નેશનલ ગેમ્સને કારણે આગામી ત્રણ દિવસ ગાંધીનગરથી સરખેજ જતો રસ્તો બંધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 12:11:17

ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી દરમિયાન આ ગેમ્સની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થઈ હતી. ગુજરાતના 6 શહેરોમાં નેશનલ ગેમ્સ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે પણ અનેક ગેમ્સનું આયોજન કરાયું છે. 

ત્રણ દિવસ માટે કરાયું છે સાયકલ રેસનું આયોજન  

ત્યારે 7 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર દરમિયાન સાયકલ રેસનું આયોજન કરાયું છે. જેને કારણે ગાંધીનગર જતો એક રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જાહેરનામાં પ્રમાણે 7 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર દરમિયાન સવારના 5 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ચ-0થી ઘ-0 સુધીનો રોડ બંધ રહશે. અને ત્યારબાદ ગાંધીનગરથી સરખેજ તરફનો ખોરજ કન્ટેનર કટ સુધીનો હાઈવે તમામ વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. 

Cycle race interesting riddle | Puzzle Fry

નેશનલ ગેમ્સમાં દેશભરથી ખિલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. સાયકલ રેસ યોજાવાને કારણે તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જ્યાં જ્યાં સાયકલ રેસ યોજાવાની છે ત્યાં ત્યાં રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. સાયકલ રેસને કારણે 7 ઓક્ટાબરથી 9 ઓક્ટોબર સુધી ચ-0થી લઈને ખોરજ કન્ટેનર કટ સુધીનો માર્ગ, ગાંધીનગરથી સરખેજનો એક તરફ જવાનો એક તરફનો માર્ગ બંધ રખાશે. 

ડાયવર્ટ રૂટની કરાઈ વ્યવસ્થા

વાહનચાલકોને અગવડના પડે તે માટે રસ્તાને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. ચ-0થી શાહપુર સર્કલથી રીલાયન્સ સર્કલ થઈને ખ-0 પર આવેલા સર્વિસ રોડનો ઉપયોગ કરીને ઉવારસદ બ્રિજ નીચે પહોંચી શકાશે. આવી જ રીતે ઘ-0 બ્રિજની નીચેથી સર્વિસ રોડ પરથી ખ-0 થઈને ઉવારસદ બ્રિજ નીચે પહોંચી શકાશે. ત્યારબાદ બાલાપીર ચોકડી, ઝુંડાલ થઈને રીંગરોડ થઈને અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નીકળી અમદાવાદ પહોંચી શકાશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.