"વડાપ્રધાને કહ્યું- 'સોમનાથ દાદાના આશિર્વાદ હોય તો પછી જીત પાક્કી જ હોય"


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-20 12:58:26


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. અત્યારે ત્રણેય પાર્ટીએ મોટાભાગની બેઠકો પર પોતાના ઉમેદવારો પણ પસંદ કરી લીધા છે. ત્યારે ભાજપે પણ ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેરાવળ ખાતે જનસભાને સંબોધતા નજરે પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપની જ સરકાર બનશે એની ખાતરી તો મને છે. નરેન્દ્રના તમામ રેકોર્ડ ભૂપેન્દ્ર તોડશે. તેમ છતા તેઓ કેમ દોડભાગ કરી રહ્યા છે એના કારણ વિશે પણ જણાવ્યું હતું.


શું કહ્યું PM મોદીએ !!

નરેન્દ્ર મોદીએ વેરાવળ ખાતે કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપની જ સરકાર બનશે. અત્યારે અગાઉના વિવિધ સરવે, રાજકીય નિષ્ણાંતોના મતો પર નજર કરીએ તો ભાજપ જ જીતશે એમ લાગી રહ્યું છે. જોકે આ દરમિયાન ઘણા લોકો મને પૂછતા હોય છે કે કેમ તમે ગુજરાતમાં સુપર એક્ટિવ થઈને ઘણી ભાગ દોડ કરો છે.


વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં સતત એક્ટિવ રહેવા મુદ્દે કહ્યું કે હું પણ જાણું છું સરકાર અમારી બનશે પણ મારે જનતા સાથે મળવું છે. મને ગુજરાતની જનતાની યાદ આવે છે અને હું અહીં ભગવાનના દર્શન કરવાની સાથે જનતા સાથે રહેવું એ મારુ કર્તવ્ય છે.


નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્રએ તોડવાનો છે 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યારપછી આ સંબોધનમાં વિગતવાર જણાવ્યું હતું કે નરેન્દ્રના બધા રેકોર્ડ ભૂપેન્દ્ર તોડવા જઈ રહ્યા છે. આ ભૂપેન્દ્ર હવે બધા નવા રેકોર્ડ બનાવે એટલે નરેન્દ્ર અહીંયા સતત સુપર એક્ટિવ રહે છે. હજુ અમારે ગુજરાતને વિકાસની નવી ઉંચાઈઓ સુધી લઈ જવું છે. તેથી જ હું મારુ કર્તવ્ય નિભાવવા માટે અહીં સતત આવતો રહું છું.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.