Electionના પરિણામ પહેલા જનતાને મળી ભાવ વધારાની ભેટ! અમૂલ ગોલ્ડમાં પ્રતિ લિટરે કરાયો 2 રૂપિયાનો વધારો. આને ભાવ વધારાનું ટ્રેલર ગણવું?


  • Published By :
  • Published Date : 2024-06-03 10:55:55

જ્યાં સુધી ચૂંટણીનું પરિણામ ના આવે ત્યાં સુધી સામાન્ય રીતે એવી આશા હોય છે કે મોંઘવારીથી આંશિક રાહત મળશે.. આપણામાંથી અનેક લોકોને એવું લાગે છે કે, કદાચ માનતા પણ હશે કે ચૂંટણીના પરિણામ આવ્યા પછી મોંઘવારીનો માર સહન કરવો પડશે.. અનેક લોકો ચર્ચા પણ કરતા હશે કે પરિણામ આવ્યા બાદ ગેસ સિલિન્ડરના ભાવ વધી શકે છે, પેટ્રોલ ડિઝલના ભાવમાં પણ તોતિંગ વધારો થશે.. આ બધા વચ્ચે એક્ઝિટ પોલના બીજા જ દિવસે મધ્યમ પરિવારને મોંઘવારીનો ઝટકો પડ્યો છે.. અમૂલ દૂધમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.. આ ભાવ વધારાનો અમલ આજથી થઈ ગયો છે... 


ચૂંટણીમાં આ મુદ્દાઓ ઓછા ઉઠ્યા!

લોકસભા ચૂંટણીની સભાઓમાં અનેક મુદ્દાઓ ઉઠ્યા.. અનેક નિવેદનો રાજનેતાઓ દ્વારા એવા આપવામાં આવ્યા જેને કારણે આપણને થાય કે સાવ આવું તો ના બોલાય..! રાજનેતાઓ દ્વારા શું નિવેદનો આપવામાં આવ્યા તેની ચર્ચા નથી કરવી પરંતુ મોંઘવારીનો મુદ્દો જેટલો ઉઠવો જોઈતો હતો તે ના ઉઠ્યો.. મોંઘવારીની ચર્ચા જેટલી થવી જોઈએ તેટલી થઈ નહીં..સામાન્ય અને મધ્યમ પરિવારને સૌથી વધારે જો કોઈ મુદ્દો અસર કરતો હોય તો તે મોંઘવારીનો મુદ્દો છે, બેરજોગારીનો મુદ્દો છે પરંતુ આ વખતની ચૂંટણીમાં જાણે આવા મુદ્દાઓ ભૂલાઈ જ ગયા હોય તેવું લાગે..


શું ભાવ વધારા માટે રહેવું પડશે તૈયાર? 

પ્રતિદિન વપરાતી વસ્તુઓમાં કરવામાં આવતો એક બે રૂપિયાનો ભાવ વધારો ગૃહિણીના બજેટને ખોરવી દેતો હોય છે.. ચૂંટણીના પરિણામ આવ્યા બાદ મોંઘવારીનો માર સહન કરવા માટે કદાચ અનેક લોકો તૈયાર પણ હશે પરંતુ ચૂંટણીનું પરિણામ આવે તેની પહેલા જ મોંઘવારીનો એક મોટો ઝટકો મધ્યમ પરિવારને પડ્યો છે.. અમૂલ દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ભાવ ઝીંકાયો છે.. 



દૂધના ભાવ વધતા ખોરવાયું ગૃહિણીનું બજેટ! 

ના માત્ર અમૂલ ગોલ્ડમાં પરંતુ અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ દૂધના ભાવ પણ વધ્યા છે.. હવે અમૂલ ગોલ્ડ લીટરનો ભાવ 64 રૂપિયાથી વધી 66 રૂપિયા થશે...મોંઘવારી સાતમે આસમાને પહોંચી ગઈ છે જેને કારણે ગૃહિણીને ટેન્શન થઈ ગયું છે કે ઘર કેવી રીતે ચલાવવું તે?  ત્યારે આ ભાવ વધારા પણ તમારું શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો.. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.