Rajasthanમાં 6 સ્ટાર પ્રચારકોએ કરેલી સભાઓનો જનતા આપશે જવાબ!


  • Published By :
  • Published Date : 2023-12-03 10:08:04

રાજસ્થાનમાં એવો ટ્રેન્ડ હોય છે જે કે દર પાંચ વર્ષે રાજસ્થાનની જનતા સત્તામાં પરિવર્તન લાવે છે. એક વખત ભાજપ આવે છે, એક વખતે કોંગ્રેસ. આ વર્ષોથી ચાલ્યું આવે છે. આ વખતે ભાજપ આવશે તો પરંપરા જળવાશે અને કોંગ્રેસ રિપિટ થશે તો ઈતિહાસ રચાશે. આ જાણવામાં પણ સૌ કોઈને રસ છે.

અનેક દિગ્ગજ નેતાઓએ ગજવી છે સભા 

પાંચ રાજ્યો માટે વિધાનસભાની ચૂંટણી યોજાઈ. આજે ચાર રાજ્યો માટે મતગણતરી ચાલી રહી છે. રૂઝાનમાં કોઈ વખત ભાજપ આગળ વધે છે તો કોઈ વખત કોંગ્રેસ આગળ વધે છે. મતદાતાઓને રિઝવવા માટે રાજકીય પાર્ટીઓએ એડીચોટીનું જોર  લગાવ્યું છે. ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળ્યો હતો. રાજસ્થાનમાં 9 ઓક્ટોબરથી 23 નવેમ્બર સુધીના 46 દિવસના પ્રચારમાં બંને પક્ષોના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી સભાઓ, રેલીઓ અને રોડ શોમાં પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી. આજે રાજસ્થાનની જનતા આ સભાઓ અને રોડશોનો હિસાબ આપશે.


શું રાજસ્થાનમાં ભાજપ રચશે ઈતિહાસ?

રાજસ્થાનમાં લોકો રાહ જોઈને બેઠા છે કે રોટી પલટાશે કે નહિ કારણ કે અહીં દર પાંચ વર્ષે સત્તા બદલાઈ જતી હોય છે. MPમાં BJP રુઝાનોમાં બહુમત જોવા મળી રહી તો, છત્તીસગઢમાં બઘેલની સરકાર બનશે તેવું રૂઝાન જોઈને લાગી રહી રહ્યું છે જ્યારે રાજસ્થાનમાં બંને પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.