Gir Somanathમા આરોગ્ય કેન્દ્રની કફોડી હાલત! દર્દીઓ થયા પરેશાન. બાંકડા પર થઈ રહી છે દર્દીની સારવાર!


  • Published By :
  • Published Date : 2024-09-12 16:37:07

સારૂં શિક્ષણ અને આરોગ્ય સારૂં મેળવવું એ નાગરિકોનો હક છે.. પરંતુ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્ર હોય કે પછી આરોગ્ય બધે હાલત ખરાબ થતી જઈ રહી છે. એક તરફ આપણે વિકાસની ઘણી વાતો કરીએ છીએ પરંતુ વિકાસની એવી તસવીરો અવાર નવાર સામે આવતી હોય છે જે આ દાવાને, આ વાતોને પોકળ સાબિત કરી દે છે.. રોજ એવી તસવીરો સામે આવે છે કે જેમાં દેખાય છે કે સામાન્ય જીવન જરૂરી સુવિધા પણ છેવાડાના માનવી સુધી પહોંચી શકી નથી. ગીર સોમનાથથી સામે આવેલા દ્રશ્યોની આજે વાત કરવી છે. 

બાંકડા પર બેસી વ્યક્તિને ચઢાવવામાં આવી રહ્યો છે બાટલો!

રાજ્યમાં એક તરફ રોગચાળો વકર્યો છે તો બીજી તરફ આરોગ્ય વિભાગની પણ કડવી તસવીર સામે આવી છે. દર્દીઓને એટલી સારવાર નથી મળી રહી, બેડની સુવિધાઓ પણ નથી મળતી.. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક માણસ બાંકડા પર બેઠો છે અને એને બાટલો ચઢાવવામાં આવી રહ્યો છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ગીર સોમનાથ જિલ્લાના તાલાળાનો છે. એટલું જ નહીં નર્સિંગ સ્ટાફ હોવા છતાં પટાવાળા બાટલા ચડાવતા હોવાનું સામે આવ્યું છે એટલે કઈ હદે તંત્ર ખાડે ગયું છે.



આરોગ્યની સાથે સાથે શિક્ષણ ક્ષેત્ર પણ ખાડામાં ગયું!

મહત્વનું છે કે આવી પરિસ્થિતિ માત્ર ગીર સોમનાથની નથી પરંતુ અનેક જગ્યાઓની છે.. આરોગ્ય ક્ષેત્રમાં પણ ધાંધીયા છે તેમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ઉલ્લેખનિય છે કે અનેક જગ્યાઓ એવી છે જ્યાં રસ્તાઓ નથી.. શિક્ષણ ક્ષેત્રમાં પણ અનેક ખામીઓ છે.. રસ્તા ખરાબ હાલતમાં છે અને છત્તા આપણે કહીએ કે વિકાસ જોરદાર છે... ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..       



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.