નેશનલ ગેમ્સને કારણે આગામી ત્રણ દિવસ ગાંધીનગરથી સરખેજ જતો રસ્તો બંધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 12:11:17

ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી દરમિયાન આ ગેમ્સની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થઈ હતી. ગુજરાતના 6 શહેરોમાં નેશનલ ગેમ્સ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે પણ અનેક ગેમ્સનું આયોજન કરાયું છે. 

ત્રણ દિવસ માટે કરાયું છે સાયકલ રેસનું આયોજન  

ત્યારે 7 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર દરમિયાન સાયકલ રેસનું આયોજન કરાયું છે. જેને કારણે ગાંધીનગર જતો એક રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જાહેરનામાં પ્રમાણે 7 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર દરમિયાન સવારના 5 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ચ-0થી ઘ-0 સુધીનો રોડ બંધ રહશે. અને ત્યારબાદ ગાંધીનગરથી સરખેજ તરફનો ખોરજ કન્ટેનર કટ સુધીનો હાઈવે તમામ વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. 

Cycle race interesting riddle | Puzzle Fry

નેશનલ ગેમ્સમાં દેશભરથી ખિલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. સાયકલ રેસ યોજાવાને કારણે તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જ્યાં જ્યાં સાયકલ રેસ યોજાવાની છે ત્યાં ત્યાં રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. સાયકલ રેસને કારણે 7 ઓક્ટાબરથી 9 ઓક્ટોબર સુધી ચ-0થી લઈને ખોરજ કન્ટેનર કટ સુધીનો માર્ગ, ગાંધીનગરથી સરખેજનો એક તરફ જવાનો એક તરફનો માર્ગ બંધ રખાશે. 

ડાયવર્ટ રૂટની કરાઈ વ્યવસ્થા

વાહનચાલકોને અગવડના પડે તે માટે રસ્તાને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. ચ-0થી શાહપુર સર્કલથી રીલાયન્સ સર્કલ થઈને ખ-0 પર આવેલા સર્વિસ રોડનો ઉપયોગ કરીને ઉવારસદ બ્રિજ નીચે પહોંચી શકાશે. આવી જ રીતે ઘ-0 બ્રિજની નીચેથી સર્વિસ રોડ પરથી ખ-0 થઈને ઉવારસદ બ્રિજ નીચે પહોંચી શકાશે. ત્યારબાદ બાલાપીર ચોકડી, ઝુંડાલ થઈને રીંગરોડ થઈને અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નીકળી અમદાવાદ પહોંચી શકાશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.