"વડાપ્રધાને કહ્યું- 'સોમનાથ દાદાના આશિર્વાદ હોય તો પછી જીત પાક્કી જ હોય"


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-20 12:58:26


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. અત્યારે ત્રણેય પાર્ટીએ મોટાભાગની બેઠકો પર પોતાના ઉમેદવારો પણ પસંદ કરી લીધા છે. ત્યારે ભાજપે પણ ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેરાવળ ખાતે જનસભાને સંબોધતા નજરે પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપની જ સરકાર બનશે એની ખાતરી તો મને છે. નરેન્દ્રના તમામ રેકોર્ડ ભૂપેન્દ્ર તોડશે. તેમ છતા તેઓ કેમ દોડભાગ કરી રહ્યા છે એના કારણ વિશે પણ જણાવ્યું હતું.


શું કહ્યું PM મોદીએ !!

નરેન્દ્ર મોદીએ વેરાવળ ખાતે કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપની જ સરકાર બનશે. અત્યારે અગાઉના વિવિધ સરવે, રાજકીય નિષ્ણાંતોના મતો પર નજર કરીએ તો ભાજપ જ જીતશે એમ લાગી રહ્યું છે. જોકે આ દરમિયાન ઘણા લોકો મને પૂછતા હોય છે કે કેમ તમે ગુજરાતમાં સુપર એક્ટિવ થઈને ઘણી ભાગ દોડ કરો છે.


વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં સતત એક્ટિવ રહેવા મુદ્દે કહ્યું કે હું પણ જાણું છું સરકાર અમારી બનશે પણ મારે જનતા સાથે મળવું છે. મને ગુજરાતની જનતાની યાદ આવે છે અને હું અહીં ભગવાનના દર્શન કરવાની સાથે જનતા સાથે રહેવું એ મારુ કર્તવ્ય છે.


નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્રએ તોડવાનો છે 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યારપછી આ સંબોધનમાં વિગતવાર જણાવ્યું હતું કે નરેન્દ્રના બધા રેકોર્ડ ભૂપેન્દ્ર તોડવા જઈ રહ્યા છે. આ ભૂપેન્દ્ર હવે બધા નવા રેકોર્ડ બનાવે એટલે નરેન્દ્ર અહીંયા સતત સુપર એક્ટિવ રહે છે. હજુ અમારે ગુજરાતને વિકાસની નવી ઉંચાઈઓ સુધી લઈ જવું છે. તેથી જ હું મારુ કર્તવ્ય નિભાવવા માટે અહીં સતત આવતો રહું છું.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.