LPG Gas Cylinderના ભાવમાં કરાયો આટલા રુપિયાનો ઘટાડો, જાણો સામાન્ય માણસના ખિસ્સા પર આ ભાવ ઘટાડાની અસર પડશે?


  • Published By :
  • Published Date : 2023-12-22 13:30:31

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ચૂંટણી સમયે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થાય છે પરંતુ ચૂંટણી પૂર્ણ થતા જ ભાવમાં વધારો કરવામાં આવે છે. પરંતુ હમણાં ચૂંટણી નથી તો પણ ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે! તેલ કંપનીએ એલજીપી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ભાવ ઘટાડો 19 કિલોના ગેસ સિલિન્ડર માટે કરવામાં આવી છે. આ ભાવ ઘટાડો 22 ડિસેમ્બરથી લાગુ થશે અને ચાર શહેરોમાં લાગુ થશે જેમાં દિલ્હી, કોલકાતા, મહારાષ્ટ્ર અને ચેન્નઈનો સમાવેશ થાય છે. 

Commercial LPG Gas Cylinder Price and Application Process

ગેસ સિલિન્ડરના ભાવમાં કરાયો ઘટાડો  

અનેક વખત આપણે સાંભળ્યું હશે કે ગેસના ભાવ વધ્યા પરંતુ આ વખતે ગેસના ભાવ ઘટ્યા છે તે સમાચારનો વિષય છે. ચૂંટણીના સમયે મુખ્યત્વે બાટલાના ભાવમાં ફેરફાર કરવામાં આવતો હોય છે પરંતુ ચૂંટણીનો સમય નથી અને બાટલાના ગેસના ભાવમાં ઘટાડો કરાયો છે. 19 કિલો ગેસ સિલિન્ડરના ભાવમાં 39 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર ગેસ કંપનીએ કર્યો છે. મહત્વનું છે કે આ ભાવ ઘટાડો આખા દેશમાં લાગુ નથી થવાના માત્ર ચાર શહેરોમાં જ આ નવો ભાવ લાગુ થવાનો છે. 


ક્યાં કેટલાનો મળશે કોમર્શિયલ ગેસ સિલિન્ડર? 

દિલ્હી, કોલકાત્તા, મુંબઈ અને ચેન્નઈમાં આ ભાવ ઘટાડો લાગુ થશે. આ સાથે જ દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલેંડરનો ભાવ 1757 પર પહોંચી ગયો છે, કોલકાતામાં આ ભાવ 1868 રૂપિયા જ્યારે મુંબઈમાં 1710 રૂપિયે મળશે, ચેન્નઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1929 પર પહોંચી ગયો છે. મહત્વનું છે કે આ ભાવ ઘટાડોનો ફાયદો સામાન્ય જનતાને નહીં થાય કારણે ઘરેલું રાંઘણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો. 


આની પહેલા ભાવમાં કરાયો હતો વધારો 

મહત્વનું છે કે ભાવમાં આની પહેલા પેહલી ડિસેમ્બરે વધારો  કરાયો હતો. તે વખતે કોમર્શિયલ ગેસની કિંમતમાં 21 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે આ વખતે કોમર્શિયલ ગેસના બાટલામાં ઘટાડો કરવામાં આવ્યો છે.        




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે