પરિવારનું નિવેદન લેવા પોલીસ પહોંચી ડો. વૈશાલી જોશીના ઘરે, શા માટે નથી કરવામાં આવી ફરાર પીઆઈ વિરૂદ્ધ ફરિયાદ? શું પોલીસ રાખી રહી છે રહેમનજર?


  • Published By :
  • Published Date : 2024-03-13 17:28:58

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો. વૈશાલી જોશીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ મામલે પોલીસ ડો.વૈશાલી જોશીના ગામ ડેભારી પહોંચી હતી અને ટૂંક સમયમાં પરિવાર આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવશે. પોલીસે આ મામલે અનેક લોકોના નિવેદનો તો પહેલાથી લઈ લીધા હતા પરંતુ હવે પરિવારના સભ્યોનું નિવેદન પોલીસે લીધું છે તેવી માહિતી સામે આવી છે. પ્રશ્ન એ થાય કે આટલો સમય વિત્યા બાદ પણ પોલીસ ફરાર પીઆઈ ખાચરને નથી પડકી શકી?   


રૂબરૂ મળવાનો કર્યો ઈન્કાર! 

પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા મળ્યા બાદ અનેક લોકો પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. આ કેસમાં પણ એવું જ થયું. ડો. વૈશાલી જોશી પીઆઈ ખાચરના પ્રેમમાં હતી પરંતુ તે વખતે તેને ખબર ન હતી કે પીઆઈ ખાચર પરિણીત છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ એકબીજાના સંપર્ક આવ્યા હતા અને તે relationshipમાં આગળ વધ્યા હતા. એવી માહિતી સામે આવી હતી કે વૈશાલીને ક્યાંકથી ખબર પડી કે પીઆઈ પરણીત છે, તે પીઆઈને મળવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી હતી. અનેક વખત ડો. વૈશાલીએ પીઆઈનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તે તેને ઈગ્નોર કરતો હતો. તેને લઈ ડો.વૈશાલી પીઆઈને રૂબરૂ મળવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી ગઈ. 


જ્યારથી આ ઘટના બની ત્યારથી પીઆઈ ખાચર છે ફરાર

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઓફિસની બાજુમાં એક ગ્રાઉન્ડ આવ્યું છે જ્યાં પોલીસ સ્પોર્ટ્સ મીટ ચાલી રહી હતી. અનેક પોલીસકર્મીઓએ આ સ્પોર્ટ્સ મીટમાં ભાગ લીધો હતો તેમાં પીઆઈ ખાચર પણ હાજર હતા. ડો. વૈશાલીને ખબર ન હતી કે પીઆઈ ખાચર ત્યાં હાજર નથી. ક્રાઈમ બ્રાન્ચ પરીસરમાં તે રાહ જોઈ રહ્યા હતા પરંતુ અંતે તેમણે પોતાનું જીવન ટૂંકાવી દીધું. જ્યારથી આ ઘટના બની ત્યારથી પીઆઈ ખાચર ફરાર છે અને તેમને શોધવામાં પોલીસને સફળતા નથી મળી. પ્રશ્ન એ થાય કે પોલીસ તેમને શોધવા જ નથી માગતી? 


પોલીસ શું કામ રાખી રહી છે ઉદાસીનતા? 

એવી પણ માહિતી સામે આવી છે કે ખાચરે એવું કહ્યું છે કે પત્ની બિમાર છે તેમ કહી તે ત્યાંથી નિકળી ગયા હતા પરંતુ હજી સુધી પીઆઈ વિરૂદ્ધ કોઈ ફરિયાદ નથી કરવામાં આવી. દીકરીને ન્યાય મળે તે માટે આખો સમાજ આગળ આવ્યો છે. દીકરીના ન્યાય મળે તે માટે અલગ અલગ લોકોને પત્ર લખવામાં આવી રહ્યા છે સમાજના આગેવાનો દ્વારા અને માગ કરવામાં આવી રહી છે ન્યાયની. જેમના શીરે જવાબદારી છે કે તે કાયદાનું પાલન કરાવે તે જ કાયદાનો ભંગ કરે તો? પોલીસ સામે અનેક સાક્ષ્ય છે, સ્યુસાઈડ નોટ છે, જેમાં આ પગલા પાછળ કારણ કોણ છે તેમનું નામ લખ્યું હતું તો પણ પોલીસ દ્વારા આ મામલે ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે તે એક મોટી વિડંબના છે. 

 


જો પીઆઈ ખાચરે વૈશાલી જોશી સાથે વાત કરી લીધી હોત તો... 

પોલીસ વિભાગમાં પણ અનેક એવા કિસ્સાઓ છે જેમાં એસ્ટ્રા મેરિટિયલ અફેર હોય. પોલીસને પણ પોતાના વિભાગમાં કામ કરી રહેલા કર્મચારીઓને, અધિકારીઓને સમજાવા પડશે કે કોઈ બીજાને પ્રેમમાં છેતરવાનો હક તેમને નથી આપવામાં આવ્યો. જો કોઈ પોલીસકર્મી કોઈ છોકરીને છેતરે છે તો લગ્ન બાદ પણ કોઈ બીજા સાથે પ્રેમ સંબંધ રાખવો એ ગુન્હો છે. જો પીઆઈએ થોડો સમય કાઢીને ડો.વૈશાલી સાથે વાત કરી લીધી હોત તો કદાચ ડોક્ટરે પોતાનો જીવ ના ટૂંકાવ્યો હોત.પોલીસને પોલીસ વિરૂદ્ધ ફરિયાદ લખવી પડશે!   



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે