નેશનલ ગેમ્સને કારણે આગામી ત્રણ દિવસ ગાંધીનગરથી સરખેજ જતો રસ્તો બંધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 12:11:17

ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી દરમિયાન આ ગેમ્સની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થઈ હતી. ગુજરાતના 6 શહેરોમાં નેશનલ ગેમ્સ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે પણ અનેક ગેમ્સનું આયોજન કરાયું છે. 

ત્રણ દિવસ માટે કરાયું છે સાયકલ રેસનું આયોજન  

ત્યારે 7 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર દરમિયાન સાયકલ રેસનું આયોજન કરાયું છે. જેને કારણે ગાંધીનગર જતો એક રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જાહેરનામાં પ્રમાણે 7 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર દરમિયાન સવારના 5 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ચ-0થી ઘ-0 સુધીનો રોડ બંધ રહશે. અને ત્યારબાદ ગાંધીનગરથી સરખેજ તરફનો ખોરજ કન્ટેનર કટ સુધીનો હાઈવે તમામ વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. 

Cycle race interesting riddle | Puzzle Fry

નેશનલ ગેમ્સમાં દેશભરથી ખિલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. સાયકલ રેસ યોજાવાને કારણે તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જ્યાં જ્યાં સાયકલ રેસ યોજાવાની છે ત્યાં ત્યાં રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. સાયકલ રેસને કારણે 7 ઓક્ટાબરથી 9 ઓક્ટોબર સુધી ચ-0થી લઈને ખોરજ કન્ટેનર કટ સુધીનો માર્ગ, ગાંધીનગરથી સરખેજનો એક તરફ જવાનો એક તરફનો માર્ગ બંધ રખાશે. 

ડાયવર્ટ રૂટની કરાઈ વ્યવસ્થા

વાહનચાલકોને અગવડના પડે તે માટે રસ્તાને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. ચ-0થી શાહપુર સર્કલથી રીલાયન્સ સર્કલ થઈને ખ-0 પર આવેલા સર્વિસ રોડનો ઉપયોગ કરીને ઉવારસદ બ્રિજ નીચે પહોંચી શકાશે. આવી જ રીતે ઘ-0 બ્રિજની નીચેથી સર્વિસ રોડ પરથી ખ-0 થઈને ઉવારસદ બ્રિજ નીચે પહોંચી શકાશે. ત્યારબાદ બાલાપીર ચોકડી, ઝુંડાલ થઈને રીંગરોડ થઈને અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નીકળી અમદાવાદ પહોંચી શકાશે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .