વરસાદે ખેડૂતોને રડાવ્યા! પાક નુકસાનીને લઈ ધારાસભ્યોએ લખ્યો પત્ર, સરકાર ક્યારે કરશે સહાય?


  • Published By :
  • Published Date : 2024-10-18 13:48:31

વરસાદની પ્રતિક્ષા જગતના તાતને સૌથી વધારે હોય છે.. પરંતુ તે વરસાદ જ્યારે વધારે આવે તો? ગુજરાતમાં પડેલા વરસાદને કારણે અતિવૃષ્ટિ થઈ છે... અતિવૃષ્ટિ થવાને કારણે સૌથી વધારે નુકસાન ભોગવવાનો વારો ખેડૂતોને આવ્યો છે.. ખેડૂતોને વરસાદને કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.. જગતના તાતની સ્થિતિ દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે.. સરકાર ક્યારે સહાયની જાહેરાત કરે તેની પ્રતિક્ષા કરી રહ્યા છે.. આ બધા વચ્ચે ખેડૂતો માટે થઈ ભાજપના ધારાસભ્યો કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી રહ્યા છે. 

ભાજપના ધારાસભ્યોએ લખ્યો પત્ર

ધારાસભ્યને જન પ્રતિનિધી કહેવામાં આવે છે.. ત્યારે ખેડૂતોને થયેલા નુકસાનને લઈ અમરેલીના ધારાસભ્ય મહેશ કસવાલાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે... સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે... ઉપરાંત લીલો દુષ્કાળ પણ જાહેર કરવામાં આવે તેવો ઉલ્લેખ તેમણે તેમના પત્રમાં કર્યો છે..તે સિવાય ભાજપના જે.વી.કાકડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.. મહત્વનું છે કે નવરાત્રીના સમયે પણ આવેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે..


જગતના તાતનું ક્યારે સાંભળશે સરકાર? 

મહત્વનું છે કે લીલા દુષ્કાળને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે.. મહેનતથી ઉભો કરેલો પાક જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે તેમને રડવાનો વારો આવે છે.. ભારતનો મોટા ભાગનું અર્થતંત્ર ખેતી પર નભેલું છે.. ત્યારે જોવું રહ્યું કે સરકાર ક્યારે સર્વે કરાવે છે અને ક્યારે સરકાર પૈસા આપે છે તે જોવું રહ્યું..        



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .