Rajasthanમાં 6 સ્ટાર પ્રચારકોએ કરેલી સભાઓનો જનતા આપશે જવાબ!


  • Published By :
  • Published Date : 2023-12-03 10:08:04

રાજસ્થાનમાં એવો ટ્રેન્ડ હોય છે જે કે દર પાંચ વર્ષે રાજસ્થાનની જનતા સત્તામાં પરિવર્તન લાવે છે. એક વખત ભાજપ આવે છે, એક વખતે કોંગ્રેસ. આ વર્ષોથી ચાલ્યું આવે છે. આ વખતે ભાજપ આવશે તો પરંપરા જળવાશે અને કોંગ્રેસ રિપિટ થશે તો ઈતિહાસ રચાશે. આ જાણવામાં પણ સૌ કોઈને રસ છે.

અનેક દિગ્ગજ નેતાઓએ ગજવી છે સભા 

પાંચ રાજ્યો માટે વિધાનસભાની ચૂંટણી યોજાઈ. આજે ચાર રાજ્યો માટે મતગણતરી ચાલી રહી છે. રૂઝાનમાં કોઈ વખત ભાજપ આગળ વધે છે તો કોઈ વખત કોંગ્રેસ આગળ વધે છે. મતદાતાઓને રિઝવવા માટે રાજકીય પાર્ટીઓએ એડીચોટીનું જોર  લગાવ્યું છે. ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળ્યો હતો. રાજસ્થાનમાં 9 ઓક્ટોબરથી 23 નવેમ્બર સુધીના 46 દિવસના પ્રચારમાં બંને પક્ષોના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી સભાઓ, રેલીઓ અને રોડ શોમાં પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી. આજે રાજસ્થાનની જનતા આ સભાઓ અને રોડશોનો હિસાબ આપશે.


શું રાજસ્થાનમાં ભાજપ રચશે ઈતિહાસ?

રાજસ્થાનમાં લોકો રાહ જોઈને બેઠા છે કે રોટી પલટાશે કે નહિ કારણ કે અહીં દર પાંચ વર્ષે સત્તા બદલાઈ જતી હોય છે. MPમાં BJP રુઝાનોમાં બહુમત જોવા મળી રહી તો, છત્તીસગઢમાં બઘેલની સરકાર બનશે તેવું રૂઝાન જોઈને લાગી રહી રહ્યું છે જ્યારે રાજસ્થાનમાં બંને પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.