Commercial LPG Gas Cylinderના ભાવમાં કરાયો આટલો ઘટાડો, રકમ જાણી આંખો પહોળી થઈ જશે! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-01 09:59:21

ઓઈલ એન્ડ પેટ્રોલિયમ કંપની દ્વારા સામાન્ય લોકોને કોઈ ગિફ્ટ મળશે તેવી આશા હતી. પેટ્રોલ તેમજ ડિઝલના ભાવમાં ઘટાડો થશે અને સામાન્ય માણસના ખિસ્સા પરનું ભારણ ઓછું થશે તેવું લાગતું હતું. ખેર એ વાત ઉપર ચર્ચા નથી કરવી, આજે વાત કરવી છે ગેસ સિલિન્ડરના ભાવમાં કરાયેલા ઘટાડા અંગેની.. સામાન્ય રીતે માનવામાં આવે છે કે ચૂંટણીનો સમય હોય ત્યારે સિલિન્ડરના ભાવ ઘટાડાય છે, અને ચૂંટણી પૂર્ણ થતા જ ફરી એક વખત ભાવમાં વધારો કરાય છે. ત્યારે LPGના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 1.50 રુપિયાનો ઘટાડો કર્યો છે.

ऑयल मार्केटिंग कंपनियों ने फिर घटाए कॉमर्शिय एलपीजी सिलेंडर के दाम

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કરાયો ઘટાડો 

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી આવવાની હોય ત્યારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવો સ્વભાવિક હોય છે. અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થાય છે પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાવમાં તોતિંગ વધારો થાય છે. મુખ્યત્વે જ્યારે ભાવમાં ઘટાડો કરવામાં આવતો હોય છે ત્યારે તેનો અમલ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં નહીં પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે કરાતો હોય છે. આ વખતે પણ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો પરંતુ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં. આ વખતે જેટલાનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે તેની કિંમત જોઈને કદાચ તમને હસવું આવશે. કારણ કે નવા વર્ષમાં ગેસ સિલિન્ડરના ભાવમાં પૂરા 1.50 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

Commercial LPG Gas Cylinder Price and Application Process

1.50 રુપિયાનો કરાયો ભાવ ઘટાડો!

મળતી માહિતી અનુસાર આ ભાવ ઘટાડો થતા દિલ્હીમાં 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર 1755.50 રૂપિયામાં મળશે. પહેલા તે 1757.00 રૂપિયા હતો. આજે તે માત્ર 1.50 રૂપિયા સસ્તું થયું છે. તેવી જ રીતે, કોલકાતામાં આ સિલિન્ડરની કિંમત 1869.00 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ ડિસેમ્બરમાં તે રૂ. 1868.50 હતો. જેમાં આજે 50 પૈસાનો વધારો થયો છે. કોમર્શિયલ સિલિન્ડર જે મુંબઈમાં 1710 રૂપિયામાં મળતું હતું તે આજથી 1708.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે. ચેન્નાઈમાં તે હવે 1929 રૂપિયાના બદલે 1924.50 રૂપિયામાં વેચાશે. મહત્વનું છે કે 22 ડિસેમ્બરે જ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.  

ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી દર 4 માસની ટોચે | chitralekha

સામાન્ય માણસને ક્યારે મળશે મોંઘવારીથી રાહત?  

એક તરફ સામાન્ય લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. મોંઘવારીને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. એક તરફ શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ કોઈ રાહત નથી આપવામાં આવતી. સારા દિવસો ક્યારે આવશે તેની રાહ સામાન્ય લોકો ક્યારના જોઈ રહ્યા છે! 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.