વિશ્વ અસમાનતા લેબના રિપોર્ટે દાવો કર્યો ભારતમાં વધી આર્થિક અસમાનતા! દેશની 40 ટકા સંપત્તિ 1 ટકા અમીરોની પાસે...! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-03-22 18:47:11

આપણે અનેક વખત કહેતા હોઈએ છીએ કે ગરીબ વધારે ગરીબ બનતો જઈ રહ્યો છે અને અમીર વધારે અમીર બની રહ્યો છે...! આર્થિક અસમાનતા દેશમાં સતત વધતી જઈ રહી છે. ભારત દેશના અર્થતંત્રની  વાત કરીએ તો દેશની 40 ટકા સંપત્તિ પર 1 ટકા અમીરોનો કબજો છે. એટલે કે રાષ્ટ્રીય સંપત્તિના 40 ટકા દેશના એક ટકા અમીરો પાસે છે. આ અમે નથી કહી રહ્યા આવો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે જે અર્થશાસ્ત્રીઓ નીતિન કુમાર તિવા, લુકાસ ચાન્સેલ, થોમસ પિકેટી અને અનમોલ સોમાંચી દ્વારા કરવામાં આવ્યો છે. 



દેશની 40 ટકા સંપત્તિ માત્ર એક 1 ટકા લોકો પાસે!

ભારતના અર્થતંત્રને આપણે ઉંચાઈ પર પહોંચાડવાની વાતો કરી રહ્યા છીએ. ભારતને વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની વાતો કરી રહ્યા છીએ અને  રેસમાં આગળ પણ વધી રહ્યા છીએ પરંતુ આ બધામાં દેશમાં રહેતો ગરીબ પરિવાર ભૂલાઈ રહ્યો છે. દેશમાં અમીરો અને ગરીબોની વચ્ચે પડેલી અસમનતા ઘટવાને બદલે સતત વધી રહી છે. આ ખાઈ વધારેને વધારે ઉંડી થઈ રહી છે. આ વાત અમે એક રિપોર્ટના આધાર પર કરી રહ્યા છીએ. વર્લ્ડ ઈનઈક્વાલિટી લૈબનો એક રિપોર્ટ આવ્યો છે જે ચોંકાવનારો છે. દેશની 40 ટકા જેટલી સંપત્તિ 1 ટકા અમીરો પાસે છે. 40 ટકા સંપત્તિ માત્ર એક ટકા લોકો પાસે હોવાને કારણે આર્થિક અસમાનતા વધી ગઈ છે. પહેલાના સમયમાં પણ આ અસમાનતા હતી પરંતુ આ હદ સુધી ન હતી. 


ભારતના અમીરોએ તોડ્યો રેકોર્ડ! 

જે વાત અહીં કરવામાં આવી રહી છે તે અંગેનો દાવો વર્લ્ડ ઈનઈક્વાલિટી લૈબ દ્વારા કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના સૌથી અમીર એક 1 ટકામાં આવતા લોકોની આવકમાં ભાગીદારી 22.6 ટકા છે. આ આંકડો 1922 પછીનો સૌથી મોટો આંકડો છે. જ્યારે દેશના 50 ટકા લોકો માત્ર 15 ટકાની જ ભાગીદારી ભજવે છે. ભારતના અમીરોએ વિશ્વના વિકસીત મનાતા દેશોને પણ પાછળ છોડી દીધા છે. ભારતના ધનિક લોકોએ અમેરિકા સહિત વિકસીત દેશોના ધનિકોને પાછળ છોડી દીધા છે. ભારતમાં હાલ જોવા મળી રહેલી અસમાનતા અંગ્રેજોના સમય કરતા પણ વધારે છે.   



એક સમય હતો જ્યારે અમીરો અને ગરીબો વચ્ચેનો તફાવત ઘટ્યો હતો પરંતુ... 

