વરસાદે ખેડૂતોને રડાવ્યા! પાક નુકસાનીને લઈ ધારાસભ્યોએ લખ્યો પત્ર, સરકાર ક્યારે કરશે સહાય?


  • Published By :
  • Published Date : 2024-10-18 13:48:31

વરસાદની પ્રતિક્ષા જગતના તાતને સૌથી વધારે હોય છે.. પરંતુ તે વરસાદ જ્યારે વધારે આવે તો? ગુજરાતમાં પડેલા વરસાદને કારણે અતિવૃષ્ટિ થઈ છે... અતિવૃષ્ટિ થવાને કારણે સૌથી વધારે નુકસાન ભોગવવાનો વારો ખેડૂતોને આવ્યો છે.. ખેડૂતોને વરસાદને કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.. જગતના તાતની સ્થિતિ દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે.. સરકાર ક્યારે સહાયની જાહેરાત કરે તેની પ્રતિક્ષા કરી રહ્યા છે.. આ બધા વચ્ચે ખેડૂતો માટે થઈ ભાજપના ધારાસભ્યો કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી રહ્યા છે. 

ભાજપના ધારાસભ્યોએ લખ્યો પત્ર

ધારાસભ્યને જન પ્રતિનિધી કહેવામાં આવે છે.. ત્યારે ખેડૂતોને થયેલા નુકસાનને લઈ અમરેલીના ધારાસભ્ય મહેશ કસવાલાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે... સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે... ઉપરાંત લીલો દુષ્કાળ પણ જાહેર કરવામાં આવે તેવો ઉલ્લેખ તેમણે તેમના પત્રમાં કર્યો છે..તે સિવાય ભાજપના જે.વી.કાકડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.. મહત્વનું છે કે નવરાત્રીના સમયે પણ આવેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે..


જગતના તાતનું ક્યારે સાંભળશે સરકાર? 

મહત્વનું છે કે લીલા દુષ્કાળને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે.. મહેનતથી ઉભો કરેલો પાક જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે તેમને રડવાનો વારો આવે છે.. ભારતનો મોટા ભાગનું અર્થતંત્ર ખેતી પર નભેલું છે.. ત્યારે જોવું રહ્યું કે સરકાર ક્યારે સર્વે કરાવે છે અને ક્યારે સરકાર પૈસા આપે છે તે જોવું રહ્યું..        



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.