જતા જતા વરસાદ Gujaratને ઘમરોળશે! આ વિસ્તારોમાં આવી શકે છે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગ અને Paresh Goswamiની શું કહે છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-09-24 13:14:25

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે.. અસહ્ય ગરમી અને ઉકળાટને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. થોડા દિવસો માટે વરસાદે વિરામ લીધો હતો પરંતુ ફરીથી વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળવાની છે.. ચોમાસાના વિદાયની શરૂઆત ધીરે ધીરે શરૂ થઈ ગઈ છે પરંતુ જતી વખતે ચોમાસું ભુક્કા બોલાવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહી છે.... બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ ફરી જામશે.. આવનાર દિવસોમાં અનેક જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે..


આ તારીખો દરમિયાન અહીંયા વરસાદ વરસી શકે છે

વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અનેક વિસ્તારો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી તેમજ દમણ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજ માટે એટલે કે 24 તારીખ માટે... 25 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો સુરત, તાપી, ડાંગ, નવસારી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 26 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, ભરૂચ, નર્મદા, તાપી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે નવસારી, વલસાડ. દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 


આ વિસ્તારો માટે આપવામાં આવ્યું યલો એલર્ટ!

27 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમદાવાદ, બોટાદ, આણંદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ,તાપી, દમણ તેમજ દાદરા નગર હવેલી નમાટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  28 તારીખ માટે આપવામાં આવેલી આગાહીની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ,ખેડા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે..


શું કહે છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી?

ના માત્ર હવામાન વિભાગે પરંતુ હવામાન નિષ્ણાત દ્વારા પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ આવવાની શક્યતા છે. વરસાદના નવા રાઉન્ડની શક્યતા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર ગુજરાતમાં 24થી 30 સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો એક રાઉન્ડ જોવા મળશે. આ દરમિયાન સામાન્યથી મધ્યમ અને એક-બે જગ્યાએ ભારે વરસાદ જોવા મળશે. 26 તારીખ બાદ  ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 


અતિભારે વરસાદ વરસવાની કરી આગાહી

વધુમાં તેમણે જણાવ્યું કે ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહ્વા સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ત્રણથી લઇને 4-5 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે. આનાથી પણ વધારે વરસાદ અનેક સ્થળો પર પડી શકે છે. મહત્વનું છે કે આ વર્ષનું ચોમાસું થોડું લાંબુ માનવામાં આવ્યું હતું.. ત્યારે તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 

  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.