ડમીકાંડ બાદ સામે આવ્યું નકલી માર્કશીટ બનાવી આપવાનું કૌભાંડ, મહેસાણાથી પોલીસે ઝડપી પાડ્યું કૌભાંડ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-15 12:04:16

નકલી.... નકલી... નકલી... આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં ખાદ્ય પદાર્થોને લઈ વિચાર આવે. એવું લાગે કે કોઈ વેપારી ખાદ્ય પદાર્થમાં નકલી વસ્તુ ભેળસેળ કરતા પકડાયા હશે. પરંતુ ના આજે વાત કરવી છે નકલી માર્કશીટ કૌભાંડની. રાજ્યમાં એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા પરીક્ષામાં નકલી ઉમેદવારો બેસાડવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. એ મામલો હજી શાંત નથી થયો ત્યારે વધુ એક કૌભાંડ મહેસાણાથી સામે આવ્યું છે. નકલી માર્કશીટ બનાવી આપવાનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી ગયો છે. નકલી ડોક્યુમેન્ટ બનાવી પ્રાઈવેટ કંપનીમાં નોકરી મેળવવા માટે ચાલતું કૌભાંડ ઝડપાયું છે. માત્ર બે મિનીટમાં તમને સર્ટિફિકેટ મળી જતા. ઝેરોક્ષની દુકાનમાં કૌભાંડ ચલાવતા આરોપીઓ પોલીસના સકંજામાં છે.


નકલી માર્કશીટ બનાવી આપવાનું કૌભાંડ સામે આવ્યું 

રાજ્યમાં ચાલતા કૌભાંડો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. થોડા સમય પહેલા ડમીકાંડ સામે આવ્યો હતો જેમાં નકલી ઉમેદવારો બેસાડવામાં આવતા હતા ત્યારે મહેસાણાથી નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. મહેસાણાના બેચરાજી ખાતે એક ઝેરોક્ષની દુકાનમાં નકલી માર્કશીટ બનાવી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આમ તો ડિગ્રી મેળવવા વિદ્યાર્થીઓએ અનેક વર્ષો સુધી મહેનત કરવી પડતી હોય છે. પરંતુ જે કૌભાંડ સામે આવ્યું છે તેમાં માત્ર બે મીનિટની અંદર ડિગ્રી સર્ટિફિકેટ તમારા હાથમાં હોય. શંખલપુરમાં રહેતા કુલદીપ પરમાર અને એક યુવકે દુકાન ભાડે રાખી અને પોતાના કોમ્પ્યૂટરમાં ધોરણ 10-12, ITI અને ડિપ્લોમા સુધીની માર્કશીટો બનાવી આપવાની શરૂઆત કરી. પરીક્ષામાં નપાસ થયેલા વિદ્યાર્થીઓને માર્કશીટમાં સુધારો કરી આપતા લોકોનો પર્દાફાશ થયો છે.   


1500 રૂપિયામાં મળતી હતી નકલી માર્કશીટ  

આ મામલે મળતી માહિતી અનુસાર માત્ર બે મહિનાની અંદર 50 જેટલા વિદ્યાર્થીઓને નકલી માર્કશીટ બનાવી આપી છે. થોડા સમય પહેલા પણ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક દુકાનની બહાર અનેક યુવાનો ઉભા છે. જે વીડિયો વાયરલ થયો હતો તેમાં એક વિદ્યાર્થી બોલી રહ્યો હતો કે હું જ પ્રિન્સિપલ અને હું જ ટીચર. તેમ કહી નકલી માર્કશીટ વેંચતો હતો. આવી પ્રવૃત્તિ થાય છે તે વાતની બાતમી મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી. જેના આધારે પોલીસે ઝેરોક્ષની દુકાનમાં દરોડા પાડ્યા. તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વસ્તુઓ મળી આવી. ડોક્યુમેન્ટો મળી આવ્યા. 1500 રુપિયામાં નકલી માર્કશીટ આપવામાં આવતી હતી. 


ઝેરોક્ષની દુકાનમાં બનતી હતી માર્કશીટ  

નકલી માર્કશીટના આધારે અનેક લોકો નોકરી પર પણ લાગી ગયા હતા. સાચી ડિગ્રી ન હોવા છતાં, પૂર્ણ અભ્યાસ કર્યા વગર નકલી માર્કશીટનો સહારો લઈ નકલી ડિગ્રીને આધારે નોકરી મેળવી લીધી હતી. રેડ દરમિયાન પોલીસે 86400 જેટલાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  


પહેલા નકલી ઉમેદવારો પકડાયા હવે નકલી માર્કશીટ બનાવતા લોકો!

નકલી વસ્તુનો હાલ જમાનો ચાલે છે. ખાવા પીવાની વસ્તુઓ તો નકલી મળી રહી છે પરંતુ હવે તો માર્કશીટ પણ નકલી મળી રહી છે. પહેલા નકલી ઉમેદવારોને પરીક્ષા આપવા બેસાડવામાં આવતા હતા પરંતુ હવે તો ડાયરેક્ટ માર્કશીટ જ વગર ભણે, વગર પરીક્ષા આપે હાથમાં આવી રહી છે. આવા કૌભાંડો સામે આવતા વિદ્યાર્થીઓ પણ એવું વિચારતા હશે કે ભણવાની શું જરૂર છે? પરંતુ વિદ્યાર્થીઓએ પોતાના ભવિષ્ય સાથે ચેડા કરવાની જરૂર નથી.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.