Electionના પરિણામ પહેલા જનતાને મળી ભાવ વધારાની ભેટ! અમૂલ ગોલ્ડમાં પ્રતિ લિટરે કરાયો 2 રૂપિયાનો વધારો. આને ભાવ વધારાનું ટ્રેલર ગણવું?


  • Published By :
  • Published Date : 2024-06-03 10:55:55

જ્યાં સુધી ચૂંટણીનું પરિણામ ના આવે ત્યાં સુધી સામાન્ય રીતે એવી આશા હોય છે કે મોંઘવારીથી આંશિક રાહત મળશે.. આપણામાંથી અનેક લોકોને એવું લાગે છે કે, કદાચ માનતા પણ હશે કે ચૂંટણીના પરિણામ આવ્યા પછી મોંઘવારીનો માર સહન કરવો પડશે.. અનેક લોકો ચર્ચા પણ કરતા હશે કે પરિણામ આવ્યા બાદ ગેસ સિલિન્ડરના ભાવ વધી શકે છે, પેટ્રોલ ડિઝલના ભાવમાં પણ તોતિંગ વધારો થશે.. આ બધા વચ્ચે એક્ઝિટ પોલના બીજા જ દિવસે મધ્યમ પરિવારને મોંઘવારીનો ઝટકો પડ્યો છે.. અમૂલ દૂધમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.. આ ભાવ વધારાનો અમલ આજથી થઈ ગયો છે... 


ચૂંટણીમાં આ મુદ્દાઓ ઓછા ઉઠ્યા!

લોકસભા ચૂંટણીની સભાઓમાં અનેક મુદ્દાઓ ઉઠ્યા.. અનેક નિવેદનો રાજનેતાઓ દ્વારા એવા આપવામાં આવ્યા જેને કારણે આપણને થાય કે સાવ આવું તો ના બોલાય..! રાજનેતાઓ દ્વારા શું નિવેદનો આપવામાં આવ્યા તેની ચર્ચા નથી કરવી પરંતુ મોંઘવારીનો મુદ્દો જેટલો ઉઠવો જોઈતો હતો તે ના ઉઠ્યો.. મોંઘવારીની ચર્ચા જેટલી થવી જોઈએ તેટલી થઈ નહીં..સામાન્ય અને મધ્યમ પરિવારને સૌથી વધારે જો કોઈ મુદ્દો અસર કરતો હોય તો તે મોંઘવારીનો મુદ્દો છે, બેરજોગારીનો મુદ્દો છે પરંતુ આ વખતની ચૂંટણીમાં જાણે આવા મુદ્દાઓ ભૂલાઈ જ ગયા હોય તેવું લાગે..


શું ભાવ વધારા માટે રહેવું પડશે તૈયાર? 

પ્રતિદિન વપરાતી વસ્તુઓમાં કરવામાં આવતો એક બે રૂપિયાનો ભાવ વધારો ગૃહિણીના બજેટને ખોરવી દેતો હોય છે.. ચૂંટણીના પરિણામ આવ્યા બાદ મોંઘવારીનો માર સહન કરવા માટે કદાચ અનેક લોકો તૈયાર પણ હશે પરંતુ ચૂંટણીનું પરિણામ આવે તેની પહેલા જ મોંઘવારીનો એક મોટો ઝટકો મધ્યમ પરિવારને પડ્યો છે.. અમૂલ દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ભાવ ઝીંકાયો છે.. 



દૂધના ભાવ વધતા ખોરવાયું ગૃહિણીનું બજેટ! 

ના માત્ર અમૂલ ગોલ્ડમાં પરંતુ અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ દૂધના ભાવ પણ વધ્યા છે.. હવે અમૂલ ગોલ્ડ લીટરનો ભાવ 64 રૂપિયાથી વધી 66 રૂપિયા થશે...મોંઘવારી સાતમે આસમાને પહોંચી ગઈ છે જેને કારણે ગૃહિણીને ટેન્શન થઈ ગયું છે કે ઘર કેવી રીતે ચલાવવું તે?  ત્યારે આ ભાવ વધારા પણ તમારું શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો.. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.