27 વર્ષ બાદ બની રહી છે Border-2ની સિક્વલ, Sunny Deolએ આપી જાણકારી, આ રીતે કરી ફિલ્મની announcement, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-13 13:38:15

સંદેશે આતે હેં, હમે તડપાતે હેં.... આ સોન્ગ તો તમે સાંભળ્યું જ હશે. દેશભક્તિના સોન્ગ જ્યારે યાદ આવે છે ત્યારે આ ગીત મોખરે હોય છે.. આ ગીત જે ફિલ્મનું છે તેની સિક્વલ 27 વર્ષ પછી આવી રહી છે.. જી હા, સની દેઓલ દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે.. આતુરતાથી ફેન્સ આ announcementની રાહ જોઈ રહ્યા હતા.. ત્યારે આજે સની દેઓલ દ્વારા આની જાહેરાત કરાઈ છે જેને કારણે ફેન્સમાં ખુશી છવાઈ ગઈ છે...

27 વર્ષ બાદ આવી રહી છે બોર્ડર ફિલ્મની સિક્વલ 

13 જૂને સની દેઓલની ફિલ્મ બોર્ડરને 27 વર્ષ પૂર્ણ થઈ ગયા છે... 1997માં આ ફિલ્મ આવી હતી અને જનતાનો પ્રેમ આ ફિલ્મને મળ્યો હતો. થોડા સમય પહેલા એવી ચર્ચા થઈ રહી હતી કે ગદ્દર ફિલ્મની સિક્વલ આવશે, તે બાદ ચર્ચા થઈ કે બોર્ડર ફિલ્મની સિક્વલ આવશે અને આજે આ અટકળો પર પૂર્ણ વિરામ લાગી ગયો છે. સની દેઓલ દ્વારા announcement કરવામાં આવી છે બોર્ડર 2 ફિલ્મની.. સોશિયલ મીડિયા પર સની દેઓલે એક વીડિયો શેર કરી આની માહિતી આપી હતી.. ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા  'બોર્ડર 2'નું નિર્માણ કરવાના છે. જ્યારે  અનુરાગ સિંહ ડિરેક્શનની જવાબદારી સંભાળી રહ્યા છે.. 



વીડિયો શેર કર્યો જેમાં... 

ફિલ્મ મેકર્સ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં સની દેઓલનો અવાજ સંભળાય છે જેમાં તે કહી રહ્યા છે કે "27 વર્ષ પહેલા એક સૈનિકે વચન આપ્યું હતું કે તે પાછો આવશે, તે વચનને પૂર્ણ કરવા માટે, તે ફરી આવી રહ્યો છે..." બેકગ્રાઉન્ડમાં સોનું નિગમનો અવાજ સંભળાઈ રહ્યો છે જેમાં તે સંદેશે આતે હેં ગીત ગાતા સંભળાઈ રહ્યા છે. આ ફિલ્મની કહાણી શું હશે, સની દેઓલની સાથે કોણ હશે તેની જાણકારી સામે આવી નથી.. ત્યારે આ વિષય પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.