Gir Somanathમા આરોગ્ય કેન્દ્રની કફોડી હાલત! દર્દીઓ થયા પરેશાન. બાંકડા પર થઈ રહી છે દર્દીની સારવાર!


  • Published By :
  • Published Date : 2024-09-12 16:37:07

સારૂં શિક્ષણ અને આરોગ્ય સારૂં મેળવવું એ નાગરિકોનો હક છે.. પરંતુ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્ર હોય કે પછી આરોગ્ય બધે હાલત ખરાબ થતી જઈ રહી છે. એક તરફ આપણે વિકાસની ઘણી વાતો કરીએ છીએ પરંતુ વિકાસની એવી તસવીરો અવાર નવાર સામે આવતી હોય છે જે આ દાવાને, આ વાતોને પોકળ સાબિત કરી દે છે.. રોજ એવી તસવીરો સામે આવે છે કે જેમાં દેખાય છે કે સામાન્ય જીવન જરૂરી સુવિધા પણ છેવાડાના માનવી સુધી પહોંચી શકી નથી. ગીર સોમનાથથી સામે આવેલા દ્રશ્યોની આજે વાત કરવી છે. 

બાંકડા પર બેસી વ્યક્તિને ચઢાવવામાં આવી રહ્યો છે બાટલો!

રાજ્યમાં એક તરફ રોગચાળો વકર્યો છે તો બીજી તરફ આરોગ્ય વિભાગની પણ કડવી તસવીર સામે આવી છે. દર્દીઓને એટલી સારવાર નથી મળી રહી, બેડની સુવિધાઓ પણ નથી મળતી.. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક માણસ બાંકડા પર બેઠો છે અને એને બાટલો ચઢાવવામાં આવી રહ્યો છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ગીર સોમનાથ જિલ્લાના તાલાળાનો છે. એટલું જ નહીં નર્સિંગ સ્ટાફ હોવા છતાં પટાવાળા બાટલા ચડાવતા હોવાનું સામે આવ્યું છે એટલે કઈ હદે તંત્ર ખાડે ગયું છે.



આરોગ્યની સાથે સાથે શિક્ષણ ક્ષેત્ર પણ ખાડામાં ગયું!

મહત્વનું છે કે આવી પરિસ્થિતિ માત્ર ગીર સોમનાથની નથી પરંતુ અનેક જગ્યાઓની છે.. આરોગ્ય ક્ષેત્રમાં પણ ધાંધીયા છે તેમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ઉલ્લેખનિય છે કે અનેક જગ્યાઓ એવી છે જ્યાં રસ્તાઓ નથી.. શિક્ષણ ક્ષેત્રમાં પણ અનેક ખામીઓ છે.. રસ્તા ખરાબ હાલતમાં છે અને છત્તા આપણે કહીએ કે વિકાસ જોરદાર છે... ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..       



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .