ઓહો હો! 19 કિલો LPGના બાટલાનો ભાવ ઘટી ગયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 10:57:15

CNG, PNG અને LPGના ભાવમાં એટલીવાર વધારો કરવામાં આવ્યો છે કે હવે ભાવ વધારો સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ જ્યારે લોકો ભાવ ઘટ્યો તેવું સાંભળે છે તો તેઓ હરખના માર્યા ખુશીથી નાચવા લાગે છે. ત્યારે જમાવટ પર ચાની લારીવાળા, વેલ્ડિંગના કારીગરો જેવા અન્ય લોકો જે કોમર્શિયલ LPGના બાટલા વાપરે છે તેમના માટે ખુશખબર છે.


કોમર્શિયલ LPG સિલિન્ડરનો ભાવ કેટલો ઘટ્યો?

કોમર્શિયલ એટલે કે દુકાનોમાં વાપરવામાં આવતા LPGના 19 કિલોના બાટલાના ભાવમાં 100 રૂપિયા સુધીના ઘટાડાની જાહેરાત કરી દેવામાં આવી છે. જોજો હો! આ ઘરમાં વાપરવામાં આવતા ગેસના બાટલાની વાત નથી. ઘરમાં વાપરવામાં આવતા 15 કિલોના LPGના બાટલાના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. 


તો હવે 19 કિલો LPGના બાટલાનો કયા શહેરમાં કેટલો ભાવ?

દિલ્લીમાં 91 રૂપિયા ઘટતા કુલ ભાવ 1,885 રૂપિયા થયો

કોલકાતામાં 96 રૂપિયા ઘટતા કુલ 2,045 રૂપિયા થયો

ચેન્નઈમાં 92 રૂપિયા ઘટતા કુલ 1,844 રૂપિયા થયો


શું હોય છે આ બધી LPG-CNG-PNG નામની બલા?

એલપીજી એટલે ઘરમાં અને ઈન્ડસ્ટ્રીમાં વપરાતો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. CNG એટલે વાહનોમાં વપરાતું પર્યાવરણ માટે સારું ઈંધણ. સીએનજીનું પૂરું વૈજ્ઞાનિક ફુલફોર્મ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે. પાઈપ નેચરલ ગેસ(PNG) ઘરે અને માર્કેટમાં વપરાતો ગેસ જે પાઈપના માધ્યમથી વપરાશ કરવામાં આવે છે. 




વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.