Electionના પરિણામ પહેલા જનતાને મળી ભાવ વધારાની ભેટ! અમૂલ ગોલ્ડમાં પ્રતિ લિટરે કરાયો 2 રૂપિયાનો વધારો. આને ભાવ વધારાનું ટ્રેલર ગણવું?


  • Published By :
  • Published Date : 2024-06-03 10:55:55

જ્યાં સુધી ચૂંટણીનું પરિણામ ના આવે ત્યાં સુધી સામાન્ય રીતે એવી આશા હોય છે કે મોંઘવારીથી આંશિક રાહત મળશે.. આપણામાંથી અનેક લોકોને એવું લાગે છે કે, કદાચ માનતા પણ હશે કે ચૂંટણીના પરિણામ આવ્યા પછી મોંઘવારીનો માર સહન કરવો પડશે.. અનેક લોકો ચર્ચા પણ કરતા હશે કે પરિણામ આવ્યા બાદ ગેસ સિલિન્ડરના ભાવ વધી શકે છે, પેટ્રોલ ડિઝલના ભાવમાં પણ તોતિંગ વધારો થશે.. આ બધા વચ્ચે એક્ઝિટ પોલના બીજા જ દિવસે મધ્યમ પરિવારને મોંઘવારીનો ઝટકો પડ્યો છે.. અમૂલ દૂધમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.. આ ભાવ વધારાનો અમલ આજથી થઈ ગયો છે... 


ચૂંટણીમાં આ મુદ્દાઓ ઓછા ઉઠ્યા!

લોકસભા ચૂંટણીની સભાઓમાં અનેક મુદ્દાઓ ઉઠ્યા.. અનેક નિવેદનો રાજનેતાઓ દ્વારા એવા આપવામાં આવ્યા જેને કારણે આપણને થાય કે સાવ આવું તો ના બોલાય..! રાજનેતાઓ દ્વારા શું નિવેદનો આપવામાં આવ્યા તેની ચર્ચા નથી કરવી પરંતુ મોંઘવારીનો મુદ્દો જેટલો ઉઠવો જોઈતો હતો તે ના ઉઠ્યો.. મોંઘવારીની ચર્ચા જેટલી થવી જોઈએ તેટલી થઈ નહીં..સામાન્ય અને મધ્યમ પરિવારને સૌથી વધારે જો કોઈ મુદ્દો અસર કરતો હોય તો તે મોંઘવારીનો મુદ્દો છે, બેરજોગારીનો મુદ્દો છે પરંતુ આ વખતની ચૂંટણીમાં જાણે આવા મુદ્દાઓ ભૂલાઈ જ ગયા હોય તેવું લાગે..


શું ભાવ વધારા માટે રહેવું પડશે તૈયાર? 

પ્રતિદિન વપરાતી વસ્તુઓમાં કરવામાં આવતો એક બે રૂપિયાનો ભાવ વધારો ગૃહિણીના બજેટને ખોરવી દેતો હોય છે.. ચૂંટણીના પરિણામ આવ્યા બાદ મોંઘવારીનો માર સહન કરવા માટે કદાચ અનેક લોકો તૈયાર પણ હશે પરંતુ ચૂંટણીનું પરિણામ આવે તેની પહેલા જ મોંઘવારીનો એક મોટો ઝટકો મધ્યમ પરિવારને પડ્યો છે.. અમૂલ દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ભાવ ઝીંકાયો છે.. 



દૂધના ભાવ વધતા ખોરવાયું ગૃહિણીનું બજેટ! 

ના માત્ર અમૂલ ગોલ્ડમાં પરંતુ અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ દૂધના ભાવ પણ વધ્યા છે.. હવે અમૂલ ગોલ્ડ લીટરનો ભાવ 64 રૂપિયાથી વધી 66 રૂપિયા થશે...મોંઘવારી સાતમે આસમાને પહોંચી ગઈ છે જેને કારણે ગૃહિણીને ટેન્શન થઈ ગયું છે કે ઘર કેવી રીતે ચલાવવું તે?  ત્યારે આ ભાવ વધારા પણ તમારું શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો.. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.