27 વર્ષ બાદ બની રહી છે Border-2ની સિક્વલ, Sunny Deolએ આપી જાણકારી, આ રીતે કરી ફિલ્મની announcement, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-13 13:38:15

સંદેશે આતે હેં, હમે તડપાતે હેં.... આ સોન્ગ તો તમે સાંભળ્યું જ હશે. દેશભક્તિના સોન્ગ જ્યારે યાદ આવે છે ત્યારે આ ગીત મોખરે હોય છે.. આ ગીત જે ફિલ્મનું છે તેની સિક્વલ 27 વર્ષ પછી આવી રહી છે.. જી હા, સની દેઓલ દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે.. આતુરતાથી ફેન્સ આ announcementની રાહ જોઈ રહ્યા હતા.. ત્યારે આજે સની દેઓલ દ્વારા આની જાહેરાત કરાઈ છે જેને કારણે ફેન્સમાં ખુશી છવાઈ ગઈ છે...

27 વર્ષ બાદ આવી રહી છે બોર્ડર ફિલ્મની સિક્વલ 

13 જૂને સની દેઓલની ફિલ્મ બોર્ડરને 27 વર્ષ પૂર્ણ થઈ ગયા છે... 1997માં આ ફિલ્મ આવી હતી અને જનતાનો પ્રેમ આ ફિલ્મને મળ્યો હતો. થોડા સમય પહેલા એવી ચર્ચા થઈ રહી હતી કે ગદ્દર ફિલ્મની સિક્વલ આવશે, તે બાદ ચર્ચા થઈ કે બોર્ડર ફિલ્મની સિક્વલ આવશે અને આજે આ અટકળો પર પૂર્ણ વિરામ લાગી ગયો છે. સની દેઓલ દ્વારા announcement કરવામાં આવી છે બોર્ડર 2 ફિલ્મની.. સોશિયલ મીડિયા પર સની દેઓલે એક વીડિયો શેર કરી આની માહિતી આપી હતી.. ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા  'બોર્ડર 2'નું નિર્માણ કરવાના છે. જ્યારે  અનુરાગ સિંહ ડિરેક્શનની જવાબદારી સંભાળી રહ્યા છે.. 



વીડિયો શેર કર્યો જેમાં... 

ફિલ્મ મેકર્સ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં સની દેઓલનો અવાજ સંભળાય છે જેમાં તે કહી રહ્યા છે કે "27 વર્ષ પહેલા એક સૈનિકે વચન આપ્યું હતું કે તે પાછો આવશે, તે વચનને પૂર્ણ કરવા માટે, તે ફરી આવી રહ્યો છે..." બેકગ્રાઉન્ડમાં સોનું નિગમનો અવાજ સંભળાઈ રહ્યો છે જેમાં તે સંદેશે આતે હેં ગીત ગાતા સંભળાઈ રહ્યા છે. આ ફિલ્મની કહાણી શું હશે, સની દેઓલની સાથે કોણ હશે તેની જાણકારી સામે આવી નથી.. ત્યારે આ વિષય પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.