LPG Gas Cylinderના ભાવમાં કરાયો આટલા રુપિયાનો ઘટાડો, જાણો સામાન્ય માણસના ખિસ્સા પર આ ભાવ ઘટાડાની અસર પડશે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-22 13:30:31

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ચૂંટણી સમયે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થાય છે પરંતુ ચૂંટણી પૂર્ણ થતા જ ભાવમાં વધારો કરવામાં આવે છે. પરંતુ હમણાં ચૂંટણી નથી તો પણ ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે! તેલ કંપનીએ એલજીપી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ભાવ ઘટાડો 19 કિલોના ગેસ સિલિન્ડર માટે કરવામાં આવી છે. આ ભાવ ઘટાડો 22 ડિસેમ્બરથી લાગુ થશે અને ચાર શહેરોમાં લાગુ થશે જેમાં દિલ્હી, કોલકાતા, મહારાષ્ટ્ર અને ચેન્નઈનો સમાવેશ થાય છે. 

Commercial LPG Gas Cylinder Price and Application Process

ગેસ સિલિન્ડરના ભાવમાં કરાયો ઘટાડો  

અનેક વખત આપણે સાંભળ્યું હશે કે ગેસના ભાવ વધ્યા પરંતુ આ વખતે ગેસના ભાવ ઘટ્યા છે તે સમાચારનો વિષય છે. ચૂંટણીના સમયે મુખ્યત્વે બાટલાના ભાવમાં ફેરફાર કરવામાં આવતો હોય છે પરંતુ ચૂંટણીનો સમય નથી અને બાટલાના ગેસના ભાવમાં ઘટાડો કરાયો છે. 19 કિલો ગેસ સિલિન્ડરના ભાવમાં 39 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર ગેસ કંપનીએ કર્યો છે. મહત્વનું છે કે આ ભાવ ઘટાડો આખા દેશમાં લાગુ નથી થવાના માત્ર ચાર શહેરોમાં જ આ નવો ભાવ લાગુ થવાનો છે. 


ક્યાં કેટલાનો મળશે કોમર્શિયલ ગેસ સિલિન્ડર? 

દિલ્હી, કોલકાત્તા, મુંબઈ અને ચેન્નઈમાં આ ભાવ ઘટાડો લાગુ થશે. આ સાથે જ દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલેંડરનો ભાવ 1757 પર પહોંચી ગયો છે, કોલકાતામાં આ ભાવ 1868 રૂપિયા જ્યારે મુંબઈમાં 1710 રૂપિયે મળશે, ચેન્નઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1929 પર પહોંચી ગયો છે. મહત્વનું છે કે આ ભાવ ઘટાડોનો ફાયદો સામાન્ય જનતાને નહીં થાય કારણે ઘરેલું રાંઘણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો. 


આની પહેલા ભાવમાં કરાયો હતો વધારો 

મહત્વનું છે કે ભાવમાં આની પહેલા પેહલી ડિસેમ્બરે વધારો  કરાયો હતો. તે વખતે કોમર્શિયલ ગેસની કિંમતમાં 21 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે આ વખતે કોમર્શિયલ ગેસના બાટલામાં ઘટાડો કરવામાં આવ્યો છે.        




કમોસમી વરસાદના રાઉન્ડ બાદ તાપમાનનો પારો સતત વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગુરૂવારે અનેક જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.. વરસાદની આગાહીને પગલે અનેક જિલ્લાઓનું તાપમાન 44 ડિગ્રી પહોંચવાની શક્યતાઓ છે.. અમદાવાદનું તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું હતું..

ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.