જતા જતા વરસાદ Gujaratને ઘમરોળશે! આ વિસ્તારોમાં આવી શકે છે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગ અને Paresh Goswamiની શું કહે છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-09-24 13:14:25

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે.. અસહ્ય ગરમી અને ઉકળાટને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. થોડા દિવસો માટે વરસાદે વિરામ લીધો હતો પરંતુ ફરીથી વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળવાની છે.. ચોમાસાના વિદાયની શરૂઆત ધીરે ધીરે શરૂ થઈ ગઈ છે પરંતુ જતી વખતે ચોમાસું ભુક્કા બોલાવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહી છે.... બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ ફરી જામશે.. આવનાર દિવસોમાં અનેક જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે..


આ તારીખો દરમિયાન અહીંયા વરસાદ વરસી શકે છે

વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અનેક વિસ્તારો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી તેમજ દમણ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજ માટે એટલે કે 24 તારીખ માટે... 25 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો સુરત, તાપી, ડાંગ, નવસારી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 26 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, ભરૂચ, નર્મદા, તાપી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે નવસારી, વલસાડ. દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 


આ વિસ્તારો માટે આપવામાં આવ્યું યલો એલર્ટ!

27 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમદાવાદ, બોટાદ, આણંદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ,તાપી, દમણ તેમજ દાદરા નગર હવેલી નમાટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  28 તારીખ માટે આપવામાં આવેલી આગાહીની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ,ખેડા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે..


શું કહે છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી?

ના માત્ર હવામાન વિભાગે પરંતુ હવામાન નિષ્ણાત દ્વારા પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ આવવાની શક્યતા છે. વરસાદના નવા રાઉન્ડની શક્યતા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર ગુજરાતમાં 24થી 30 સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો એક રાઉન્ડ જોવા મળશે. આ દરમિયાન સામાન્યથી મધ્યમ અને એક-બે જગ્યાએ ભારે વરસાદ જોવા મળશે. 26 તારીખ બાદ  ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 


અતિભારે વરસાદ વરસવાની કરી આગાહી

વધુમાં તેમણે જણાવ્યું કે ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહ્વા સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ત્રણથી લઇને 4-5 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે. આનાથી પણ વધારે વરસાદ અનેક સ્થળો પર પડી શકે છે. મહત્વનું છે કે આ વર્ષનું ચોમાસું થોડું લાંબુ માનવામાં આવ્યું હતું.. ત્યારે તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 

  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.