ઓહો હો! 19 કિલો LPGના બાટલાનો ભાવ ઘટી ગયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 10:57:15

CNG, PNG અને LPGના ભાવમાં એટલીવાર વધારો કરવામાં આવ્યો છે કે હવે ભાવ વધારો સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ જ્યારે લોકો ભાવ ઘટ્યો તેવું સાંભળે છે તો તેઓ હરખના માર્યા ખુશીથી નાચવા લાગે છે. ત્યારે જમાવટ પર ચાની લારીવાળા, વેલ્ડિંગના કારીગરો જેવા અન્ય લોકો જે કોમર્શિયલ LPGના બાટલા વાપરે છે તેમના માટે ખુશખબર છે.


કોમર્શિયલ LPG સિલિન્ડરનો ભાવ કેટલો ઘટ્યો?

કોમર્શિયલ એટલે કે દુકાનોમાં વાપરવામાં આવતા LPGના 19 કિલોના બાટલાના ભાવમાં 100 રૂપિયા સુધીના ઘટાડાની જાહેરાત કરી દેવામાં આવી છે. જોજો હો! આ ઘરમાં વાપરવામાં આવતા ગેસના બાટલાની વાત નથી. ઘરમાં વાપરવામાં આવતા 15 કિલોના LPGના બાટલાના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. 


તો હવે 19 કિલો LPGના બાટલાનો કયા શહેરમાં કેટલો ભાવ?

દિલ્લીમાં 91 રૂપિયા ઘટતા કુલ ભાવ 1,885 રૂપિયા થયો

કોલકાતામાં 96 રૂપિયા ઘટતા કુલ 2,045 રૂપિયા થયો

ચેન્નઈમાં 92 રૂપિયા ઘટતા કુલ 1,844 રૂપિયા થયો


શું હોય છે આ બધી LPG-CNG-PNG નામની બલા?

એલપીજી એટલે ઘરમાં અને ઈન્ડસ્ટ્રીમાં વપરાતો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. CNG એટલે વાહનોમાં વપરાતું પર્યાવરણ માટે સારું ઈંધણ. સીએનજીનું પૂરું વૈજ્ઞાનિક ફુલફોર્મ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે. પાઈપ નેચરલ ગેસ(PNG) ઘરે અને માર્કેટમાં વપરાતો ગેસ જે પાઈપના માધ્યમથી વપરાશ કરવામાં આવે છે. 




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.