Commercial LPG Gas Cylinderના ભાવમાં કરાયો આટલો ઘટાડો, રકમ જાણી આંખો પહોળી થઈ જશે! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-01 09:59:21

ઓઈલ એન્ડ પેટ્રોલિયમ કંપની દ્વારા સામાન્ય લોકોને કોઈ ગિફ્ટ મળશે તેવી આશા હતી. પેટ્રોલ તેમજ ડિઝલના ભાવમાં ઘટાડો થશે અને સામાન્ય માણસના ખિસ્સા પરનું ભારણ ઓછું થશે તેવું લાગતું હતું. ખેર એ વાત ઉપર ચર્ચા નથી કરવી, આજે વાત કરવી છે ગેસ સિલિન્ડરના ભાવમાં કરાયેલા ઘટાડા અંગેની.. સામાન્ય રીતે માનવામાં આવે છે કે ચૂંટણીનો સમય હોય ત્યારે સિલિન્ડરના ભાવ ઘટાડાય છે, અને ચૂંટણી પૂર્ણ થતા જ ફરી એક વખત ભાવમાં વધારો કરાય છે. ત્યારે LPGના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 1.50 રુપિયાનો ઘટાડો કર્યો છે.

ऑयल मार्केटिंग कंपनियों ने फिर घटाए कॉमर्शिय एलपीजी सिलेंडर के दाम

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કરાયો ઘટાડો 

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી આવવાની હોય ત્યારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવો સ્વભાવિક હોય છે. અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થાય છે પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાવમાં તોતિંગ વધારો થાય છે. મુખ્યત્વે જ્યારે ભાવમાં ઘટાડો કરવામાં આવતો હોય છે ત્યારે તેનો અમલ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં નહીં પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે કરાતો હોય છે. આ વખતે પણ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો પરંતુ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં. આ વખતે જેટલાનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે તેની કિંમત જોઈને કદાચ તમને હસવું આવશે. કારણ કે નવા વર્ષમાં ગેસ સિલિન્ડરના ભાવમાં પૂરા 1.50 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

Commercial LPG Gas Cylinder Price and Application Process

1.50 રુપિયાનો કરાયો ભાવ ઘટાડો!

મળતી માહિતી અનુસાર આ ભાવ ઘટાડો થતા દિલ્હીમાં 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર 1755.50 રૂપિયામાં મળશે. પહેલા તે 1757.00 રૂપિયા હતો. આજે તે માત્ર 1.50 રૂપિયા સસ્તું થયું છે. તેવી જ રીતે, કોલકાતામાં આ સિલિન્ડરની કિંમત 1869.00 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ ડિસેમ્બરમાં તે રૂ. 1868.50 હતો. જેમાં આજે 50 પૈસાનો વધારો થયો છે. કોમર્શિયલ સિલિન્ડર જે મુંબઈમાં 1710 રૂપિયામાં મળતું હતું તે આજથી 1708.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે. ચેન્નાઈમાં તે હવે 1929 રૂપિયાના બદલે 1924.50 રૂપિયામાં વેચાશે. મહત્વનું છે કે 22 ડિસેમ્બરે જ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.  

ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી દર 4 માસની ટોચે | chitralekha

સામાન્ય માણસને ક્યારે મળશે મોંઘવારીથી રાહત?  

એક તરફ સામાન્ય લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. મોંઘવારીને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. એક તરફ શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ કોઈ રાહત નથી આપવામાં આવતી. સારા દિવસો ક્યારે આવશે તેની રાહ સામાન્ય લોકો ક્યારના જોઈ રહ્યા છે! 



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.