ક્ષત્રિય સમાજના વિરોધનો રેલો પહોંચ્યો કચ્છ! ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો થયો વિરોધ! પોલીસ અને ક્ષત્રિય સમાજના લોકો વચ્ચે થયું ઘર્ષણ! જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-04-26 11:20:49

ગુજરાતમાં મતદાનને માત્ર ગણતરીના દિવસો બાકી છે  ત્યારે ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજે ખોલેલો મોરચો હવે ભાજપના વિરૂધ જઈ રહ્યો છે. ભાજપના નેતાઓને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક નેતાઓના ઉદાહરણો આપણી સામે છે જેમને વિરોધનો સામનો કરવો પડ્યો છે ત્યારે આ લિસ્ટમાં વધુ એક ભાજપના નેતાનો સમાવેશ થઈ ગયો છે. કચ્છ વાગડમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો આક્રામક વિરોધ થયો હતો.

અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેનદન બાદ વિરોધનું વંટોળ ઉદ્ભવ્યું હતું. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી હતી. મોટું આંદોલન પણ રાખવામાં  આવ્યું હતું ક્ષત્રિય સમાજ દ્વારા. વિરોધ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પરષોત્તમ રૂપાલાની સામે શરૂ થયેલો વિરોધ ભાજપ સામે ફેરવાઈ રહ્યો છે. ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પરષોત્તમ રૂપાલા જ્યાં પ્રચાર કરવા જાય છે ત્યાં તેમનો વિરોધનો સામનો નથી કરવો પડ્યો પરંતુ ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.. 


કચ્છના ભાજપના ઉમેદવારનો થયો વિરોધ!

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, પૂનમબેન માડમ, હાર્દિક પટેલ સહિતના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ક્ષત્રિય સમાજના લોકો તેમની સભામાં પહોંચી જાય છે ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરે છે... તે સિવાય પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ પણ સૂત્રોચ્ચાર કરે છે... અનેક વખત પોલીસ અને ક્ષત્રિય સમાજ વચ્ચે ઘર્ષણ થયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.. આ બધા વચ્ચે કચ્છના ભાજપના ઉમેદવારને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો રસ્તા વચ્ચે આવી ગયા હતા. પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ગુજરાત ભરમાં ક્ષત્રિય સમાજ ખુબ આક્રમકઃ વિરોધ કરી રહ્યો છે.           


વિવાદને શાંત કરવા ભાજપના મંત્રીઓને સોંપાઈ જવાબદારી!

મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે ભાજપ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકર દ્વારા અનેક જગ્યાઓ પર બેઠકો કરવામાં આવી છે. ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક થઈ રહી છે અને આ વિવાદને શાંત કેવી રીતે કરવો તે અંગેની વિચારણા થઈ રહી છે.. ગઈકાલે સી.આર.પાટીલે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. એક તરફ ક્ષત્રિય લડી લેવાના મૂડમાં છે તો બીજી તરફ સરકાર આ વિવાદને ડામવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે જોવું રહ્યું કે આ વિવાદમાં આગળ શું થાય છે?      



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.