27 વર્ષ બાદ બની રહી છે Border-2ની સિક્વલ, Sunny Deolએ આપી જાણકારી, આ રીતે કરી ફિલ્મની announcement, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-13 13:38:15

સંદેશે આતે હેં, હમે તડપાતે હેં.... આ સોન્ગ તો તમે સાંભળ્યું જ હશે. દેશભક્તિના સોન્ગ જ્યારે યાદ આવે છે ત્યારે આ ગીત મોખરે હોય છે.. આ ગીત જે ફિલ્મનું છે તેની સિક્વલ 27 વર્ષ પછી આવી રહી છે.. જી હા, સની દેઓલ દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે.. આતુરતાથી ફેન્સ આ announcementની રાહ જોઈ રહ્યા હતા.. ત્યારે આજે સની દેઓલ દ્વારા આની જાહેરાત કરાઈ છે જેને કારણે ફેન્સમાં ખુશી છવાઈ ગઈ છે...

27 વર્ષ બાદ આવી રહી છે બોર્ડર ફિલ્મની સિક્વલ 

13 જૂને સની દેઓલની ફિલ્મ બોર્ડરને 27 વર્ષ પૂર્ણ થઈ ગયા છે... 1997માં આ ફિલ્મ આવી હતી અને જનતાનો પ્રેમ આ ફિલ્મને મળ્યો હતો. થોડા સમય પહેલા એવી ચર્ચા થઈ રહી હતી કે ગદ્દર ફિલ્મની સિક્વલ આવશે, તે બાદ ચર્ચા થઈ કે બોર્ડર ફિલ્મની સિક્વલ આવશે અને આજે આ અટકળો પર પૂર્ણ વિરામ લાગી ગયો છે. સની દેઓલ દ્વારા announcement કરવામાં આવી છે બોર્ડર 2 ફિલ્મની.. સોશિયલ મીડિયા પર સની દેઓલે એક વીડિયો શેર કરી આની માહિતી આપી હતી.. ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા  'બોર્ડર 2'નું નિર્માણ કરવાના છે. જ્યારે  અનુરાગ સિંહ ડિરેક્શનની જવાબદારી સંભાળી રહ્યા છે.. 



વીડિયો શેર કર્યો જેમાં... 

ફિલ્મ મેકર્સ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં સની દેઓલનો અવાજ સંભળાય છે જેમાં તે કહી રહ્યા છે કે "27 વર્ષ પહેલા એક સૈનિકે વચન આપ્યું હતું કે તે પાછો આવશે, તે વચનને પૂર્ણ કરવા માટે, તે ફરી આવી રહ્યો છે..." બેકગ્રાઉન્ડમાં સોનું નિગમનો અવાજ સંભળાઈ રહ્યો છે જેમાં તે સંદેશે આતે હેં ગીત ગાતા સંભળાઈ રહ્યા છે. આ ફિલ્મની કહાણી શું હશે, સની દેઓલની સાથે કોણ હશે તેની જાણકારી સામે આવી નથી.. ત્યારે આ વિષય પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.