Budget પહેલા ગેસ સિલિન્ડરના ભાવમાં કરાયો વધારો, જાણો કેટલાનો કરાયો ભાવ વધારો?


  • Published By :
  • Published Date : 2024-02-01 10:37:40

સામાન્ય રીતે જ્યારે ચૂંટણી યોજાવાની હોય છે ત્યારે મોંઘવારીને કન્ટ્રોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ભાવ ઘટાડો જ્યારે કરવામાં આવે છે ત્યારે અમે લખતા હોઈએ છીએ કે ઈલેક્શન ઈફેટ.. એટલે કે ચૂંટણી નજીક આવી રહી છે એટલે ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે વગેરે વગેરે... સામાન્ય માણસને લગતી વસ્તુઓને સસ્તી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે પરંતુ આ વખતે ચૂંટણી પહેલા ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 



કયા શહેરમાં કયા ભાવે મળશે ગેસ સિલિન્ડર?  

એક તરફ આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાના છે. એવું લાગતું હતું કે મોંઘવારીમાંથી આંશિક રાહત મળશે પરંતુ બજેટના દિવસે જ રાંઘણ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 19 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં 14 રૂપિયાનો ભાવ વધારો એક સાથે ઝીંકાયો છે. એકસાથે 14 રૂપિયાનો વધારો કરવામાં આવતા મોંઘવારીનો ફટકો પડ્યો છે. નવી કિંમતની જાહેરાત બાદ મુંબઈમાં એલપીજી સિલિન્ડરની કિંમત 15 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધીને 1723.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. જ્યારે દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 14 રૂપિયા વધીને 1769.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. તે જ સમયે, કોલકાતામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 18 રૂપિયા વધીને 1887 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં એલપીજી સિલિન્ડરની કિંમત 12.50 રૂપિયા વધીને 1937 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.



ઘરેલું ગેસ સિલિન્ડરમાં નથી કરવામાં આવ્યો ફેરફાર!

મહત્વનું છે કે સામાન્ય માણસના ખિસ્સા પર આ ભાવ વધારાની અસર નહીં જોવા મળે. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં નથી વધારો કરવામાં આવ્યો. 14 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. ઘરેલું રાંઘણ ગેસ સિલિન્ડરના કિંમતો સ્થિર રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે ગમે ત્યારે આ ભાવમાં વધારો જોવા મળી શકે છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.