સંયુક્ત કિસાન મોરચાએ આવતી કાલે ભારત બંધની કરી ઘોષણા, જનજીવન પર શું થશે અસર? જાણો


  • Published By :
  • Published Date : 2024-02-15 18:02:05

ખેડૂતોના આંદોલન વચ્ચે 16 ફેબ્રુઆરીએ ભારત બંધ રહેશે. સંયુક્ત કિસાન મોરચા (SKM) એ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો સાથે મળીને 16 ફેબ્રુઆરીએ ભારત બંધની જાહેરાત કરી છે. યુનાઇટેડ કિસાન મોરચાએ ભારત બંધ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. 16 ફેબ્રુઆરીએ ભારત સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. સમય અનુસાર, બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી હજારો ખેડૂતો દેશભરના મુખ્ય માર્ગો પર ચાર કલાક સુધી કૂચ કરશે.


નેશનલ હાઈ વે બંધ રહેશે 

ભારત બંધની જાહેરાત એવા સમયે કરવામાં આવી રહ્યો છે જ્યારે પંજાબથી કૂચ કરી રહેલા ખેડૂતોને હરિયાણાની સરહદ પર રોકી દેવામાં આવ્યા છે. ભારત બંધનું એલાન એટલા માટે કરવામાં આવ્યું છે કે જેથી કરીને માંગણીઓને લઈને કેન્દ્ર સરકાર પર પ્રેસર લાવી શકાય. ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ પંજાબમાં વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક રાષ્ટ્રીય રાજમાર્ગો ચાર કલાક સુધી બંધ રહેશે. હકીકતમાં, લુધિયાણામાં બેઠક દરમિયાન BKU મહાસચિવ હરિન્દર સિંહ લાખોવાલે ભારત બંધનું એલાન કર્યું હતું.


શું બંધ રહેશે, શું ખુલ્લું રહેશે


આ અંગે SKM NCCના સભ્ય ડૉ. દર્શન પાલે જણાવ્યું હતું કે, “ગ્રામીણ ભારત બંધનું આયોજન ડિસેમ્બરમાં જ કરવામાં આવ્યું હતું. આ દિવસે તમામ કૃષિ પ્રવૃત્તિઓ, મનરેગા અને ગ્રામીણ કાર્યો માટે ગામડાં બંધ રહેશે. તે દિવસે કોઈ ખેડૂત, ખેતમજૂર અથવા ગ્રામીણ મજૂર કામ કરશે નહીં. પાલે વધુમાં કહ્યું, “અમે એમ્બ્યુલન્સ, મૃત્યુ, લગ્ન, મેડિકલ શોપ, અખબાર અને બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ માટે રસ્તો ખુલ્લો રાખીશું. એરપોર્ટ પર જનારા લોકો ત્યાં જઈ શકે છે. ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. તેમણે વધુમાં કહ્યું કે શાકભાજી અને અન્ય પાકની ખરીદી બંધ કરવામાં આવશે. ગામડાની દુકાનો, અનાજ બજાર, શાકભાજી બજારો, સરકારી અને બિનસરકારી કચેરીઓ બંધ રહેશે. ગ્રામીણ ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રની સંસ્થાઓ સાથે ખાનગી ક્ષેત્રના સાહસોને બંધ રાખવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત હડતાળ દરમિયાન ગામડાઓ નજીકના શહેરોમાં દુકાનો અને સંસ્થાઓ બંધ રહેશે. NCC સભ્ય પટિયાલાએ વધુમાં કહ્યું કે, જાહેર વાહનો પર પ્રતિબંધ રહેશે. રોડવેઝ કર્મચારી યુનિયન પણ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે