"વડાપ્રધાને કહ્યું- 'સોમનાથ દાદાના આશિર્વાદ હોય તો પછી જીત પાક્કી જ હોય"


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-20 12:58:26


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. અત્યારે ત્રણેય પાર્ટીએ મોટાભાગની બેઠકો પર પોતાના ઉમેદવારો પણ પસંદ કરી લીધા છે. ત્યારે ભાજપે પણ ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેરાવળ ખાતે જનસભાને સંબોધતા નજરે પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપની જ સરકાર બનશે એની ખાતરી તો મને છે. નરેન્દ્રના તમામ રેકોર્ડ ભૂપેન્દ્ર તોડશે. તેમ છતા તેઓ કેમ દોડભાગ કરી રહ્યા છે એના કારણ વિશે પણ જણાવ્યું હતું.


શું કહ્યું PM મોદીએ !!

નરેન્દ્ર મોદીએ વેરાવળ ખાતે કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપની જ સરકાર બનશે. અત્યારે અગાઉના વિવિધ સરવે, રાજકીય નિષ્ણાંતોના મતો પર નજર કરીએ તો ભાજપ જ જીતશે એમ લાગી રહ્યું છે. જોકે આ દરમિયાન ઘણા લોકો મને પૂછતા હોય છે કે કેમ તમે ગુજરાતમાં સુપર એક્ટિવ થઈને ઘણી ભાગ દોડ કરો છે.


વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં સતત એક્ટિવ રહેવા મુદ્દે કહ્યું કે હું પણ જાણું છું સરકાર અમારી બનશે પણ મારે જનતા સાથે મળવું છે. મને ગુજરાતની જનતાની યાદ આવે છે અને હું અહીં ભગવાનના દર્શન કરવાની સાથે જનતા સાથે રહેવું એ મારુ કર્તવ્ય છે.


નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્રએ તોડવાનો છે 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યારપછી આ સંબોધનમાં વિગતવાર જણાવ્યું હતું કે નરેન્દ્રના બધા રેકોર્ડ ભૂપેન્દ્ર તોડવા જઈ રહ્યા છે. આ ભૂપેન્દ્ર હવે બધા નવા રેકોર્ડ બનાવે એટલે નરેન્દ્ર અહીંયા સતત સુપર એક્ટિવ રહે છે. હજુ અમારે ગુજરાતને વિકાસની નવી ઉંચાઈઓ સુધી લઈ જવું છે. તેથી જ હું મારુ કર્તવ્ય નિભાવવા માટે અહીં સતત આવતો રહું છું.



પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..

ગોધરાથી એક સમાચાર સામે આવ્યા જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે.. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં તેમણે લખ્યું છે ગોધરા ખાતે યોજાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે.. જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.

વાતાવરણમાં આવતા ફેરફારને કારણે શિયાળામાં પણ કમોસમી વરસાદ આવે છે અને ઉનાળામાં પણ કમોસમી વરસાદ આવે છે.. ત્યારે રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે..