દેશના રાજનેતાઓ હવે આવા મુદ્દાઓ પર કરશે ચર્ચા! સંસદમાં ઉઠાવવા ઘણા બીજા અનેક મુદ્દાઓ છે...


  • Published By :
  • Published Date : 2023-07-27 17:27:00

એક તરફ દેશમાં મણિપુર જેવી ગંભીર બાબતો બની રહી છે જેની પર ચર્ચાઓ થવી જરૂરી છે, અને બીજી બાજુ દેશના નેતાઓને એક બીજાને ટ્રોલ કરવાથી સમય નથી મળી રહ્યો. જ્યારે સંસદમાં મણિપુરની ઘટના પર સરકારને સવાલ કરવામાં આવે ત્યારે નેતાઓ ચૂપ થઈ જાય છે અને બીજી બાજુ બીજા નેતાઓને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરતા દેખાય છે. અમે વાત કરી રહ્યા છે રાઘવ ચઢ્ઢાના એક ફોટાની જેની ચર્ચા નેતાઓ કરી રહ્યા છે.   

રાઘવ ચઢ્ઢાના ફોટોને લઈ શરૂ થઈ રાજનીતિ

ગઈકાલથી સોશિયલ મીડિયા પર એક તસવીર ખૂબ વાઇરલ થઈ રહી છે. બુધવારે સંસદ સંકુલમાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાની ઉપર એક કાગડો બેઠો હતો. તે સમયે રાઘવ ફોન પર વાત કરી રહ્યા હતા. તે સમયની અનેક તસવીરો વાયરલ થઈ ગઈ. આ તસવીરમાં રાઘવ ચઢ્ઢા કાગડાથી બચાવ કરતા દેખાય છે. ભારતીય જનતા પાર્ટીએ રાઘવની તસવીરો ટ્વીટ કરીને ટોણો માર્યો હતો. લખ્યું કે જૂઠ બોલે કૌવા કાટે. આજ સુધી માત્ર સાંભળ્યું જ હતું, આજે જોઈ પણ લીધું અને આ ટ્વીટથી આખી કહાની શરૂ થઈ. જવાબ આપતા રાઘવે કહ્યું કે, 'રામચન્દ્ર કહ ગયે સિયા સે એસા કલયુગ આયેગા, હંસ ચુગેગા દાના ઔર કૌવા મોતી ખાયેગા'

અલગ અલગ યુઝર્સે આપી અલગ અલગ પ્રતિક્રિયા

સાંસદ રાઘવની આ તસવીર મંગળવારની છે. રાજ્યસભાની કાર્યવાહીમાં ભાગ લીધા બાદ ફોન પર વાત કરતા કરતા તેઓ આવી રહ્યા હતા. આ દરમિયાન એક કાગડો તેમના માથા પર આવ્યો અને તેણે ચાંચ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે માથું નીચું કરીને પોતાનો બચાવ કર્યો. આ તસવીર વાયરલ થતાં જ લોકોએ સોશિયલ મીડિયા પર અલગ-અલગ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. એક ટ્વિટર યુઝરે લખ્યું કે આ લોકશાહી પર સીધો હુમલો છે, જ્યારે કોઈએ તેને અપશુકન પણ ગણાવ્યું છે. એક યુઝરે લખ્યું "હવે એમ ના કહેતા કે આ bjpએ મોકલેલો કાગડો છે"


હવે આવા જ મુદ્દાઓને લઈ થશે ચર્ચા!

એક તરફ ફોટાની પાછળ રાજનીતિ શરૂ થઈ ગઈ. આવા મુદ્દાઓ પર સાંસદો તેમજ રાજકીય પાર્ટીઓ ચર્ચા કરશે તો દેશના મહત્વના મુદ્દાઓ પર કોણ ચર્ચા કરશે? સંસદમાં જ્યારે જ્યારે મણિપુરને લઈ મુદ્દો ઉઠ્યો છે ત્યારે ત્યારે હોબાળો થયો છે અને કાર્યવાહી સ્થગિત થઈ છે. સંસદમાં મણિપુરની વાત ઉઠી તો સ્મૃતિ ઈરાની અને બીજા નેતાઓ ભડકી ઉઠ્યા. જો તમારે એન્ટરટેરમેન્ટ જોઈતું હોય અને સિરિયલ જોવાની ઈચ્છા થાય તો હવે સંસદ ખોલી અને જોઈ લેવાનું કારણકે સંસદમાં હવે દેશના મુદ્દાની કોઈ વાત તો થતી જ નથી. દેશના નેતાઓએ દેશના મુદ્દાઓને સાઈડમાં જ રાખી દીધા છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.