ગાંધીનગરમાં ચાલી રહેલા આંદોલનો મામલે ગૃહ રાજ્યમંત્રીની પ્રતિક્રિયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 17:50:47

માજી સૈનિકોના આંદોલન મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું . સરકાર દ્વારા સૈનિકોના હિતમાં અનેક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. દેશના પૂર્વ સૈનિકો સાથે બેઠકો કરી કયા પ્રશ્નો તાત્કાલિક ઉકેલાય તેમ છે અને કયા પ્રશ્નો સમય માંગી લે તેવા છે એ તમામ બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને એ પ્રમાણે નિર્ણયો પણ કરવામાં આવ્યા છે. વધુમાં ધરણા પર બેઠેલા પૂર્વ સૈનિકોની તમામ વ્યવસ્થા પણ ગુજરાત પોલીસ દ્વારા કરવામા આવી છે.  વધુમાં પૂર્વ સૈનિકો સાથે આજે સાંજે ફરી બેઠક છે અને પૂર્વ સૈનિકો સાથે રાજકારણ કરવું એ હું યોગ્ય નથી માનતો તેમ હર્ષ સંઘવી જણાવ્યું હતું.


"દરેક વિષય પર સરકારી કર્મચારી જોડે છીએ"- હર્ષ સંઘવી 

અને હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સરકાર દરેક વિષય પર સરકારી કર્મચારી જોડે છે અને તેમની અપેક્ષા કરતાં પણ વધુ 25 જેટલા વિષયો પર સરકાર સમાધાન લાવ્યા છે અને દેશમાં અનેક રાજ્યોમાં હજુ છઠ્ઠા પગારપંચ પ્રમાણે પગાર ચૂકવવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં 7માં પગારપંચ પ્રમાણે 9 લાખ કર્મચારીને લાભ મળી રહ્યો હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.


કોંગ્રેસના આક્ષેપ પર સંઘવીના જવાબ 

બીજી તરફ જગદીશ ઠાકોરના નિવેદન  પર હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી હતી. હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર કોંગ્રેસે ક્યારેય કાંઈ સારૂં કામ કર્યું નથી. કોંગ્રેસે ભાગલા પાડવા સિવાય બીજુ કાંઇ કામ કર્યું જ નથી. હાલ ચૂંટણી નજીક આવી રહી છે. એટલે કોંગ્રેસના નેતા બોલશે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .