સંયુક્ત કિસાન મોરચાએ આવતી કાલે ભારત બંધની કરી ઘોષણા, જનજીવન પર શું થશે અસર? જાણો


  • Published By :
  • Published Date : 2024-02-15 18:02:05

ખેડૂતોના આંદોલન વચ્ચે 16 ફેબ્રુઆરીએ ભારત બંધ રહેશે. સંયુક્ત કિસાન મોરચા (SKM) એ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો સાથે મળીને 16 ફેબ્રુઆરીએ ભારત બંધની જાહેરાત કરી છે. યુનાઇટેડ કિસાન મોરચાએ ભારત બંધ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. 16 ફેબ્રુઆરીએ ભારત સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. સમય અનુસાર, બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી હજારો ખેડૂતો દેશભરના મુખ્ય માર્ગો પર ચાર કલાક સુધી કૂચ કરશે.


નેશનલ હાઈ વે બંધ રહેશે 

ભારત બંધની જાહેરાત એવા સમયે કરવામાં આવી રહ્યો છે જ્યારે પંજાબથી કૂચ કરી રહેલા ખેડૂતોને હરિયાણાની સરહદ પર રોકી દેવામાં આવ્યા છે. ભારત બંધનું એલાન એટલા માટે કરવામાં આવ્યું છે કે જેથી કરીને માંગણીઓને લઈને કેન્દ્ર સરકાર પર પ્રેસર લાવી શકાય. ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ પંજાબમાં વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક રાષ્ટ્રીય રાજમાર્ગો ચાર કલાક સુધી બંધ રહેશે. હકીકતમાં, લુધિયાણામાં બેઠક દરમિયાન BKU મહાસચિવ હરિન્દર સિંહ લાખોવાલે ભારત બંધનું એલાન કર્યું હતું.


શું બંધ રહેશે, શું ખુલ્લું રહેશે


આ અંગે SKM NCCના સભ્ય ડૉ. દર્શન પાલે જણાવ્યું હતું કે, “ગ્રામીણ ભારત બંધનું આયોજન ડિસેમ્બરમાં જ કરવામાં આવ્યું હતું. આ દિવસે તમામ કૃષિ પ્રવૃત્તિઓ, મનરેગા અને ગ્રામીણ કાર્યો માટે ગામડાં બંધ રહેશે. તે દિવસે કોઈ ખેડૂત, ખેતમજૂર અથવા ગ્રામીણ મજૂર કામ કરશે નહીં. પાલે વધુમાં કહ્યું, “અમે એમ્બ્યુલન્સ, મૃત્યુ, લગ્ન, મેડિકલ શોપ, અખબાર અને બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ માટે રસ્તો ખુલ્લો રાખીશું. એરપોર્ટ પર જનારા લોકો ત્યાં જઈ શકે છે. ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. તેમણે વધુમાં કહ્યું કે શાકભાજી અને અન્ય પાકની ખરીદી બંધ કરવામાં આવશે. ગામડાની દુકાનો, અનાજ બજાર, શાકભાજી બજારો, સરકારી અને બિનસરકારી કચેરીઓ બંધ રહેશે. ગ્રામીણ ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રની સંસ્થાઓ સાથે ખાનગી ક્ષેત્રના સાહસોને બંધ રાખવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત હડતાળ દરમિયાન ગામડાઓ નજીકના શહેરોમાં દુકાનો અને સંસ્થાઓ બંધ રહેશે. NCC સભ્ય પટિયાલાએ વધુમાં કહ્યું કે, જાહેર વાહનો પર પ્રતિબંધ રહેશે. રોડવેઝ કર્મચારી યુનિયન પણ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે.



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.