યુવાનો પર વધ્યો Heart Attackનો ખતરો! આટલા લોકોના થયા મોત જાણો ક્યાંથી સામે આવ્યા સમાચાર?


  • Published By :
  • Published Date : 2023-12-08 14:02:54

હાર્ટ એટેકને કારણે અનેક લોકોના મોત થયા છે. પ્રતિદિન એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં નાની ઉંમરે લોકો મોતને ભેટી રહ્યા છે. કોરોના બાદ તો આવા સમાચાર રોજે આવી રહ્યા છે કે આટલી ઉંમરના યુવાનને હાર્ટ એટેક આવ્યો અને મોતને ભેટ્યો. ત્યારે આજે પણ બે જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવી માહિતી સામે આવી છે. એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે જ્યારે બીજો એક કિસ્સો મોરબીથી સામે આવ્યો છે. તે ઉપરાંત હાર્ટ એટેકના કિસ્સા કપડવંજ તેમજ સુરતથી પણ સામે આવ્યા છે. 

Heart Attack ના સંકેત પહેલા જ મળી જાય છે, શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા  લક્ષણો ના કરો ઇગ્નોર | Health News in Gujarati

(પ્રતિકાત્મક તસવીર)

બે જગ્યાઓ પરથી સામે આવ્યા હાર્ટ એટેકના કિસ્સા 

એક સમય હતો કે કોરોનાને કારણે લોકોના મોત થતા હતા ત્યારે હવે હાર્ટ એટેક હાહાકાર મચાવી રહ્યો છે. યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે ઉપરાંત શાળામાં ભણતા બાળકો પણ હૃદય હુમલાના શિકાર બની રહ્યા છે. રાજ્યમાં તેમજ દેશમાં અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. આજે પણ હાર્ટ એટેકને કારણે અનેક યુવાનોના મોત થયા છે. એક કિસ્સો રાજકોટથી તો બીજો કિસ્સો મોરબીથી સામે આવ્યો છે. 


નાની ઉંમરના લોકો બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર 

મળતી માહિતી અનુસાર રાજકોટમાં મસાલાના વેપારીનું મોત હાર્ટ એટેકને કારણે થયા છે. જે યુવકનું મોત થયું છે તેમનું નામ હિમાંશુ રાઠોડ છે અને તેમની ઉંમર 39 છે. મોરબીમાં બનેલી ઘટનાની વાત કરીએ તો યુપીના રામ સિધારે નામના વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે. ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન તેમની છાતીમાં દુખાવો થયો અને અચાનક ઢળી પડ્યા. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે. કપડવંજમાં પણ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે. સફાઈ કામદાર 31 વર્ષીય રાહુલ સોલંકીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.  

More than 2400 teachers of schools and colleges of Surat district were  given CPR training | સુરત જિલ્લાના શાળા-કોલેજના 2400થી વધુ શિક્ષકોને  સીપીઆરની તાલીમ અપાઈ - Divya Bhaskar

શિક્ષકોને આપવામાં આવી રહી છે સીપીઆરની ટ્રેનિંગ 

સુરતમાં પણ હાર્ટ એટેકનો કિસ્સો બન્યો છે. બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. સુરતના સૈયદપુરામાં હીરાની ઓફિસમાં કામ કરતા 25 વર્ષીય યુવક અચાનક બેભાન થઇ ગયો, હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું. તો બીજી ઘટના હજીરાના મોરાગામમાં પણ એક મોત હાર્ટ એટેકને કારણે થયું છે. ઘરે ખુરશીમાં બેઠા હતા ત્યારે તે  અચાનક ઢળી પડ્યા અને મોતને ભેટ્યા. હાર્ટ એટેકને કારણે તેમનું મોત થયું હોય તેવી આશંકા સેવાઈ રહી છે. મહત્વનું છે કે વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને જોતા શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. 

A young man died of a heart attack while working as a labourer in Morbi રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકથી વધુ એક મોત, મોરબીમાં શ્રમિક યુવાનનો ગયો જીવ



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.