જે આંગળીથી BJPને વોટ આપ્યો તે જ આંગળી સરકારને ભેટમાં આપી! આ કહાણી તમને કંપાવી દેશે, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-19 19:24:43

મહારાષ્ટ્રથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિએ પોતાની આંગળી કાપીને દેવેન્દ્ર ફડનવીસને મોકલી છે. થોડા દિવસ પહેલા આ જ વ્યક્તિના ભાઈ ભાભીએ આત્મહત્યા કરી લીધી અને આ વ્યક્તિએ પોતાના હાથની આંગળી કાપી દીધી છે. કારણ જાણીને તમે ચોંકી જશો. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહ્યો છે કે આજ આંગળીથી બીજેપીને વોટ આપ્યો હતો. હવે તે જ આંગળી કાપીને સરકારને આપી છે. દેવેન્દ્ર ફડનવીસને ભેટના રૂપમાં આ આંગળી ધનંજય નનાવર નામના વ્યક્તિએ મોકલી છે. 


પોલીસે ન કરી હતી આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી 

સોશિયલ મીડિયા પર આ વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે તેણે પોતાની આંગળી કાપી દેવેન્દ્ર ફડનવીસને મોકલી છે. થોડા દિવસ પહેલા તેના ભાઈ-ભાભીએ આત્મહત્યા કરી લીધી હતી. આ વ્યક્તિનું કહેવું છે કે અનેક લોકોએ તેના ભાઈ ભાભીને આત્મહત્યા કરવા મજબૂર કર્યા હતા. આરોપી વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી ન કરી હતી. જેને લઈ ધનંજય નનાવરે પોતાની આંગળી કાપીને દેવેન્દ્ર ફડનવીસને મોકલી છે. 


વાયરલ વીડિયોમાં શું કહી રહ્યો છે ધનંજય 

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં થાણેના ઉલ્લાસનગર વિસ્તારમાં રહેતા ધનંજય કહી રહ્યા છે કે  'आज आत्महत्या की उस घटना को हुए बीस से ज्यादा दिन हो गए हैं, मगर अभी तक किसी की गिरफ्तारी नहीं हुई है... इस मामले में मेरे भाई ने मौत से पहले कई आरोपियों का नाम लिया, लेकिन कोई कार्रवाई नहीं हुई... अगर राज्य सरकार ने कार्रवाई नहीं की तो मैं हर हफ्ते शरीर का एक अंग काट लूंगा.'     

  


આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તે માટે કર્યું આવું કૃત્ય 

વીડિયોમાં ધનંજય કહી રહ્યો છે કે બીજેપીની સરકારને આ જ આંગળીથી વોટ આપ્યો હતો. તે જ આંગળીને કાપી સરકારને ભેટમાં મોકલી છે. ધનંજયના કહ્યા અનુસાર મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડનવીસને આંગળી કાપીને મોકલી છે. તેનું એવું પણ કહેવું છે કે જો આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તે પોતાની આંગળીઓ કાપી કાપીને સરકારને પહોંચાડતો રહેશે. મળતી માહિતી અનુસાર આંગળી કાપનાર ધનંજયને સારવાર માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો છે અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.