Gujaratના અનેક વિસ્તારોમાં ફાફડા-જલેબી બનાવતા વેપારીઓને ત્યાં આરોગ્ય અને ફૂડ વિભાગના દરોડા, આટલા દિવસો બાદ આવે છે રિપોર્ટ!


  • Published By :
  • Published Date : 2023-10-23 16:35:07

થોડા દિવસો બાદ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. દિવાળી સમયે લોકો બહારથી ખાણીપીણીની વસ્તુઓ લાવતા હોય છે. તે પહેલા આવતી કાલે દશેરાનો પર્વ છે. દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનો રિવાજ આપણે ત્યાં છે. દશેરાના દિવસે જ્યાં સુધી ફાફડા જલેબી ન ખઈએ ત્યાં સુધી તહેવારની ઉજવણી અધૂરી હોય તેવું લાગે. ત્યારે દશેરા પહેલા અનેક જગ્યાઓ પર આરોગ્ય તેમજ ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે. ફાફડા જલેબી બનાવવા વાળી દુકાનો પર ચેકિંગ કરવામાં આવે છે અને ખાદ્યપદાર્થનો નમુનો લેવામાં આવે છે. 

સુરતમાં દશેરાના ફાફડા જલેબી વેચાય તે પહેલા આરોગ્ય વિભાગના દરોડા | health  department raids ahead of sale of dussehra fafda jalebis in surat


તહેવાર દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા કરાય છે ચેકિંગ 

દશેરાની ઉજવણી ફાફડા જલેબી ખાઈને લોકો કરતા હોય છે. દશેરાના દિવસે કરોડોના ફાફડા જલેબી લોકો ખાતા હોય છે. પરંતુ તેહવાર નજીક આવતા અથવા તો તહેવારના દિવસો દરમિયાન લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય છે. ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે. એવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જે શરીર માટે નુકસાનકારક હોય. ત્યારે દશેરા નજીક આવતા અલગ અલગ જગ્યાઓથી સેમ્પલ લેવામાં આવે છે તે જોવા કે જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે આરોગ્ય માટે હાનીકારક તો નથી ને. આ વખતે પણ ખાદ્યપદાર્થોના નમુના લેવામાં આવ્યા તે સારૂં કહેવાય પરંતુ તેનો રિપોર્ટ તહેવાર પૂર્ણ થયાના અનેક દિવસો બાદ આવશે. 

સુરતમાં દશેરાના ફાફડા જલેબી વેચાય તે પહેલા આરોગ્ય વિભાગના દરોડા | health  department raids ahead of sale of dussehra fafda jalebis in surat

સુરતમાં આરોગ્ય વિભાગની ટીમે પાડ્યા ફરસાણની દુકાનો પર દરોડા!

થોડા દિવસો પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોરર્પોરેશન દ્વારા ફાફડા-જલેબી બનાવતી દુકાનો પર ચેકિંગ હાથ ધરાયું હતું.સુરત ખાતે પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અલગ અલગ ટીમો બનાવી ફરસાણ બનાવતી દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.  તે ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાં આવા તહેવારના સમયે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે. જો રિપોર્ટમાં ફૂડ સેમ્પલ ફેઈલ જાય તો બાદ તે દુકાનદાર વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.     

Now In Dussehra You Will Have To Eat Fafda-jalebi Expensively, Know How  Much The Price Has Increased? | હવે દશેરામાં ફાફડા-જલેબી ખાવા પડશે મોંઘા,  જાણો ભાવમાં કેટલો ઝીંકાયો વધારો?

ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવે છે ખાદ્યપદાર્થ

 ફાફડા બનાવવામાં કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, જે ખાદ્યપદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે તે માટે શરીર માટે હાનિકારક નથી તે જાણવા માટે ચેકિંગ કરવામાં આવે છે. જે તેલમાં વારંવાર ફાફડા બનાવવામાં આવે છે તે તેલની ગુણવત્તા કેવી છે તેનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. ખાસ મશીન દ્વારા તેલનું  ટોટલ  પોલાર કાઉન્ટ ચેક કરવામાં આવ્યા હતા. મશીન દ્વારા બતાવવામાં આવે છે કે તેલ સારૂ છે કે ખરાબ પરંતુ જલેબી બનાવવામાં વપરાતું ઘી સારી ક્વોલિટીનું છે કે નહીં તે જાણવા લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવું પડે છે. 


અનેક દિવસો બાદ ટેસ્ટિંગ અંગેનો આવે છે રિપોર્ટ 

ફાફડા જલેબીના સેમ્પલો લઈ તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવે છે અને રિપોર્ટની રાહ જોવાય છે કારણ કે એ રિપોર્ટ અંદાજીત અઠવાડિયા અથવા તો 15 દિવસ બાદ આવે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે જ્યાં સુધી રિપોર્ટ આવે છે ત્યાં સુધી તો ફાફડા જલેબી લોકોએ ખાઈ પણ લીધા હોય છે. મહત્વનું છે કે અંબાજીમાં ભાદરવી પૂનમે આપવામાં આવેલા પ્રસાદ વખતે પણ આવું જ થયું હતું. લાખો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો તે બાદ રિપોર્ટ આવ્યો જેમાં ઘીના સેમ્પલ ફેઈલ થયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારે આ વખતે આવું જ કંઈ થઈ શકે છે તેવું લાગી રહ્યું છે...! 




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.