જતા જતા વરસાદ Gujaratને ઘમરોળશે! આ વિસ્તારોમાં આવી શકે છે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગ અને Paresh Goswamiની શું કહે છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-09-24 13:14:25

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે.. અસહ્ય ગરમી અને ઉકળાટને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. થોડા દિવસો માટે વરસાદે વિરામ લીધો હતો પરંતુ ફરીથી વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળવાની છે.. ચોમાસાના વિદાયની શરૂઆત ધીરે ધીરે શરૂ થઈ ગઈ છે પરંતુ જતી વખતે ચોમાસું ભુક્કા બોલાવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહી છે.... બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ ફરી જામશે.. આવનાર દિવસોમાં અનેક જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે..


આ તારીખો દરમિયાન અહીંયા વરસાદ વરસી શકે છે

વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અનેક વિસ્તારો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી તેમજ દમણ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજ માટે એટલે કે 24 તારીખ માટે... 25 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો સુરત, તાપી, ડાંગ, નવસારી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 26 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, ભરૂચ, નર્મદા, તાપી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે નવસારી, વલસાડ. દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 


આ વિસ્તારો માટે આપવામાં આવ્યું યલો એલર્ટ!

27 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમદાવાદ, બોટાદ, આણંદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ,તાપી, દમણ તેમજ દાદરા નગર હવેલી નમાટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  28 તારીખ માટે આપવામાં આવેલી આગાહીની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ,ખેડા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે..


શું કહે છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી?

ના માત્ર હવામાન વિભાગે પરંતુ હવામાન નિષ્ણાત દ્વારા પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ આવવાની શક્યતા છે. વરસાદના નવા રાઉન્ડની શક્યતા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર ગુજરાતમાં 24થી 30 સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો એક રાઉન્ડ જોવા મળશે. આ દરમિયાન સામાન્યથી મધ્યમ અને એક-બે જગ્યાએ ભારે વરસાદ જોવા મળશે. 26 તારીખ બાદ  ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 


અતિભારે વરસાદ વરસવાની કરી આગાહી

વધુમાં તેમણે જણાવ્યું કે ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહ્વા સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ત્રણથી લઇને 4-5 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે. આનાથી પણ વધારે વરસાદ અનેક સ્થળો પર પડી શકે છે. મહત્વનું છે કે આ વર્ષનું ચોમાસું થોડું લાંબુ માનવામાં આવ્યું હતું.. ત્યારે તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 

  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.