં તે રાહ જોઈ રહ્યા હતા પરંતુ અંતે તેમણે પોતાનું જીવન ટૂંકાવી દીધું. જ્યારથી આ ઘટના બની ત્યારથી પીઆઈ ખાચર ફરાર છે અને તેમને શોધવામાં પોલીસને સફળતા નથી મળી. પ્રશ્ન એ થાય કે પોલીસ તેમને શોધવા જ નથી માગતી? 


પોલીસ શું કામ રાખી રહી છે ઉદાસીનતા? 

એવી પણ માહિતી સામે આવી છે કે ખાચરે એવું કહ્યું છે કે પત્ની બિમાર છે તેમ કહી તે ત્યાંથી નિકળી ગયા હતા પરંતુ હજી સુધી પીઆઈ વિરૂદ્ધ કોઈ ફરિયાદ નથી કરવામાં આવી. દીકરીને ન્યાય મળે તે માટે આખો સમાજ આગળ આવ્યો છે. દીકરીના ન્યાય મળે તે માટે અલગ અલગ લોકોને પત્ર લખવામાં આવી રહ્યા છે સમાજના આગેવાનો દ્વારા અને માગ કરવામાં આવી રહી છે ન્યાયની. જેમના શીરે જવાબદારી છે કે તે કાયદાનું પાલન કરાવે તે જ કાયદાનો ભંગ કરે તો? પોલીસ સામે અનેક સાક્ષ્ય છે, સ્યુસાઈડ નોટ છે, જેમાં આ પગલા પાછળ કારણ કોણ છે તેમનું નામ લખ્યું હતું તો પણ પોલીસ દ્વારા આ મામલે ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે તે એક મોટી વિડંબના છે. 

 


જો પીઆઈ ખાચરે વૈશાલી જોશી સાથે વાત કરી લીધી હોત તો... 

પોલીસ વિભાગમાં પણ અનેક એવા કિસ્સાઓ છે જેમાં એસ્ટ્રા મેરિટિયલ અફેર હોય. પોલીસને પણ પોતાના વિભાગમાં કામ કરી રહેલા કર્મચારીઓને, અધિકારીઓને સમજાવા પડશે કે કોઈ બીજાને પ્રેમમાં છેતરવાનો હક તેમને નથી આપવામાં આવ્યો. જો કોઈ પોલીસકર્મી કોઈ છોકરીને છેતરે છે તો લગ્ન બાદ પણ કોઈ બીજા સાથે પ્રેમ સંબંધ રાખવો એ ગુન્હો છે. જો પીઆઈએ થોડો સમય કાઢીને ડો.વૈશાલી સાથે વાત કરી લીધી હોત તો કદાચ ડોક્ટરે પોતાનો જીવ ના ટૂંકાવ્યો હોત.પોલીસને પોલીસ વિરૂદ્ધ ફરિયાદ લખવી પડશે!   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.