ક્ષત્રિય સમાજના વિરોધનો રેલો પહોંચ્યો કચ્છ! ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો થયો વિરોધ! પોલીસ અને ક્ષત્રિય સમાજના લોકો વચ્ચે થયું ઘર્ષણ! જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-04-26 11:20:49

ગુજરાતમાં મતદાનને માત્ર ગણતરીના દિવસો બાકી છે  ત્યારે ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજે ખોલેલો મોરચો હવે ભાજપના વિરૂધ જઈ રહ્યો છે. ભાજપના નેતાઓને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક નેતાઓના ઉદાહરણો આપણી સામે છે જેમને વિરોધનો સામનો કરવો પડ્યો છે ત્યારે આ લિસ્ટમાં વધુ એક ભાજપના નેતાનો સમાવેશ થઈ ગયો છે. કચ્છ વાગડમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો આક્રામક વિરોધ થયો હતો.

અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેનદન બાદ વિરોધનું વંટોળ ઉદ્ભવ્યું હતું. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી હતી. મોટું આંદોલન પણ રાખવામાં  આવ્યું હતું ક્ષત્રિય સમાજ દ્વારા. વિરોધ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પરષોત્તમ રૂપાલાની સામે શરૂ થયેલો વિરોધ ભાજપ સામે ફેરવાઈ રહ્યો છે. ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પરષોત્તમ રૂપાલા જ્યાં પ્રચાર કરવા જાય છે ત્યાં તેમનો વિરોધનો સામનો નથી કરવો પડ્યો પરંતુ ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.. 


કચ્છના ભાજપના ઉમેદવારનો થયો વિરોધ!

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, પૂનમબેન માડમ, હાર્દિક પટેલ સહિતના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ક્ષત્રિય સમાજના લોકો તેમની સભામાં પહોંચી જાય છે ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરે છે... તે સિવાય પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ પણ સૂત્રોચ્ચાર કરે છે... અનેક વખત પોલીસ અને ક્ષત્રિય સમાજ વચ્ચે ઘર્ષણ થયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.. આ બધા વચ્ચે કચ્છના ભાજપના ઉમેદવારને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો રસ્તા વચ્ચે આવી ગયા હતા. પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ગુજરાત ભરમાં ક્ષત્રિય સમાજ ખુબ આક્રમકઃ વિરોધ કરી રહ્યો છે.           


વિવાદને શાંત કરવા ભાજપના મંત્રીઓને સોંપાઈ જવાબદારી!

મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે ભાજપ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકર દ્વારા અનેક જગ્યાઓ પર બેઠકો કરવામાં આવી છે. ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક થઈ રહી છે અને આ વિવાદને શાંત કેવી રીતે કરવો તે અંગેની વિચારણા થઈ રહી છે.. ગઈકાલે સી.આર.પાટીલે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. એક તરફ ક્ષત્રિય લડી લેવાના મૂડમાં છે તો બીજી તરફ સરકાર આ વિવાદને ડામવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે જોવું રહ્યું કે આ વિવાદમાં આગળ શું થાય છે?      



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે