દેશના રાજનેતાઓ હવે આવા મુદ્દાઓ પર કરશે ચર્ચા! સંસદમાં ઉઠાવવા ઘણા બીજા અનેક મુદ્દાઓ છે...


  • Published By :
  • Published Date : 2023-07-27 17:27:00

એક તરફ દેશમાં મણિપુર જેવી ગંભીર બાબતો બની રહી છે જેની પર ચર્ચાઓ થવી જરૂરી છે, અને બીજી બાજુ દેશના નેતાઓને એક બીજાને ટ્રોલ કરવાથી સમય નથી મળી રહ્યો. જ્યારે સંસદમાં મણિપુરની ઘટના પર સરકારને સવાલ કરવામાં આવે ત્યારે નેતાઓ ચૂપ થઈ જાય છે અને બીજી બાજુ બીજા નેતાઓને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરતા દેખાય છે. અમે વાત કરી રહ્યા છે રાઘવ ચઢ્ઢાના એક ફોટાની જેની ચર્ચા નેતાઓ કરી રહ્યા છે.   

રાઘવ ચઢ્ઢાના ફોટોને લઈ શરૂ થઈ રાજનીતિ

ગઈકાલથી સોશિયલ મીડિયા પર એક તસવીર ખૂબ વાઇરલ થઈ રહી છે. બુધવારે સંસદ સંકુલમાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાની ઉપર એક કાગડો બેઠો હતો. તે સમયે રાઘવ ફોન પર વાત કરી રહ્યા હતા. તે સમયની અનેક તસવીરો વાયરલ થઈ ગઈ. આ તસવીરમાં રાઘવ ચઢ્ઢા કાગડાથી બચાવ કરતા દેખાય છે. ભારતીય જનતા પાર્ટીએ રાઘવની તસવીરો ટ્વીટ કરીને ટોણો માર્યો હતો. લખ્યું કે જૂઠ બોલે કૌવા કાટે. આજ સુધી માત્ર સાંભળ્યું જ હતું, આજે જોઈ પણ લીધું અને આ ટ્વીટથી આખી કહાની શરૂ થઈ. જવાબ આપતા રાઘવે કહ્યું કે, 'રામચન્દ્ર કહ ગયે સિયા સે એસા કલયુગ આયેગા, હંસ ચુગેગા દાના ઔર કૌવા મોતી ખાયેગા'

અલગ અલગ યુઝર્સે આપી અલગ અલગ પ્રતિક્રિયા

સાંસદ રાઘવની આ તસવીર મંગળવારની છે. રાજ્યસભાની કાર્યવાહીમાં ભાગ લીધા બાદ ફોન પર વાત કરતા કરતા તેઓ આવી રહ્યા હતા. આ દરમિયાન એક કાગડો તેમના માથા પર આવ્યો અને તેણે ચાંચ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે માથું નીચું કરીને પોતાનો બચાવ કર્યો. આ તસવીર વાયરલ થતાં જ લોકોએ સોશિયલ મીડિયા પર અલગ-અલગ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. એક ટ્વિટર યુઝરે લખ્યું કે આ લોકશાહી પર સીધો હુમલો છે, જ્યારે કોઈએ તેને અપશુકન પણ ગણાવ્યું છે. એક યુઝરે લખ્યું "હવે એમ ના કહેતા કે આ bjpએ મોકલેલો કાગડો છે"


હવે આવા જ મુદ્દાઓને લઈ થશે ચર્ચા!

એક તરફ ફોટાની પાછળ રાજનીતિ શરૂ થઈ ગઈ. આવા મુદ્દાઓ પર સાંસદો તેમજ રાજકીય પાર્ટીઓ ચર્ચા કરશે તો દેશના મહત્વના મુદ્દાઓ પર કોણ ચર્ચા કરશે? સંસદમાં જ્યારે જ્યારે મણિપુરને લઈ મુદ્દો ઉઠ્યો છે ત્યારે ત્યારે હોબાળો થયો છે અને કાર્યવાહી સ્થગિત થઈ છે. સંસદમાં મણિપુરની વાત ઉઠી તો સ્મૃતિ ઈરાની અને બીજા નેતાઓ ભડકી ઉઠ્યા. જો તમારે એન્ટરટેરમેન્ટ જોઈતું હોય અને સિરિયલ જોવાની ઈચ્છા થાય તો હવે સંસદ ખોલી અને જોઈ લેવાનું કારણકે સંસદમાં હવે દેશના મુદ્દાની કોઈ વાત તો થતી જ નથી. દેશના નેતાઓએ દેશના મુદ્દાઓને સાઈડમાં જ રાખી દીધા છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .