જે આંગળીથી BJPને વોટ આપ્યો તે જ આંગળી સરકારને ભેટમાં આપી! આ કહાણી તમને કંપાવી દેશે, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-19 19:24:43

મહારાષ્ટ્રથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિએ પોતાની આંગળી કાપીને દેવેન્દ્ર ફડનવીસને મોકલી છે. થોડા દિવસ પહેલા આ જ વ્યક્તિના ભાઈ ભાભીએ આત્મહત્યા કરી લીધી અને આ વ્યક્તિએ પોતાના હાથની આંગળી કાપી દીધી છે. કારણ જાણીને તમે ચોંકી જશો. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહ્યો છે કે આજ આંગળીથી બીજેપીને વોટ આપ્યો હતો. હવે તે જ આંગળી કાપીને સરકારને આપી છે. દેવેન્દ્ર ફડનવીસને ભેટના રૂપમાં આ આંગળી ધનંજય નનાવર નામના વ્યક્તિએ મોકલી છે. 


પોલીસે ન કરી હતી આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી 

સોશિયલ મીડિયા પર આ વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે તેણે પોતાની આંગળી કાપી દેવેન્દ્ર ફડનવીસને મોકલી છે. થોડા દિવસ પહેલા તેના ભાઈ-ભાભીએ આત્મહત્યા કરી લીધી હતી. આ વ્યક્તિનું કહેવું છે કે અનેક લોકોએ તેના ભાઈ ભાભીને આત્મહત્યા કરવા મજબૂર કર્યા હતા. આરોપી વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી ન કરી હતી. જેને લઈ ધનંજય નનાવરે પોતાની આંગળી કાપીને દેવેન્દ્ર ફડનવીસને મોકલી છે. 


વાયરલ વીડિયોમાં શું કહી રહ્યો છે ધનંજય 

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં થાણેના ઉલ્લાસનગર વિસ્તારમાં રહેતા ધનંજય કહી રહ્યા છે કે  'आज आत्महत्या की उस घटना को हुए बीस से ज्यादा दिन हो गए हैं, मगर अभी तक किसी की गिरफ्तारी नहीं हुई है... इस मामले में मेरे भाई ने मौत से पहले कई आरोपियों का नाम लिया, लेकिन कोई कार्रवाई नहीं हुई... अगर राज्य सरकार ने कार्रवाई नहीं की तो मैं हर हफ्ते शरीर का एक अंग काट लूंगा.'     

  


આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તે માટે કર્યું આવું કૃત્ય 

વીડિયોમાં ધનંજય કહી રહ્યો છે કે બીજેપીની સરકારને આ જ આંગળીથી વોટ આપ્યો હતો. તે જ આંગળીને કાપી સરકારને ભેટમાં મોકલી છે. ધનંજયના કહ્યા અનુસાર મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડનવીસને આંગળી કાપીને મોકલી છે. તેનું એવું પણ કહેવું છે કે જો આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તે પોતાની આંગળીઓ કાપી કાપીને સરકારને પહોંચાડતો રહેશે. મળતી માહિતી અનુસાર આંગળી કાપનાર ધનંજયને સારવાર માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો છે અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.