રખડતાં ઢોર અંગેની પોલિસીનો આજથી થશે અમલ, AMCએ પશુપાલકોને આપી આ સૂચના, જો રસ્તા પર રખડતા પશુઓ દેખાયા તો...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-01 14:14:27

રખડતાં ઢોરને કારણે અનેક લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે. આપણે સમાચારોમાં અથવા તો ન્યુઝ ચેનલોમાં અવાર-નવાર સાંભળતા હોઈએ છીએ કે રખડતા પશુની અડફેટે આવતા રાહદારી અથવા તો વાહનચાલક ઈજાગ્રસ્ત થયો છે. અનેક વખત આવી ઘટનામાં અડફેટે આવતા લોકોના મોત થઈ જતા હોય છે. હાઈકોર્ટે આ મામલે અનેક વખત તંત્રની ઝાટકણી કાઢી છે. રસ્તા પર રખડતા ઢોરને પકડવા માટે તંત્રએ સ્પેશ્યલ પ્લાન ઘડ્યો છે. ત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલિસીનો આજથી અમલ થવાનો છે. ત્યારે એએમસીએ ટ્વિટ કરી છે કે પશુ રસ્તા પર રખડતા ન હોવા જાઈએ..

આજથી નિયંત્રણ પોલીસીનો થશે અમલ 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે પહેલી સપ્ટેમ્બરથી એટલે કે આજથી શહેરમાં પશુ ત્રાસ અટકાવવા અને નિયંત્રણ પોલિસીનો અમલ થવાનો છે. મહત્વનું છે કે અનેક વખત રખડતા પશુઓને કારણે વાહનચાલકોને તેમજ રાહદારીઓને અડફેટે લેતા હોય છે. જેને કારણે તેમને ઈજાઓ થતી હોય છે. ગુજરાત હાઈકોર્ટમાં અનેક વખત આ મામલે પીઆઈએલ થઈ. 


ગુજરાત હાઈકોર્ટે અનેક વખત કાઢી છે તંત્રની ઝાટકણી 

રખડતા ઢોરનો ત્રાસ અટકાવવા માટે શું પગલા લેવાયા તે અંગે અનેક વખત પ્રશ્ન પૂછવામાં આવ્યો છે પરંતુ દર વખતે તંત્ર દ્વારા આપવામાં આવતા જવાબથી હાઈકોર્ટ નારાજ થઈ હોય તેવું લાગતું હતું. ત્યારે હવે તંત્ર દ્વારા રખડતા ઢોર વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અનેક વખત જોવા પણ મળ્યું છે કે રસ્તાની વચ્ચોવચ રખડતા પશુઓ બેસી જાય છે જે કારણે લોકોને અગવડનો સામનો કરવો પડે છે.  

ઝોન વાઈઝ અધિકારીઓને સોંપવામાં આવી છે જવાબદારી 

રખડતા પશુઓ પર નિયંત્રણ લાવવા માટે તંત્ર દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે. રખડતા પશુ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. રસ્તા પર ટેગિંગ વગર જો પશુ દેખાશે તો પશુ પાલક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તે સિવાય પણ અનેક નિયમો બહાર પાડવામાં આવ્યા છે.મળતી માહિતી અનુસાર થોડા દિવસો પહેલા રખડતા ઢોર મુદ્દે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એસઓપી જાહેર કરવામાં આવી હતી. ઝોન વાઈઝ ટીમ બનાવવામાં આવશે અને વિવિધ અધિકારીઓની જવાબદારી અંગે જણાવવામાં આવ્યું છે.


શું હંમેશા માટે મળશે રખડતા પશુઓના ત્રાસથી મુક્તિ?  

મહત્વનું છે કે રસ્તાની વચ્ચોવચ પશુઓ અડ્ડો જમાઈને બેઠા હોય છે જેને કારણે વાહનચાલકોએ ક્યાંથી નિકળવું તે પ્રશ્ન ઉભો થતો હોય છે. કોઈ વખત શાંત લાગતા પશુ અચાનક હિંસક બની જાય છે, કોઈ વખત એકબીજા સાથે લડવાનું શરૂ કરી દેતા હોય છે તો કોઈ વખત રાહદારીને અડફેટે લેતા હોય છે. પશુ પાલકોને આ મામલે નોટિસ તો આપવામાં આવી છે પરંતુ તેનો અમલ કેટલો થાય તે જોવાનું રહ્યું. રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ મળે છે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે. જ્યાં સુધી પશુ પકડવાની કામગીરી ચાલતી હશે ત્યાં સુધી પશુ પાલકો કદાચ રસ્તા પર પશુઓને રખડતા નહીં મૂકે, કદાચ કાર્યવાહીના ડરથી રસ્તા પર અમુક સમય માટે રસ્તા ઉપર ફરતા યમદૂતોથી રાહત મળી શકે છે પરંતુ પછી? કાર્યવાહી તો થોડા દિવસો જ ચાલશે પરંતુ પછી પરિસ્થિતિ પહેલા જેવી જ થઈ જશે તેવું લાગે છે.    

   



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે