LPG Gas Cylinderના ભાવમાં કરાયો આટલા રુપિયાનો ઘટાડો, જાણો સામાન્ય માણસના ખિસ્સા પર આ ભાવ ઘટાડાની અસર પડશે?


  • Published By :
  • Published Date : 2023-12-22 13:30:31

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ચૂંટણી સમયે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થાય છે પરંતુ ચૂંટણી પૂર્ણ થતા જ ભાવમાં વધારો કરવામાં આવે છે. પરંતુ હમણાં ચૂંટણી નથી તો પણ ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે! તેલ કંપનીએ એલજીપી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ભાવ ઘટાડો 19 કિલોના ગેસ સિલિન્ડર માટે કરવામાં આવી છે. આ ભાવ ઘટાડો 22 ડિસેમ્બરથી લાગુ થશે અને ચાર શહેરોમાં લાગુ થશે જેમાં દિલ્હી, કોલકાતા, મહારાષ્ટ્ર અને ચેન્નઈનો સમાવેશ થાય છે. 

Commercial LPG Gas Cylinder Price and Application Process

ગેસ સિલિન્ડરના ભાવમાં કરાયો ઘટાડો  

અનેક વખત આપણે સાંભળ્યું હશે કે ગેસના ભાવ વધ્યા પરંતુ આ વખતે ગેસના ભાવ ઘટ્યા છે તે સમાચારનો વિષય છે. ચૂંટણીના સમયે મુખ્યત્વે બાટલાના ભાવમાં ફેરફાર કરવામાં આવતો હોય છે પરંતુ ચૂંટણીનો સમય નથી અને બાટલાના ગેસના ભાવમાં ઘટાડો કરાયો છે. 19 કિલો ગેસ સિલિન્ડરના ભાવમાં 39 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર ગેસ કંપનીએ કર્યો છે. મહત્વનું છે કે આ ભાવ ઘટાડો આખા દેશમાં લાગુ નથી થવાના માત્ર ચાર શહેરોમાં જ આ નવો ભાવ લાગુ થવાનો છે. 


ક્યાં કેટલાનો મળશે કોમર્શિયલ ગેસ સિલિન્ડર? 

દિલ્હી, કોલકાત્તા, મુંબઈ અને ચેન્નઈમાં આ ભાવ ઘટાડો લાગુ થશે. આ સાથે જ દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલેંડરનો ભાવ 1757 પર પહોંચી ગયો છે, કોલકાતામાં આ ભાવ 1868 રૂપિયા જ્યારે મુંબઈમાં 1710 રૂપિયે મળશે, ચેન્નઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1929 પર પહોંચી ગયો છે. મહત્વનું છે કે આ ભાવ ઘટાડોનો ફાયદો સામાન્ય જનતાને નહીં થાય કારણે ઘરેલું રાંઘણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો. 


આની પહેલા ભાવમાં કરાયો હતો વધારો 

મહત્વનું છે કે ભાવમાં આની પહેલા પેહલી ડિસેમ્બરે વધારો  કરાયો હતો. તે વખતે કોમર્શિયલ ગેસની કિંમતમાં 21 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે આ વખતે કોમર્શિયલ ગેસના બાટલામાં ઘટાડો કરવામાં આવ્યો છે.        




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.