Gujaratના વિકાસ મોડલની ફરી એક વાર ખુલી પોલ! Anant Patelએ શેર કર્યો વીડિયો અને લખ્યું - જો રસ્તો સારો બનેલ હોત.....


  • Published By :
  • Published Date : 2023-10-05 12:20:55

સમગ્ર દેશમાં અને હવે તો વિશ્વમાં ગુજરાતના મોડલને વિકાસના મોડલ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે છે. ગુજરાત એટલે વિકાસનો પર્યાય બની ગયો હોય તેવી રીતે વાતો, પ્રચાર કરવામાં આવે છે. ગુજરાતમાં વિકાસ થયો છે તેની ના નહીં પરંતુ આજે પણ એવા અનેક ગામડાઓ છે જ્યાં સરકારનો વિકાસ નથી પહોંચ્યો. માટે આજે પણ અનેક ગામડાઓ છે વિકાસ માટે ઝંખી રહ્યા છે. ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા દર્શાવવામાં આવી છે. સારા રસ્તા ન હોવાને કારણે બિમાર લોકોને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે ખાટલા અથવા તો લોકોને ઝોળી કરીને લઈ જવાય છે. 

અનંત પટેલે શેર કર્યો વીડિયો   

ગુજરાત એક એવું રાજ્ય જ્યાં વિકાસની પરિભાષા જ અલગ છે આપણે શહેરોની મોટી મોટી બિલ્ડિંગો બ્રિજએ બધુ જોઈને માની  લેતા હોઈએ છીએ કે ગુજરાતમાં ચારે તરફ વિકાસ જ વિકાસ છે. પરંતુ ગામડાથી અનેક એવા દ્રશ્યો સામે આવતા હોય છે જે આ વિકાસના દાવાને પોકળ સાબિત કરી દે છે. અનેક એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં સારા રસ્તા ન હોવાને કારણે લોકોનો જીવ પણ જતા હોય છે. અનેક વખત આવા સમાચારો સામે આવ્યા છે. ત્યારે વધુ એક આવો વીડિયો અનંત પટેલે શેર કર્યો છે.   


30 વર્ષના યુવાનનું રસ્તો ન હોવાને કારણે થયું મોત 

વાંસદા પાસે ના ખાટા આંબા ગામનો છે જ્યાં કોઈ રસ્તા જ નથી વિપુલભાઈ ધનગરે નામના વ્યક્તિ બીમાર હતા. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં માટે એમ્બ્યુલન્સ મેઇન રસ્તા પર ઊભી હતી ત્યાં પહોંચવા માટે વિપુલભાઈને ઝોળી કરીને લઈ ગયા અને ત્યાં જ દોઢ કિલોમીટર અંતર કાપવામાં વિપુલ ભાઈનું મૃત્યુ થઈ ગયું. વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે "આઝાદીના વર્ષો બાદ પણ ખાટાં આંબા ગામના મુખ્ય રસ્તાથી બાબુનીયા ફળિયામાં જવાનાં દોઠ કિલોમીટર ના અંતર માટે આજે પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી વારંવાર ગ્રામસભામાં લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હોય છતાં સુવિધા ઉપલબ્ધ નહીં કરવાં આવી જેનાં પરિણામ સ્વરૂપે બાબુનીયા ફળિયાનો ૩૦ વર્ષના આશાસ્પદ યુવાન વિપુલભાઈ ધનગરે જે બિમાર હતાં એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં માટે એમ્બ્યુલન્સ મુખ્ય રસ્તા પર આવી હતી પંરતુ ફળિયાંથી મુખ્ય રસ્તાનુ દોઠ કિલોમીટરનુ અંતર કાપતાં રસ્તામાં યુવાન મુત્યુ પામ્યા હતાં રસ્તો સારો બનેલ હોતે એમ્બ્યુલન્સ દર્દના ઘર સુધી પોહચી હોતો તે આજે આ આશાસ્પદ યુવાનને જીવ ગુમાવવાની નોબત નહીં આવી હોતે"



અનેક અંતરિયાળ વિસ્તારમાં આવી જ હોય છે પરિસ્થિતિ 

આ માત્ર આંબા ગામની હાલત નથી. આદિવાસી વિસ્તારોના અનેક છેવડાના ગામની આવી જ હાલત છે. છોટાઉદેપુરના તુરખેડા ગયા હતા ત્યાં પણ કંઈક આવી જ સ્તિથિ હતી. રસ્તા જ નહીં ગામ પણ છૂટા છવાયા એટલે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. થોડા સમય પહેલા જ એક એવો કિસ્સો સામે આવ્યો હતો કે છોટાઉદેપુરના એક ગામમાં મહિલા ગર્ભવતી હતી અને તેને હોસ્પિટલ પહોંચાડવા એમ્બુલન્સ આવી પણ મુખ્ય માર્ગ પેર અને મહિલાને જોડી કરીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવી પડી કયા સુધી આપણે આવા વીડિયો જોઈને દુખ વ્યક્ત કરતાં રહીશું. આપણે સમજવું પડશે કે વિકાસ એટલે માત્ર શહેરોનો વિકાસ નહીં વિકાસ એટલે જ્યારે છેવડાના માણસ સુધી સુવિધાઓ પહોંચે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.