આ અંગે ડિટેલમાં વાત કરીએ તો ભારતમાં આવક અને સંપત્તિની અસમાનતા વધતી ગઈ છે. 1922-2023: ધ રાઇઝ ઓફ ધ બિલિયોનેર રાજના શીર્ષક હેઠળના વિશ્વ અસમાનતા લેબના અહેવાલ મુજબ  ભારતમાં આઝાદી પછી, 1980 ના દાયકાની શરૂઆત સુધી અમીર અને ગરીબ વચ્ચે આવક અને સંપત્તિના તફાવતમાં ઘટાડો થયો હતો, પરંતુ 2000 ના દાયકામાં તે વધી ગયો. રિપોર્ટ અનુસાર, આવકની અસમાનતા 2014-15 અને 2022-23 વચ્ચે સૌથી ઝડપથી વધી છે. 



 સરકાર દ્વારા લાવવમાં આવતી નીતિનો ફાયદો માત્ર અમીરોને થાય છે!

ભારતમાં ફેલાયેલી અસમાનતાને કારણે આ આંકડો ઘટવાની બદલીમાં વધી રહ્યો છે. અનેક કારણોને આની પાછળ જવાબદાર માનવામાં આવી રહ્યા છે. રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો કે દેશમાં થયેલા આર્થિક સુધારાને કારણે અને ઉદારીકરણથી સૌથી વધારે ફાયદો દેશના અમીરોને થયો છે. જ્યારે આ નીતિનો લાભ મધ્યમ અને ગરીબ લોકોને નથી થયો. આર્થિક અસમાનતા ના માત્ર ભારતમાં પરંતુ વિશ્વના અનેક દેશો આનો સામનો કરી રહ્યા છે. દેશોની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકા, બ્રાજીલ અને અમેરિકામાં વધારે જોવા મળી રહ્યો છે. 


રિપોર્ટમાં શું કરાયો છે દાવો? 

રાષ્ટ્રીય સંપત્તિમાં જ નહીં પરંતુ રાષ્ટ્રની આવકમાં પણ આ ખાડો વધારે છે. ભારતમાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ સૌથી વધારે છે. રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો કે 2014-2015થી લઈ 2022-2023 વચ્ચે આવકમાં અસમાનતા વધારે જોવા મળી છે. આ સમયગાળા દરમિયાન અસમાનતા સૌથી વધારે વધી છે. આની પાછળ ટેક્શેશન સિસ્ટમને જવાબદાર રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે વધારે પૈસા કમાતા લોકો પોતાની આવક પ્રમાણે ટેક્સ નથી ભરી રહ્યા જેને કારણે આ અસમાનતા જોવા મળી રહી છે. 


એક તરફ અરબોપતિની આવક આસમાનને આંબી રહી છે તો... 

સામાન્ય લોકોને ફાયદો થાય તે માટે અમીરોએ આરોગ્ય, શિક્ષણ અને પોષણ જેવી બાબતોમાં રોકાણ વધારવું જોઈએ. એવી પણ ભલામણ કરવામાં આવી કે ધનિક પરિવારો પર ટેક્સ લગાવવો જોઈએ. વિત્ત વર્ષ 2023ના આધાર પર 167 દેશના સૌથી વધારે ધનીક પરિવાર પર જો 2 ટકા સુપર ટેક્સ લગાવવામાં આવે તો કુલ આયમાં 0.5 ટકા વધારો થઈ શકે છે. બીજા એક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારતના અમીરોની આવકમાં પ્રતિવર્ષ વધારો જોવા મળી રહ્યો છે.  એક તરફ દેશના અરબોપતિની આવક આસમાનને આંબી રહી છે તો બીજી તરફ દેશના કરોડો લોકો ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે. 


અમીર વધારે અમીર બનતો રહે અને ગરીબ વધારે ગરીબ.. 

ઉલ્લેખનિય છે કે જો આ આર્થિક અસમાનતાને રોકવાનો પ્રયત્ન હમણાંથી નહીં કરવામાં આવે તો આવનાર વર્ષોમાં આ અસમાનતા વધારે વધી જશે એટલે અમીર લોકો વધારે અમીર બનતા જશે અને ગરીબ લોકો વધારે ગરીબ બનતા જશે...    



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.