ઓહો હો! 19 કિલો LPGના બાટલાનો ભાવ ઘટી ગયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 10:57:15

CNG, PNG અને LPGના ભાવમાં એટલીવાર વધારો કરવામાં આવ્યો છે કે હવે ભાવ વધારો સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ જ્યારે લોકો ભાવ ઘટ્યો તેવું સાંભળે છે તો તેઓ હરખના માર્યા ખુશીથી નાચવા લાગે છે. ત્યારે જમાવટ પર ચાની લારીવાળા, વેલ્ડિંગના કારીગરો જેવા અન્ય લોકો જે કોમર્શિયલ LPGના બાટલા વાપરે છે તેમના માટે ખુશખબર છે.


કોમર્શિયલ LPG સિલિન્ડરનો ભાવ કેટલો ઘટ્યો?

કોમર્શિયલ એટલે કે દુકાનોમાં વાપરવામાં આવતા LPGના 19 કિલોના બાટલાના ભાવમાં 100 રૂપિયા સુધીના ઘટાડાની જાહેરાત કરી દેવામાં આવી છે. જોજો હો! આ ઘરમાં વાપરવામાં આવતા ગેસના બાટલાની વાત નથી. ઘરમાં વાપરવામાં આવતા 15 કિલોના LPGના બાટલાના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. 


તો હવે 19 કિલો LPGના બાટલાનો કયા શહેરમાં કેટલો ભાવ?

દિલ્લીમાં 91 રૂપિયા ઘટતા કુલ ભાવ 1,885 રૂપિયા થયો

કોલકાતામાં 96 રૂપિયા ઘટતા કુલ 2,045 રૂપિયા થયો

ચેન્નઈમાં 92 રૂપિયા ઘટતા કુલ 1,844 રૂપિયા થયો


શું હોય છે આ બધી LPG-CNG-PNG નામની બલા?

એલપીજી એટલે ઘરમાં અને ઈન્ડસ્ટ્રીમાં વપરાતો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. CNG એટલે વાહનોમાં વપરાતું પર્યાવરણ માટે સારું ઈંધણ. સીએનજીનું પૂરું વૈજ્ઞાનિક ફુલફોર્મ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે. પાઈપ નેચરલ ગેસ(PNG) ઘરે અને માર્કેટમાં વપરાતો ગેસ જે પાઈપના માધ્યમથી વપરાશ કરવામાં આવે છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.