LPG Gas Cylinderના ભાવમાં કરાયો આટલા રુપિયાનો ઘટાડો, જાણો સામાન્ય માણસના ખિસ્સા પર આ ભાવ ઘટાડાની અસર પડશે?


  • Published By :
  • Published Date : 2023-12-22 13:30:31

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ચૂંટણી સમયે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થાય છે પરંતુ ચૂંટણી પૂર્ણ થતા જ ભાવમાં વધારો કરવામાં આવે છે. પરંતુ હમણાં ચૂંટણી નથી તો પણ ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે! તેલ કંપનીએ એલજીપી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ભાવ ઘટાડો 19 કિલોના ગેસ સિલિન્ડર માટે કરવામાં આવી છે. આ ભાવ ઘટાડો 22 ડિસેમ્બરથી લાગુ થશે અને ચાર શહેરોમાં લાગુ થશે જેમાં દિલ્હી, કોલકાતા, મહારાષ્ટ્ર અને ચેન્નઈનો સમાવેશ થાય છે. 

Commercial LPG Gas Cylinder Price and Application Process

ગેસ સિલિન્ડરના ભાવમાં કરાયો ઘટાડો  

અનેક વખત આપણે સાંભળ્યું હશે કે ગેસના ભાવ વધ્યા પરંતુ આ વખતે ગેસના ભાવ ઘટ્યા છે તે સમાચારનો વિષય છે. ચૂંટણીના સમયે મુખ્યત્વે બાટલાના ભાવમાં ફેરફાર કરવામાં આવતો હોય છે પરંતુ ચૂંટણીનો સમય નથી અને બાટલાના ગેસના ભાવમાં ઘટાડો કરાયો છે. 19 કિલો ગેસ સિલિન્ડરના ભાવમાં 39 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર ગેસ કંપનીએ કર્યો છે. મહત્વનું છે કે આ ભાવ ઘટાડો આખા દેશમાં લાગુ નથી થવાના માત્ર ચાર શહેરોમાં જ આ નવો ભાવ લાગુ થવાનો છે. 


ક્યાં કેટલાનો મળશે કોમર્શિયલ ગેસ સિલિન્ડર? 

દિલ્હી, કોલકાત્તા, મુંબઈ અને ચેન્નઈમાં આ ભાવ ઘટાડો લાગુ થશે. આ સાથે જ દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલેંડરનો ભાવ 1757 પર પહોંચી ગયો છે, કોલકાતામાં આ ભાવ 1868 રૂપિયા જ્યારે મુંબઈમાં 1710 રૂપિયે મળશે, ચેન્નઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1929 પર પહોંચી ગયો છે. મહત્વનું છે કે આ ભાવ ઘટાડોનો ફાયદો સામાન્ય જનતાને નહીં થાય કારણે ઘરેલું રાંઘણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો. 


આની પહેલા ભાવમાં કરાયો હતો વધારો 

મહત્વનું છે કે ભાવમાં આની પહેલા પેહલી ડિસેમ્બરે વધારો  કરાયો હતો. તે વખતે કોમર્શિયલ ગેસની કિંમતમાં 21 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે આ વખતે કોમર્શિયલ ગેસના બાટલામાં ઘટાડો કરવામાં આવ્યો છે.        




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.