Gujaratના વિકાસ મોડલની ફરી એક વાર ખુલી પોલ! Anant Patelએ શેર કર્યો વીડિયો અને લખ્યું - જો રસ્તો સારો બનેલ હોત.....


  • Published By :
  • Published Date : 2023-10-05 12:20:55

સમગ્ર દેશમાં અને હવે તો વિશ્વમાં ગુજરાતના મોડલને વિકાસના મોડલ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે છે. ગુજરાત એટલે વિકાસનો પર્યાય બની ગયો હોય તેવી રીતે વાતો, પ્રચાર કરવામાં આવે છે. ગુજરાતમાં વિકાસ થયો છે તેની ના નહીં પરંતુ આજે પણ એવા અનેક ગામડાઓ છે જ્યાં સરકારનો વિકાસ નથી પહોંચ્યો. માટે આજે પણ અનેક ગામડાઓ છે વિકાસ માટે ઝંખી રહ્યા છે. ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા દર્શાવવામાં આવી છે. સારા રસ્તા ન હોવાને કારણે બિમાર લોકોને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે ખાટલા અથવા તો લોકોને ઝોળી કરીને લઈ જવાય છે. 

અનંત પટેલે શેર કર્યો વીડિયો   

ગુજરાત એક એવું રાજ્ય જ્યાં વિકાસની પરિભાષા જ અલગ છે આપણે શહેરોની મોટી મોટી બિલ્ડિંગો બ્રિજએ બધુ જોઈને માની  લેતા હોઈએ છીએ કે ગુજરાતમાં ચારે તરફ વિકાસ જ વિકાસ છે. પરંતુ ગામડાથી અનેક એવા દ્રશ્યો સામે આવતા હોય છે જે આ વિકાસના દાવાને પોકળ સાબિત કરી દે છે. અનેક એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં સારા રસ્તા ન હોવાને કારણે લોકોનો જીવ પણ જતા હોય છે. અનેક વખત આવા સમાચારો સામે આવ્યા છે. ત્યારે વધુ એક આવો વીડિયો અનંત પટેલે શેર કર્યો છે.   


30 વર્ષના યુવાનનું રસ્તો ન હોવાને કારણે થયું મોત 

વાંસદા પાસે ના ખાટા આંબા ગામનો છે જ્યાં કોઈ રસ્તા જ નથી વિપુલભાઈ ધનગરે નામના વ્યક્તિ બીમાર હતા. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં માટે એમ્બ્યુલન્સ મેઇન રસ્તા પર ઊભી હતી ત્યાં પહોંચવા માટે વિપુલભાઈને ઝોળી કરીને લઈ ગયા અને ત્યાં જ દોઢ કિલોમીટર અંતર કાપવામાં વિપુલ ભાઈનું મૃત્યુ થઈ ગયું. વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે "આઝાદીના વર્ષો બાદ પણ ખાટાં આંબા ગામના મુખ્ય રસ્તાથી બાબુનીયા ફળિયામાં જવાનાં દોઠ કિલોમીટર ના અંતર માટે આજે પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી વારંવાર ગ્રામસભામાં લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હોય છતાં સુવિધા ઉપલબ્ધ નહીં કરવાં આવી જેનાં પરિણામ સ્વરૂપે બાબુનીયા ફળિયાનો ૩૦ વર્ષના આશાસ્પદ યુવાન વિપુલભાઈ ધનગરે જે બિમાર હતાં એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં માટે એમ્બ્યુલન્સ મુખ્ય રસ્તા પર આવી હતી પંરતુ ફળિયાંથી મુખ્ય રસ્તાનુ દોઠ કિલોમીટરનુ અંતર કાપતાં રસ્તામાં યુવાન મુત્યુ પામ્યા હતાં રસ્તો સારો બનેલ હોતે એમ્બ્યુલન્સ દર્દના ઘર સુધી પોહચી હોતો તે આજે આ આશાસ્પદ યુવાનને જીવ ગુમાવવાની નોબત નહીં આવી હોતે"



અનેક અંતરિયાળ વિસ્તારમાં આવી જ હોય છે પરિસ્થિતિ 

આ માત્ર આંબા ગામની હાલત નથી. આદિવાસી વિસ્તારોના અનેક છેવડાના ગામની આવી જ હાલત છે. છોટાઉદેપુરના તુરખેડા ગયા હતા ત્યાં પણ કંઈક આવી જ સ્તિથિ હતી. રસ્તા જ નહીં ગામ પણ છૂટા છવાયા એટલે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. થોડા સમય પહેલા જ એક એવો કિસ્સો સામે આવ્યો હતો કે છોટાઉદેપુરના એક ગામમાં મહિલા ગર્ભવતી હતી અને તેને હોસ્પિટલ પહોંચાડવા એમ્બુલન્સ આવી પણ મુખ્ય માર્ગ પેર અને મહિલાને જોડી કરીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવી પડી કયા સુધી આપણે આવા વીડિયો જોઈને દુખ વ્યક્ત કરતાં રહીશું. આપણે સમજવું પડશે કે વિકાસ એટલે માત્ર શહેરોનો વિકાસ નહીં વિકાસ એટલે જ્યારે છેવડાના માણસ સુધી સુવિધાઓ પહોંચે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.