યુવાનો પર વધ્યો Heart Attackનો ખતરો! આટલા લોકોના થયા મોત જાણો ક્યાંથી સામે આવ્યા સમાચાર?


  • Published By :
  • Published Date : 2023-12-08 14:02:54

હાર્ટ એટેકને કારણે અનેક લોકોના મોત થયા છે. પ્રતિદિન એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં નાની ઉંમરે લોકો મોતને ભેટી રહ્યા છે. કોરોના બાદ તો આવા સમાચાર રોજે આવી રહ્યા છે કે આટલી ઉંમરના યુવાનને હાર્ટ એટેક આવ્યો અને મોતને ભેટ્યો. ત્યારે આજે પણ બે જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવી માહિતી સામે આવી છે. એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે જ્યારે બીજો એક કિસ્સો મોરબીથી સામે આવ્યો છે. તે ઉપરાંત હાર્ટ એટેકના કિસ્સા કપડવંજ તેમજ સુરતથી પણ સામે આવ્યા છે. 

Heart Attack ના સંકેત પહેલા જ મળી જાય છે, શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા  લક્ષણો ના કરો ઇગ્નોર | Health News in Gujarati

(પ્રતિકાત્મક તસવીર)

બે જગ્યાઓ પરથી સામે આવ્યા હાર્ટ એટેકના કિસ્સા 

એક સમય હતો કે કોરોનાને કારણે લોકોના મોત થતા હતા ત્યારે હવે હાર્ટ એટેક હાહાકાર મચાવી રહ્યો છે. યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે ઉપરાંત શાળામાં ભણતા બાળકો પણ હૃદય હુમલાના શિકાર બની રહ્યા છે. રાજ્યમાં તેમજ દેશમાં અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. આજે પણ હાર્ટ એટેકને કારણે અનેક યુવાનોના મોત થયા છે. એક કિસ્સો રાજકોટથી તો બીજો કિસ્સો મોરબીથી સામે આવ્યો છે. 


નાની ઉંમરના લોકો બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર 

મળતી માહિતી અનુસાર રાજકોટમાં મસાલાના વેપારીનું મોત હાર્ટ એટેકને કારણે થયા છે. જે યુવકનું મોત થયું છે તેમનું નામ હિમાંશુ રાઠોડ છે અને તેમની ઉંમર 39 છે. મોરબીમાં બનેલી ઘટનાની વાત કરીએ તો યુપીના રામ સિધારે નામના વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે. ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન તેમની છાતીમાં દુખાવો થયો અને અચાનક ઢળી પડ્યા. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે. કપડવંજમાં પણ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે. સફાઈ કામદાર 31 વર્ષીય રાહુલ સોલંકીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.  

More than 2400 teachers of schools and colleges of Surat district were  given CPR training | સુરત જિલ્લાના શાળા-કોલેજના 2400થી વધુ શિક્ષકોને  સીપીઆરની તાલીમ અપાઈ - Divya Bhaskar

શિક્ષકોને આપવામાં આવી રહી છે સીપીઆરની ટ્રેનિંગ 

સુરતમાં પણ હાર્ટ એટેકનો કિસ્સો બન્યો છે. બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. સુરતના સૈયદપુરામાં હીરાની ઓફિસમાં કામ કરતા 25 વર્ષીય યુવક અચાનક બેભાન થઇ ગયો, હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું. તો બીજી ઘટના હજીરાના મોરાગામમાં પણ એક મોત હાર્ટ એટેકને કારણે થયું છે. ઘરે ખુરશીમાં બેઠા હતા ત્યારે તે  અચાનક ઢળી પડ્યા અને મોતને ભેટ્યા. હાર્ટ એટેકને કારણે તેમનું મોત થયું હોય તેવી આશંકા સેવાઈ રહી છે. મહત્વનું છે કે વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને જોતા શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. 

A young man died of a heart attack while working as a labourer in Morbi રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકથી વધુ એક મોત, મોરબીમાં શ્રમિક યુવાનનો ગયો જીવ



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.