રાજવી પરિવારે મોરબી દુર્ઘટના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા સભા રાખી !!


  • Published By :
  • Published Date : 2022-11-03 20:05:25


મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાથી અનેક લોકોના જીવ ગયા છે આ ઘટનામાં મોટી જાનહાનીને પગલે ગુજરાતના લોકો જેટલા દુખી થયા છે તેટલો મોરબીનો રાજવી પરિવાર પણ દુખી છે. રાજવી પરિવારે ગતરોજ બુધવારે જ એવી જાહેરાત કરી હતી કે મોરબીની જનતા અમારી છે અને અમે તેમના છીએ. આ ઉપરાંત તેમને મૃતકોના પરિવારને 1-1 લાખ રૂપિયા સહાય જાહેર કરી હતી. આજે ગુરુવારે મોરબીમાં મૃતકોને શોકસભા યોજાઈ હતી જેમાં તેઓ અને સામાન્ય નાગરિકો પણ જોડાયા હતા.


મોરબીની દુર્ઘટનામાં 135 જેટલા લોકોનો મૃત્ય થયું છે જેમાં અનેકના ઘર વિખેરાય ગયા હતા  રવિવારે સાંજે અચાનક બનેલી આ ઘટનામાં થયેલી મોટી જાનહાનીથી દેશ દુનિયામાં લોકો દુખી થયા હતા અને શોક વ્યક્ત કર્યો હતો. ઠેરઠેર મૃતકોના ન્યાયની માગણી માટે કેન્ડલમાર્ચ પણ યોજાઈ હતી. જેનાથી જેવી રીતે શ્રદ્ધાંજલિ આપી શકાય તે રીતે હૃદય પુર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. મોરબીના રાજવી પરિવારે આ અંગે બુધવારે દુઃખ વ્યક્ત કર્યું હતું અને સાથે જ 1-1 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. આ ઉપરાંત પણ જો કોઈ બીજી મદદ અમે કરી શકીએ તો તે માટે પણ લોકો તેમની સાથે વાત કરી શકે છે તેવી ભાવના વ્યક્ત કરી હતી.


આત્મા શાંતિ માટે હવન પણ કર્યો 

મોરબીના દરબારગઢમાં ગુરુવારે યોજાયેલી શોકસભામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મોરબીના ઘણા નાગરિકો આવ્યા હતા. આ નાગરિકો વચ્ચે મોરબીનો રાજવી પરિવાર પણ આવ્યો હતો. મહારાણી રાજકુંવરીબા સાહેબ મીરાબાપાએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને પુષ્પઅર્પણ કરીને આત્માની શાંતિ માટે પ્રાથના કરી હતી. આ ઉપરાંત દિવંગત આત્માઓની શાંતિ માટે હવન પણ કરવામાં આવ્યો હતો.







બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.