Budget પહેલા ગેસ સિલિન્ડરના ભાવમાં કરાયો વધારો, જાણો કેટલાનો કરાયો ભાવ વધારો?


  • Published By :
  • Published Date : 2024-02-01 10:37:40

સામાન્ય રીતે જ્યારે ચૂંટણી યોજાવાની હોય છે ત્યારે મોંઘવારીને કન્ટ્રોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ભાવ ઘટાડો જ્યારે કરવામાં આવે છે ત્યારે અમે લખતા હોઈએ છીએ કે ઈલેક્શન ઈફેટ.. એટલે કે ચૂંટણી નજીક આવી રહી છે એટલે ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે વગેરે વગેરે... સામાન્ય માણસને લગતી વસ્તુઓને સસ્તી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે પરંતુ આ વખતે ચૂંટણી પહેલા ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 



કયા શહેરમાં કયા ભાવે મળશે ગેસ સિલિન્ડર?  

એક તરફ આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાના છે. એવું લાગતું હતું કે મોંઘવારીમાંથી આંશિક રાહત મળશે પરંતુ બજેટના દિવસે જ રાંઘણ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 19 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં 14 રૂપિયાનો ભાવ વધારો એક સાથે ઝીંકાયો છે. એકસાથે 14 રૂપિયાનો વધારો કરવામાં આવતા મોંઘવારીનો ફટકો પડ્યો છે. નવી કિંમતની જાહેરાત બાદ મુંબઈમાં એલપીજી સિલિન્ડરની કિંમત 15 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધીને 1723.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. જ્યારે દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 14 રૂપિયા વધીને 1769.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. તે જ સમયે, કોલકાતામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 18 રૂપિયા વધીને 1887 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં એલપીજી સિલિન્ડરની કિંમત 12.50 રૂપિયા વધીને 1937 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.



ઘરેલું ગેસ સિલિન્ડરમાં નથી કરવામાં આવ્યો ફેરફાર!

મહત્વનું છે કે સામાન્ય માણસના ખિસ્સા પર આ ભાવ વધારાની અસર નહીં જોવા મળે. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં નથી વધારો કરવામાં આવ્યો. 14 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. ઘરેલું રાંઘણ ગેસ સિલિન્ડરના કિંમતો સ્થિર રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે ગમે ત્યારે આ ભાવમાં વધારો જોવા મળી શકે છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.