Rajasthanમાં 6 સ્ટાર પ્રચારકોએ કરેલી સભાઓનો જનતા આપશે જવાબ!


  • Published By :
  • Published Date : 2023-12-03 10:08:04

રાજસ્થાનમાં એવો ટ્રેન્ડ હોય છે જે કે દર પાંચ વર્ષે રાજસ્થાનની જનતા સત્તામાં પરિવર્તન લાવે છે. એક વખત ભાજપ આવે છે, એક વખતે કોંગ્રેસ. આ વર્ષોથી ચાલ્યું આવે છે. આ વખતે ભાજપ આવશે તો પરંપરા જળવાશે અને કોંગ્રેસ રિપિટ થશે તો ઈતિહાસ રચાશે. આ જાણવામાં પણ સૌ કોઈને રસ છે.

અનેક દિગ્ગજ નેતાઓએ ગજવી છે સભા 

પાંચ રાજ્યો માટે વિધાનસભાની ચૂંટણી યોજાઈ. આજે ચાર રાજ્યો માટે મતગણતરી ચાલી રહી છે. રૂઝાનમાં કોઈ વખત ભાજપ આગળ વધે છે તો કોઈ વખત કોંગ્રેસ આગળ વધે છે. મતદાતાઓને રિઝવવા માટે રાજકીય પાર્ટીઓએ એડીચોટીનું જોર  લગાવ્યું છે. ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળ્યો હતો. રાજસ્થાનમાં 9 ઓક્ટોબરથી 23 નવેમ્બર સુધીના 46 દિવસના પ્રચારમાં બંને પક્ષોના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી સભાઓ, રેલીઓ અને રોડ શોમાં પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી. આજે રાજસ્થાનની જનતા આ સભાઓ અને રોડશોનો હિસાબ આપશે.


શું રાજસ્થાનમાં ભાજપ રચશે ઈતિહાસ?

રાજસ્થાનમાં લોકો રાહ જોઈને બેઠા છે કે રોટી પલટાશે કે નહિ કારણ કે અહીં દર પાંચ વર્ષે સત્તા બદલાઈ જતી હોય છે. MPમાં BJP રુઝાનોમાં બહુમત જોવા મળી રહી તો, છત્તીસગઢમાં બઘેલની સરકાર બનશે તેવું રૂઝાન જોઈને લાગી રહી રહ્યું છે જ્યારે રાજસ્થાનમાં બંને પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.