Electionના પરિણામ પહેલા જનતાને મળી ભાવ વધારાની ભેટ! અમૂલ ગોલ્ડમાં પ્રતિ લિટરે કરાયો 2 રૂપિયાનો વધારો. આને ભાવ વધારાનું ટ્રેલર ગણવું?


  • Published By :
  • Published Date : 2024-06-03 10:55:55

જ્યાં સુધી ચૂંટણીનું પરિણામ ના આવે ત્યાં સુધી સામાન્ય રીતે એવી આશા હોય છે કે મોંઘવારીથી આંશિક રાહત મળશે.. આપણામાંથી અનેક લોકોને એવું લાગે છે કે, કદાચ માનતા પણ હશે કે ચૂંટણીના પરિણામ આવ્યા પછી મોંઘવારીનો માર સહન કરવો પડશે.. અનેક લોકો ચર્ચા પણ કરતા હશે કે પરિણામ આવ્યા બાદ ગેસ સિલિન્ડરના ભાવ વધી શકે છે, પેટ્રોલ ડિઝલના ભાવમાં પણ તોતિંગ વધારો થશે.. આ બધા વચ્ચે એક્ઝિટ પોલના બીજા જ દિવસે મધ્યમ પરિવારને મોંઘવારીનો ઝટકો પડ્યો છે.. અમૂલ દૂધમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.. આ ભાવ વધારાનો અમલ આજથી થઈ ગયો છે... 


ચૂંટણીમાં આ મુદ્દાઓ ઓછા ઉઠ્યા!

લોકસભા ચૂંટણીની સભાઓમાં અનેક મુદ્દાઓ ઉઠ્યા.. અનેક નિવેદનો રાજનેતાઓ દ્વારા એવા આપવામાં આવ્યા જેને કારણે આપણને થાય કે સાવ આવું તો ના બોલાય..! રાજનેતાઓ દ્વારા શું નિવેદનો આપવામાં આવ્યા તેની ચર્ચા નથી કરવી પરંતુ મોંઘવારીનો મુદ્દો જેટલો ઉઠવો જોઈતો હતો તે ના ઉઠ્યો.. મોંઘવારીની ચર્ચા જેટલી થવી જોઈએ તેટલી થઈ નહીં..સામાન્ય અને મધ્યમ પરિવારને સૌથી વધારે જો કોઈ મુદ્દો અસર કરતો હોય તો તે મોંઘવારીનો મુદ્દો છે, બેરજોગારીનો મુદ્દો છે પરંતુ આ વખતની ચૂંટણીમાં જાણે આવા મુદ્દાઓ ભૂલાઈ જ ગયા હોય તેવું લાગે..


શું ભાવ વધારા માટે રહેવું પડશે તૈયાર? 

પ્રતિદિન વપરાતી વસ્તુઓમાં કરવામાં આવતો એક બે રૂપિયાનો ભાવ વધારો ગૃહિણીના બજેટને ખોરવી દેતો હોય છે.. ચૂંટણીના પરિણામ આવ્યા બાદ મોંઘવારીનો માર સહન કરવા માટે કદાચ અનેક લોકો તૈયાર પણ હશે પરંતુ ચૂંટણીનું પરિણામ આવે તેની પહેલા જ મોંઘવારીનો એક મોટો ઝટકો મધ્યમ પરિવારને પડ્યો છે.. અમૂલ દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ભાવ ઝીંકાયો છે.. 



દૂધના ભાવ વધતા ખોરવાયું ગૃહિણીનું બજેટ! 

ના માત્ર અમૂલ ગોલ્ડમાં પરંતુ અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ દૂધના ભાવ પણ વધ્યા છે.. હવે અમૂલ ગોલ્ડ લીટરનો ભાવ 64 રૂપિયાથી વધી 66 રૂપિયા થશે...મોંઘવારી સાતમે આસમાને પહોંચી ગઈ છે જેને કારણે ગૃહિણીને ટેન્શન થઈ ગયું છે કે ઘર કેવી રીતે ચલાવવું તે?  ત્યારે આ ભાવ વધારા પણ તમારું શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો.. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી