ઓહો હો! 19 કિલો LPGના બાટલાનો ભાવ ઘટી ગયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 10:57:15

CNG, PNG અને LPGના ભાવમાં એટલીવાર વધારો કરવામાં આવ્યો છે કે હવે ભાવ વધારો સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ જ્યારે લોકો ભાવ ઘટ્યો તેવું સાંભળે છે તો તેઓ હરખના માર્યા ખુશીથી નાચવા લાગે છે. ત્યારે જમાવટ પર ચાની લારીવાળા, વેલ્ડિંગના કારીગરો જેવા અન્ય લોકો જે કોમર્શિયલ LPGના બાટલા વાપરે છે તેમના માટે ખુશખબર છે.


કોમર્શિયલ LPG સિલિન્ડરનો ભાવ કેટલો ઘટ્યો?

કોમર્શિયલ એટલે કે દુકાનોમાં વાપરવામાં આવતા LPGના 19 કિલોના બાટલાના ભાવમાં 100 રૂપિયા સુધીના ઘટાડાની જાહેરાત કરી દેવામાં આવી છે. જોજો હો! આ ઘરમાં વાપરવામાં આવતા ગેસના બાટલાની વાત નથી. ઘરમાં વાપરવામાં આવતા 15 કિલોના LPGના બાટલાના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. 


તો હવે 19 કિલો LPGના બાટલાનો કયા શહેરમાં કેટલો ભાવ?

દિલ્લીમાં 91 રૂપિયા ઘટતા કુલ ભાવ 1,885 રૂપિયા થયો

કોલકાતામાં 96 રૂપિયા ઘટતા કુલ 2,045 રૂપિયા થયો

ચેન્નઈમાં 92 રૂપિયા ઘટતા કુલ 1,844 રૂપિયા થયો


શું હોય છે આ બધી LPG-CNG-PNG નામની બલા?

એલપીજી એટલે ઘરમાં અને ઈન્ડસ્ટ્રીમાં વપરાતો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. CNG એટલે વાહનોમાં વપરાતું પર્યાવરણ માટે સારું ઈંધણ. સીએનજીનું પૂરું વૈજ્ઞાનિક ફુલફોર્મ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે. પાઈપ નેચરલ ગેસ(PNG) ઘરે અને માર્કેટમાં વપરાતો ગેસ જે પાઈપના માધ્યમથી વપરાશ કરવામાં આવે છે. 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી