જે આંગળીથી BJPને વોટ આપ્યો તે જ આંગળી સરકારને ભેટમાં આપી! આ કહાણી તમને કંપાવી દેશે, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-19 19:24:43

મહારાષ્ટ્રથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિએ પોતાની આંગળી કાપીને દેવેન્દ્ર ફડનવીસને મોકલી છે. થોડા દિવસ પહેલા આ જ વ્યક્તિના ભાઈ ભાભીએ આત્મહત્યા કરી લીધી અને આ વ્યક્તિએ પોતાના હાથની આંગળી કાપી દીધી છે. કારણ જાણીને તમે ચોંકી જશો. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહ્યો છે કે આજ આંગળીથી બીજેપીને વોટ આપ્યો હતો. હવે તે જ આંગળી કાપીને સરકારને આપી છે. દેવેન્દ્ર ફડનવીસને ભેટના રૂપમાં આ આંગળી ધનંજય નનાવર નામના વ્યક્તિએ મોકલી છે. 


પોલીસે ન કરી હતી આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી 

સોશિયલ મીડિયા પર આ વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે તેણે પોતાની આંગળી કાપી દેવેન્દ્ર ફડનવીસને મોકલી છે. થોડા દિવસ પહેલા તેના ભાઈ-ભાભીએ આત્મહત્યા કરી લીધી હતી. આ વ્યક્તિનું કહેવું છે કે અનેક લોકોએ તેના ભાઈ ભાભીને આત્મહત્યા કરવા મજબૂર કર્યા હતા. આરોપી વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી ન કરી હતી. જેને લઈ ધનંજય નનાવરે પોતાની આંગળી કાપીને દેવેન્દ્ર ફડનવીસને મોકલી છે. 


વાયરલ વીડિયોમાં શું કહી રહ્યો છે ધનંજય 

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં થાણેના ઉલ્લાસનગર વિસ્તારમાં રહેતા ધનંજય કહી રહ્યા છે કે  'आज आत्महत्या की उस घटना को हुए बीस से ज्यादा दिन हो गए हैं, मगर अभी तक किसी की गिरफ्तारी नहीं हुई है... इस मामले में मेरे भाई ने मौत से पहले कई आरोपियों का नाम लिया, लेकिन कोई कार्रवाई नहीं हुई... अगर राज्य सरकार ने कार्रवाई नहीं की तो मैं हर हफ्ते शरीर का एक अंग काट लूंगा.'     

  


આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તે માટે કર્યું આવું કૃત્ય 

વીડિયોમાં ધનંજય કહી રહ્યો છે કે બીજેપીની સરકારને આ જ આંગળીથી વોટ આપ્યો હતો. તે જ આંગળીને કાપી સરકારને ભેટમાં મોકલી છે. ધનંજયના કહ્યા અનુસાર મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડનવીસને આંગળી કાપીને મોકલી છે. તેનું એવું પણ કહેવું છે કે જો આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તે પોતાની આંગળીઓ કાપી કાપીને સરકારને પહોંચાડતો રહેશે. મળતી માહિતી અનુસાર આંગળી કાપનાર ધનંજયને સારવાર માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો છે અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.