Commercial LPG Gas Cylinderના ભાવમાં કરાયો આટલો ઘટાડો, રકમ જાણી આંખો પહોળી થઈ જશે! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-01 09:59:21

ઓઈલ એન્ડ પેટ્રોલિયમ કંપની દ્વારા સામાન્ય લોકોને કોઈ ગિફ્ટ મળશે તેવી આશા હતી. પેટ્રોલ તેમજ ડિઝલના ભાવમાં ઘટાડો થશે અને સામાન્ય માણસના ખિસ્સા પરનું ભારણ ઓછું થશે તેવું લાગતું હતું. ખેર એ વાત ઉપર ચર્ચા નથી કરવી, આજે વાત કરવી છે ગેસ સિલિન્ડરના ભાવમાં કરાયેલા ઘટાડા અંગેની.. સામાન્ય રીતે માનવામાં આવે છે કે ચૂંટણીનો સમય હોય ત્યારે સિલિન્ડરના ભાવ ઘટાડાય છે, અને ચૂંટણી પૂર્ણ થતા જ ફરી એક વખત ભાવમાં વધારો કરાય છે. ત્યારે LPGના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 1.50 રુપિયાનો ઘટાડો કર્યો છે.

ऑयल मार्केटिंग कंपनियों ने फिर घटाए कॉमर्शिय एलपीजी सिलेंडर के दाम

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કરાયો ઘટાડો 

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી આવવાની હોય ત્યારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવો સ્વભાવિક હોય છે. અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થાય છે પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાવમાં તોતિંગ વધારો થાય છે. મુખ્યત્વે જ્યારે ભાવમાં ઘટાડો કરવામાં આવતો હોય છે ત્યારે તેનો અમલ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં નહીં પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે કરાતો હોય છે. આ વખતે પણ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો પરંતુ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં. આ વખતે જેટલાનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે તેની કિંમત જોઈને કદાચ તમને હસવું આવશે. કારણ કે નવા વર્ષમાં ગેસ સિલિન્ડરના ભાવમાં પૂરા 1.50 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

Commercial LPG Gas Cylinder Price and Application Process

1.50 રુપિયાનો કરાયો ભાવ ઘટાડો!

મળતી માહિતી અનુસાર આ ભાવ ઘટાડો થતા દિલ્હીમાં 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર 1755.50 રૂપિયામાં મળશે. પહેલા તે 1757.00 રૂપિયા હતો. આજે તે માત્ર 1.50 રૂપિયા સસ્તું થયું છે. તેવી જ રીતે, કોલકાતામાં આ સિલિન્ડરની કિંમત 1869.00 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ ડિસેમ્બરમાં તે રૂ. 1868.50 હતો. જેમાં આજે 50 પૈસાનો વધારો થયો છે. કોમર્શિયલ સિલિન્ડર જે મુંબઈમાં 1710 રૂપિયામાં મળતું હતું તે આજથી 1708.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે. ચેન્નાઈમાં તે હવે 1929 રૂપિયાના બદલે 1924.50 રૂપિયામાં વેચાશે. મહત્વનું છે કે 22 ડિસેમ્બરે જ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.  

ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી દર 4 માસની ટોચે | chitralekha

સામાન્ય માણસને ક્યારે મળશે મોંઘવારીથી રાહત?  

એક તરફ સામાન્ય લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. મોંઘવારીને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. એક તરફ શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ કોઈ રાહત નથી આપવામાં આવતી. સારા દિવસો ક્યારે આવશે તેની રાહ સામાન્ય લોકો ક્યારના જોઈ રહ્યા છે! 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.