જે આંગળીથી BJPને વોટ આપ્યો તે જ આંગળી સરકારને ભેટમાં આપી! આ કહાણી તમને કંપાવી દેશે, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-19 19:24:43

મહારાષ્ટ્રથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિએ પોતાની આંગળી કાપીને દેવેન્દ્ર ફડનવીસને મોકલી છે. થોડા દિવસ પહેલા આ જ વ્યક્તિના ભાઈ ભાભીએ આત્મહત્યા કરી લીધી અને આ વ્યક્તિએ પોતાના હાથની આંગળી કાપી દીધી છે. કારણ જાણીને તમે ચોંકી જશો. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહ્યો છે કે આજ આંગળીથી બીજેપીને વોટ આપ્યો હતો. હવે તે જ આંગળી કાપીને સરકારને આપી છે. દેવેન્દ્ર ફડનવીસને ભેટના રૂપમાં આ આંગળી ધનંજય નનાવર નામના વ્યક્તિએ મોકલી છે. 


પોલીસે ન કરી હતી આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી 

સોશિયલ મીડિયા પર આ વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે તેણે પોતાની આંગળી કાપી દેવેન્દ્ર ફડનવીસને મોકલી છે. થોડા દિવસ પહેલા તેના ભાઈ-ભાભીએ આત્મહત્યા કરી લીધી હતી. આ વ્યક્તિનું કહેવું છે કે અનેક લોકોએ તેના ભાઈ ભાભીને આત્મહત્યા કરવા મજબૂર કર્યા હતા. આરોપી વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી ન કરી હતી. જેને લઈ ધનંજય નનાવરે પોતાની આંગળી કાપીને દેવેન્દ્ર ફડનવીસને મોકલી છે. 


વાયરલ વીડિયોમાં શું કહી રહ્યો છે ધનંજય 

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં થાણેના ઉલ્લાસનગર વિસ્તારમાં રહેતા ધનંજય કહી રહ્યા છે કે  'आज आत्महत्या की उस घटना को हुए बीस से ज्यादा दिन हो गए हैं, मगर अभी तक किसी की गिरफ्तारी नहीं हुई है... इस मामले में मेरे भाई ने मौत से पहले कई आरोपियों का नाम लिया, लेकिन कोई कार्रवाई नहीं हुई... अगर राज्य सरकार ने कार्रवाई नहीं की तो मैं हर हफ्ते शरीर का एक अंग काट लूंगा.'     

  


આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તે માટે કર્યું આવું કૃત્ય 

વીડિયોમાં ધનંજય કહી રહ્યો છે કે બીજેપીની સરકારને આ જ આંગળીથી વોટ આપ્યો હતો. તે જ આંગળીને કાપી સરકારને ભેટમાં મોકલી છે. ધનંજયના કહ્યા અનુસાર મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડનવીસને આંગળી કાપીને મોકલી છે. તેનું એવું પણ કહેવું છે કે જો આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તે પોતાની આંગળીઓ કાપી કાપીને સરકારને પહોંચાડતો રહેશે. મળતી માહિતી અનુસાર આંગળી કાપનાર ધનંજયને સારવાર માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો છે અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .