કેવડિયા ખાતે આયોજીત રાષ્ટ્રીય એકતા પરેડમાં વડાપ્રધાનને લીધો ભાગ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-31 11:01:54

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. મોરબીમાં બનેલી દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં ફેરફાર કરાયા હતા. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સરદાર પટેલને શ્રદ્ધાંજલી આપવા તેઓ કેવડિયા પહોંચ્યા હતા. કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપી હતી. વડાપ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલી અર્પી હતી.

   

હું એકતા નગરમાં છું, પણ મારું મન મોરબીના પીડિયો સાથે જોડાયેલું છે - પીએમ

સરદાર વલ્લ્ભભાઈ પટેલની આજે જન્મજયંતી છે. 31મી ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવામાં આવે છે. જેને કારણે કેવડિયા ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ મોરબીમાં બનેલી કરૂણાંતિકાને કારણે સાંસ્કૃતિક કાર્યક્રમને રદ્દ કરી દેવાયા છે. વડાપ્રધાને માત્ર પરેડમાં ભાગ લીધો હતો. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ આ ગોઝારી ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું, તેમણે કહ્યું કે હું ભલે કેવડિયામાં છું પરંતુ મારી સંવેદના મૃતકના પરિવાર સાથે છે.

 

પીએમએ લેવડાવ્યા રાષ્ટ્રીય એકતાના શપથ

પોતાના સંબોધન દરમિયાન તેમણે રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાયા હતા. વડાપ્રધાને કહ્યું હું સત્ય નિષ્ઠાથી શપથ લઉં છું કે હું રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષાને વધારવા માટે સ્વયંને સમર્પિત કરીશ અને પોતાના દેશવાસી વચ્ચે આ સંદેશ ફેલાવવાનો પણ પ્રયત્ન કરીશ. હું આ શપથ મારા દેશની એકતાની ભાવનાથી લઉં છું.                



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..