Gujaratના વિકાસ મોડલની ફરી એક વાર ખુલી પોલ! Anant Patelએ શેર કર્યો વીડિયો અને લખ્યું - જો રસ્તો સારો બનેલ હોત.....


  • Published By :
  • Published Date : 2023-10-05 12:20:55

સમગ્ર દેશમાં અને હવે તો વિશ્વમાં ગુજરાતના મોડલને વિકાસના મોડલ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે છે. ગુજરાત એટલે વિકાસનો પર્યાય બની ગયો હોય તેવી રીતે વાતો, પ્રચાર કરવામાં આવે છે. ગુજરાતમાં વિકાસ થયો છે તેની ના નહીં પરંતુ આજે પણ એવા અનેક ગામડાઓ છે જ્યાં સરકારનો વિકાસ નથી પહોંચ્યો. માટે આજે પણ અનેક ગામડાઓ છે વિકાસ માટે ઝંખી રહ્યા છે. ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા દર્શાવવામાં આવી છે. સારા રસ્તા ન હોવાને કારણે બિમાર લોકોને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે ખાટલા અથવા તો લોકોને ઝોળી કરીને લઈ જવાય છે. 

અનંત પટેલે શેર કર્યો વીડિયો   

ગુજરાત એક એવું રાજ્ય જ્યાં વિકાસની પરિભાષા જ અલગ છે આપણે શહેરોની મોટી મોટી બિલ્ડિંગો બ્રિજએ બધુ જોઈને માની  લેતા હોઈએ છીએ કે ગુજરાતમાં ચારે તરફ વિકાસ જ વિકાસ છે. પરંતુ ગામડાથી અનેક એવા દ્રશ્યો સામે આવતા હોય છે જે આ વિકાસના દાવાને પોકળ સાબિત કરી દે છે. અનેક એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં સારા રસ્તા ન હોવાને કારણે લોકોનો જીવ પણ જતા હોય છે. અનેક વખત આવા સમાચારો સામે આવ્યા છે. ત્યારે વધુ એક આવો વીડિયો અનંત પટેલે શેર કર્યો છે.   


30 વર્ષના યુવાનનું રસ્તો ન હોવાને કારણે થયું મોત 

વાંસદા પાસે ના ખાટા આંબા ગામનો છે જ્યાં કોઈ રસ્તા જ નથી વિપુલભાઈ ધનગરે નામના વ્યક્તિ બીમાર હતા. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં માટે એમ્બ્યુલન્સ મેઇન રસ્તા પર ઊભી હતી ત્યાં પહોંચવા માટે વિપુલભાઈને ઝોળી કરીને લઈ ગયા અને ત્યાં જ દોઢ કિલોમીટર અંતર કાપવામાં વિપુલ ભાઈનું મૃત્યુ થઈ ગયું. વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે "આઝાદીના વર્ષો બાદ પણ ખાટાં આંબા ગામના મુખ્ય રસ્તાથી બાબુનીયા ફળિયામાં જવાનાં દોઠ કિલોમીટર ના અંતર માટે આજે પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી વારંવાર ગ્રામસભામાં લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હોય છતાં સુવિધા ઉપલબ્ધ નહીં કરવાં આવી જેનાં પરિણામ સ્વરૂપે બાબુનીયા ફળિયાનો ૩૦ વર્ષના આશાસ્પદ યુવાન વિપુલભાઈ ધનગરે જે બિમાર હતાં એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં માટે એમ્બ્યુલન્સ મુખ્ય રસ્તા પર આવી હતી પંરતુ ફળિયાંથી મુખ્ય રસ્તાનુ દોઠ કિલોમીટરનુ અંતર કાપતાં રસ્તામાં યુવાન મુત્યુ પામ્યા હતાં રસ્તો સારો બનેલ હોતે એમ્બ્યુલન્સ દર્દના ઘર સુધી પોહચી હોતો તે આજે આ આશાસ્પદ યુવાનને જીવ ગુમાવવાની નોબત નહીં આવી હોતે"



અનેક અંતરિયાળ વિસ્તારમાં આવી જ હોય છે પરિસ્થિતિ 

આ માત્ર આંબા ગામની હાલત નથી. આદિવાસી વિસ્તારોના અનેક છેવડાના ગામની આવી જ હાલત છે. છોટાઉદેપુરના તુરખેડા ગયા હતા ત્યાં પણ કંઈક આવી જ સ્તિથિ હતી. રસ્તા જ નહીં ગામ પણ છૂટા છવાયા એટલે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. થોડા સમય પહેલા જ એક એવો કિસ્સો સામે આવ્યો હતો કે છોટાઉદેપુરના એક ગામમાં મહિલા ગર્ભવતી હતી અને તેને હોસ્પિટલ પહોંચાડવા એમ્બુલન્સ આવી પણ મુખ્ય માર્ગ પેર અને મહિલાને જોડી કરીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવી પડી કયા સુધી આપણે આવા વીડિયો જોઈને દુખ વ્યક્ત કરતાં રહીશું. આપણે સમજવું પડશે કે વિકાસ એટલે માત્ર શહેરોનો વિકાસ નહીં વિકાસ એટલે જ્યારે છેવડાના માણસ સુધી સુવિધાઓ પહોંચે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.