યુવાનો પર વધ્યો Heart Attackનો ખતરો! આટલા લોકોના થયા મોત જાણો ક્યાંથી સામે આવ્યા સમાચાર?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-08 14:02:54

હાર્ટ એટેકને કારણે અનેક લોકોના મોત થયા છે. પ્રતિદિન એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં નાની ઉંમરે લોકો મોતને ભેટી રહ્યા છે. કોરોના બાદ તો આવા સમાચાર રોજે આવી રહ્યા છે કે આટલી ઉંમરના યુવાનને હાર્ટ એટેક આવ્યો અને મોતને ભેટ્યો. ત્યારે આજે પણ બે જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવી માહિતી સામે આવી છે. એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે જ્યારે બીજો એક કિસ્સો મોરબીથી સામે આવ્યો છે. તે ઉપરાંત હાર્ટ એટેકના કિસ્સા કપડવંજ તેમજ સુરતથી પણ સામે આવ્યા છે. 

Heart Attack ના સંકેત પહેલા જ મળી જાય છે, શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા  લક્ષણો ના કરો ઇગ્નોર | Health News in Gujarati

(પ્રતિકાત્મક તસવીર)

બે જગ્યાઓ પરથી સામે આવ્યા હાર્ટ એટેકના કિસ્સા 

એક સમય હતો કે કોરોનાને કારણે લોકોના મોત થતા હતા ત્યારે હવે હાર્ટ એટેક હાહાકાર મચાવી રહ્યો છે. યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે ઉપરાંત શાળામાં ભણતા બાળકો પણ હૃદય હુમલાના શિકાર બની રહ્યા છે. રાજ્યમાં તેમજ દેશમાં અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. આજે પણ હાર્ટ એટેકને કારણે અનેક યુવાનોના મોત થયા છે. એક કિસ્સો રાજકોટથી તો બીજો કિસ્સો મોરબીથી સામે આવ્યો છે. 


નાની ઉંમરના લોકો બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર 

મળતી માહિતી અનુસાર રાજકોટમાં મસાલાના વેપારીનું મોત હાર્ટ એટેકને કારણે થયા છે. જે યુવકનું મોત થયું છે તેમનું નામ હિમાંશુ રાઠોડ છે અને તેમની ઉંમર 39 છે. મોરબીમાં બનેલી ઘટનાની વાત કરીએ તો યુપીના રામ સિધારે નામના વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે. ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન તેમની છાતીમાં દુખાવો થયો અને અચાનક ઢળી પડ્યા. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે. કપડવંજમાં પણ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે. સફાઈ કામદાર 31 વર્ષીય રાહુલ સોલંકીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.  

More than 2400 teachers of schools and colleges of Surat district were  given CPR training | સુરત જિલ્લાના શાળા-કોલેજના 2400થી વધુ શિક્ષકોને  સીપીઆરની તાલીમ અપાઈ - Divya Bhaskar

શિક્ષકોને આપવામાં આવી રહી છે સીપીઆરની ટ્રેનિંગ 

સુરતમાં પણ હાર્ટ એટેકનો કિસ્સો બન્યો છે. બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. સુરતના સૈયદપુરામાં હીરાની ઓફિસમાં કામ કરતા 25 વર્ષીય યુવક અચાનક બેભાન થઇ ગયો, હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું. તો બીજી ઘટના હજીરાના મોરાગામમાં પણ એક મોત હાર્ટ એટેકને કારણે થયું છે. ઘરે ખુરશીમાં બેઠા હતા ત્યારે તે  અચાનક ઢળી પડ્યા અને મોતને ભેટ્યા. હાર્ટ એટેકને કારણે તેમનું મોત થયું હોય તેવી આશંકા સેવાઈ રહી છે. મહત્વનું છે કે વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને જોતા શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. 

A young man died of a heart attack while working as a labourer in Morbi રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકથી વધુ એક મોત, મોરબીમાં શ્રમિક યુવાનનો ગયો જીવ



વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.

થોડા સમય પહેલા આચારસંહિતા ભંગ કરતા શિક્ષક દેખાયા હતા ત્યારે હવે પોલીસકર્મી આચાર સંહિતા ભંગ કરતા દેખાયા છે... મહિસાગરના કડાણા તાલુકામાં યોજાયેલી શેરી સભામાં હોમગાર્ડ કમાન્ડર દેખાયા હતા

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ અનેક જગ્યાઓ પર થઈ રહ્યો છે. ત્યારે જમાવટની ટીમ ભાવનગરના એવા વિસ્તારમાં પહોંચી હતી જ્યાં ક્ષત્રિય સમાજના લોકો વધારે રહેતા હતા.

થોડા દિવસ પહેલા અનુપમા ફેમ રૂપાલી ગાંગૂલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.. ત્યારે એવી માહિતી સામે આવી છે કે તે ગુજરાત આવી પોરબંદરના ભાજપના ઉમેદવાર ડો.મનસુખ માંડવિયા માટે પ્રચાર કરી શકે છે..