દેશના રાજનેતાઓ હવે આવા મુદ્દાઓ પર કરશે ચર્ચા! સંસદમાં ઉઠાવવા ઘણા બીજા અનેક મુદ્દાઓ છે...


  • Published By :
  • Published Date : 2023-07-27 17:27:00

એક તરફ દેશમાં મણિપુર જેવી ગંભીર બાબતો બની રહી છે જેની પર ચર્ચાઓ થવી જરૂરી છે, અને બીજી બાજુ દેશના નેતાઓને એક બીજાને ટ્રોલ કરવાથી સમય નથી મળી રહ્યો. જ્યારે સંસદમાં મણિપુરની ઘટના પર સરકારને સવાલ કરવામાં આવે ત્યારે નેતાઓ ચૂપ થઈ જાય છે અને બીજી બાજુ બીજા નેતાઓને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરતા દેખાય છે. અમે વાત કરી રહ્યા છે રાઘવ ચઢ્ઢાના એક ફોટાની જેની ચર્ચા નેતાઓ કરી રહ્યા છે.   

રાઘવ ચઢ્ઢાના ફોટોને લઈ શરૂ થઈ રાજનીતિ

ગઈકાલથી સોશિયલ મીડિયા પર એક તસવીર ખૂબ વાઇરલ થઈ રહી છે. બુધવારે સંસદ સંકુલમાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાની ઉપર એક કાગડો બેઠો હતો. તે સમયે રાઘવ ફોન પર વાત કરી રહ્યા હતા. તે સમયની અનેક તસવીરો વાયરલ થઈ ગઈ. આ તસવીરમાં રાઘવ ચઢ્ઢા કાગડાથી બચાવ કરતા દેખાય છે. ભારતીય જનતા પાર્ટીએ રાઘવની તસવીરો ટ્વીટ કરીને ટોણો માર્યો હતો. લખ્યું કે જૂઠ બોલે કૌવા કાટે. આજ સુધી માત્ર સાંભળ્યું જ હતું, આજે જોઈ પણ લીધું અને આ ટ્વીટથી આખી કહાની શરૂ થઈ. જવાબ આપતા રાઘવે કહ્યું કે, 'રામચન્દ્ર કહ ગયે સિયા સે એસા કલયુગ આયેગા, હંસ ચુગેગા દાના ઔર કૌવા મોતી ખાયેગા'

અલગ અલગ યુઝર્સે આપી અલગ અલગ પ્રતિક્રિયા

સાંસદ રાઘવની આ તસવીર મંગળવારની છે. રાજ્યસભાની કાર્યવાહીમાં ભાગ લીધા બાદ ફોન પર વાત કરતા કરતા તેઓ આવી રહ્યા હતા. આ દરમિયાન એક કાગડો તેમના માથા પર આવ્યો અને તેણે ચાંચ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે માથું નીચું કરીને પોતાનો બચાવ કર્યો. આ તસવીર વાયરલ થતાં જ લોકોએ સોશિયલ મીડિયા પર અલગ-અલગ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. એક ટ્વિટર યુઝરે લખ્યું કે આ લોકશાહી પર સીધો હુમલો છે, જ્યારે કોઈએ તેને અપશુકન પણ ગણાવ્યું છે. એક યુઝરે લખ્યું "હવે એમ ના કહેતા કે આ bjpએ મોકલેલો કાગડો છે"


હવે આવા જ મુદ્દાઓને લઈ થશે ચર્ચા!

એક તરફ ફોટાની પાછળ રાજનીતિ શરૂ થઈ ગઈ. આવા મુદ્દાઓ પર સાંસદો તેમજ રાજકીય પાર્ટીઓ ચર્ચા કરશે તો દેશના મહત્વના મુદ્દાઓ પર કોણ ચર્ચા કરશે? સંસદમાં જ્યારે જ્યારે મણિપુરને લઈ મુદ્દો ઉઠ્યો છે ત્યારે ત્યારે હોબાળો થયો છે અને કાર્યવાહી સ્થગિત થઈ છે. સંસદમાં મણિપુરની વાત ઉઠી તો સ્મૃતિ ઈરાની અને બીજા નેતાઓ ભડકી ઉઠ્યા. જો તમારે એન્ટરટેરમેન્ટ જોઈતું હોય અને સિરિયલ જોવાની ઈચ્છા થાય તો હવે સંસદ ખોલી અને જોઈ લેવાનું કારણકે સંસદમાં હવે દેશના મુદ્દાની કોઈ વાત તો થતી જ નથી. દેશના નેતાઓએ દેશના મુદ્દાઓને સાઈડમાં જ રાખી દીધા છે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.