વરસાદે ખેડૂતોને રડાવ્યા! પાક નુકસાનીને લઈ ધારાસભ્યોએ લખ્યો પત્ર, સરકાર ક્યારે કરશે સહાય?


  • Published By :
  • Published Date : 2024-10-18 13:48:31

વરસાદની પ્રતિક્ષા જગતના તાતને સૌથી વધારે હોય છે.. પરંતુ તે વરસાદ જ્યારે વધારે આવે તો? ગુજરાતમાં પડેલા વરસાદને કારણે અતિવૃષ્ટિ થઈ છે... અતિવૃષ્ટિ થવાને કારણે સૌથી વધારે નુકસાન ભોગવવાનો વારો ખેડૂતોને આવ્યો છે.. ખેડૂતોને વરસાદને કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.. જગતના તાતની સ્થિતિ દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે.. સરકાર ક્યારે સહાયની જાહેરાત કરે તેની પ્રતિક્ષા કરી રહ્યા છે.. આ બધા વચ્ચે ખેડૂતો માટે થઈ ભાજપના ધારાસભ્યો કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી રહ્યા છે. 

ભાજપના ધારાસભ્યોએ લખ્યો પત્ર

ધારાસભ્યને જન પ્રતિનિધી કહેવામાં આવે છે.. ત્યારે ખેડૂતોને થયેલા નુકસાનને લઈ અમરેલીના ધારાસભ્ય મહેશ કસવાલાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે... સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે... ઉપરાંત લીલો દુષ્કાળ પણ જાહેર કરવામાં આવે તેવો ઉલ્લેખ તેમણે તેમના પત્રમાં કર્યો છે..તે સિવાય ભાજપના જે.વી.કાકડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.. મહત્વનું છે કે નવરાત્રીના સમયે પણ આવેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે..


જગતના તાતનું ક્યારે સાંભળશે સરકાર? 

મહત્વનું છે કે લીલા દુષ્કાળને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે.. મહેનતથી ઉભો કરેલો પાક જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે તેમને રડવાનો વારો આવે છે.. ભારતનો મોટા ભાગનું અર્થતંત્ર ખેતી પર નભેલું છે.. ત્યારે જોવું રહ્યું કે સરકાર ક્યારે સર્વે કરાવે છે અને ક્યારે સરકાર પૈસા આપે છે તે જોવું રહ્યું..        



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."