Gujaratના વિકાસ મોડલની ફરી એક વાર ખુલી પોલ! Anant Patelએ શેર કર્યો વીડિયો અને લખ્યું - જો રસ્તો સારો બનેલ હોત.....


  • Published By :
  • Published Date : 2023-10-05 12:20:55

સમગ્ર દેશમાં અને હવે તો વિશ્વમાં ગુજરાતના મોડલને વિકાસના મોડલ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે છે. ગુજરાત એટલે વિકાસનો પર્યાય બની ગયો હોય તેવી રીતે વાતો, પ્રચાર કરવામાં આવે છે. ગુજરાતમાં વિકાસ થયો છે તેની ના નહીં પરંતુ આજે પણ એવા અનેક ગામડાઓ છે જ્યાં સરકારનો વિકાસ નથી પહોંચ્યો. માટે આજે પણ અનેક ગામડાઓ છે વિકાસ માટે ઝંખી રહ્યા છે. ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા દર્શાવવામાં આવી છે. સારા રસ્તા ન હોવાને કારણે બિમાર લોકોને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે ખાટલા અથવા તો લોકોને ઝોળી કરીને લઈ જવાય છે. 

અનંત પટેલે શેર કર્યો વીડિયો   

ગુજરાત એક એવું રાજ્ય જ્યાં વિકાસની પરિભાષા જ અલગ છે આપણે શહેરોની મોટી મોટી બિલ્ડિંગો બ્રિજએ બધુ જોઈને માની  લેતા હોઈએ છીએ કે ગુજરાતમાં ચારે તરફ વિકાસ જ વિકાસ છે. પરંતુ ગામડાથી અનેક એવા દ્રશ્યો સામે આવતા હોય છે જે આ વિકાસના દાવાને પોકળ સાબિત કરી દે છે. અનેક એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં સારા રસ્તા ન હોવાને કારણે લોકોનો જીવ પણ જતા હોય છે. અનેક વખત આવા સમાચારો સામે આવ્યા છે. ત્યારે વધુ એક આવો વીડિયો અનંત પટેલે શેર કર્યો છે.   


30 વર્ષના યુવાનનું રસ્તો ન હોવાને કારણે થયું મોત 

વાંસદા પાસે ના ખાટા આંબા ગામનો છે જ્યાં કોઈ રસ્તા જ નથી વિપુલભાઈ ધનગરે નામના વ્યક્તિ બીમાર હતા. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં માટે એમ્બ્યુલન્સ મેઇન રસ્તા પર ઊભી હતી ત્યાં પહોંચવા માટે વિપુલભાઈને ઝોળી કરીને લઈ ગયા અને ત્યાં જ દોઢ કિલોમીટર અંતર કાપવામાં વિપુલ ભાઈનું મૃત્યુ થઈ ગયું. વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે "આઝાદીના વર્ષો બાદ પણ ખાટાં આંબા ગામના મુખ્ય રસ્તાથી બાબુનીયા ફળિયામાં જવાનાં દોઠ કિલોમીટર ના અંતર માટે આજે પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી વારંવાર ગ્રામસભામાં લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હોય છતાં સુવિધા ઉપલબ્ધ નહીં કરવાં આવી જેનાં પરિણામ સ્વરૂપે બાબુનીયા ફળિયાનો ૩૦ વર્ષના આશાસ્પદ યુવાન વિપુલભાઈ ધનગરે જે બિમાર હતાં એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં માટે એમ્બ્યુલન્સ મુખ્ય રસ્તા પર આવી હતી પંરતુ ફળિયાંથી મુખ્ય રસ્તાનુ દોઠ કિલોમીટરનુ અંતર કાપતાં રસ્તામાં યુવાન મુત્યુ પામ્યા હતાં રસ્તો સારો બનેલ હોતે એમ્બ્યુલન્સ દર્દના ઘર સુધી પોહચી હોતો તે આજે આ આશાસ્પદ યુવાનને જીવ ગુમાવવાની નોબત નહીં આવી હોતે"



અનેક અંતરિયાળ વિસ્તારમાં આવી જ હોય છે પરિસ્થિતિ 

આ માત્ર આંબા ગામની હાલત નથી. આદિવાસી વિસ્તારોના અનેક છેવડાના ગામની આવી જ હાલત છે. છોટાઉદેપુરના તુરખેડા ગયા હતા ત્યાં પણ કંઈક આવી જ સ્તિથિ હતી. રસ્તા જ નહીં ગામ પણ છૂટા છવાયા એટલે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. થોડા સમય પહેલા જ એક એવો કિસ્સો સામે આવ્યો હતો કે છોટાઉદેપુરના એક ગામમાં મહિલા ગર્ભવતી હતી અને તેને હોસ્પિટલ પહોંચાડવા એમ્બુલન્સ આવી પણ મુખ્ય માર્ગ પેર અને મહિલાને જોડી કરીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવી પડી કયા સુધી આપણે આવા વીડિયો જોઈને દુખ વ્યક્ત કરતાં રહીશું. આપણે સમજવું પડશે કે વિકાસ એટલે માત્ર શહેરોનો વિકાસ નહીં વિકાસ એટલે જ્યારે છેવડાના માણસ સુધી સુવિધાઓ પહોંચે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી