નવ દુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે માતા કાલરાત્રિ, જાણો શા માટે માતાજીએ ધારણ કર્યું આ રૂપ?


  • Published By :
  • Published Date : 2023-10-21 11:34:42

નવ દુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે કાલરાત્રિ. નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજીના નવ દુર્ગા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના સાતમા નોરતે માતા કાલરાત્રિની આરાધના કરવામાં આવે છે. જે સાધક માતાજીના સ્વરૂપની એટલે કે કાલરાત્રિની પૂજા કરે છે તે ભક્તના તમામ કષ્ટો માતાજી દૂર કરે છે. તમામ કષ્ટોથી માતાજી મુક્તિ અપાવે છે. આ રૂપને માતાજીનું રૌદ્રરૂપ માનવામાં આવે છે. આ સ્વરૂપની પૂજા કરવાથી ભય તેમજ રોગનો નાશ થાય છે. માતાજીનું સ્વરૂપ ભલે રૌદ્ર છે પરંતુ ભક્તો માટે કલ્યાણકારી છે. 


કેવું છે માતા કાલરાત્રિનું સ્વરૂપ? 

માતાજીના ઉત્પત્તિની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે માતા પાર્વતીએ દુષ્ટોનો નાશ કરવા આ રૂપ ધારણ કર્યું હતું. દૈત્ય શુંભ,નિશુંભ તેમજ રક્તબીજનો વધ કરવા માટે માતાજીએ આ રૂપ લીઘું હતું, રાત્રીના અંધકાર જેવો તેમનો વર્ણ હોવાને કારણે તેઓ કાલરાત્રિ નામથી ઓળખાય છે. માતા કાલરાત્રિના સ્વરૂપની વાત કરીએ તો મા કાલરાત્રિ ગદર્ભ એટલે ગધેડા પર સવારી કરે છે. તેઓ ત્રિનેત્ર ધારી છે. માતાજીને ચારભૂજાઓ છે. એક હાથમાં ખડગ, બીજા હાથમાં લોખંડનું શસ્ત્ર માતાજીએ ધારણ કર્યું છે. ત્રીજા હાથમાં માતાજીએ અભય મુદ્રા ધારણ કરી છે અને ચોથા હાથથી માતાજી ભક્તોને આશીર્વાદ આપે છે. માતાજીના કેશ લાંબા અને વિકરાળ છે.


ક્યા મંત્રનું કરવું જોઈએ ઉચ્ચારણ? 

માતાજીને પ્રસન્ન કરવા માટે અલગ અલગ મંત્રનો જાપ ભક્ત કરી શકે છે. મનમાં સાચી શ્રદ્ધા હશે તો કોઈ પણ મંત્ર કેમ ન હોય માતાજી તે મંત્રનો સ્વીકાર કરશે તેવું આપણે ત્યાં કેહવામાં આવે છે.માતાજીના રૂપ પ્રમાણે અલગ અલગ મંત્રો હોય છે. દરેક માતાજીને સમર્પિત મંત્રનો જાપ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે તેવું માનવામાં આવે છે. માતાજીની કૃપાદ્રષ્ટિ ભક્ત પર રહે છે. કાલરાત્રિ માતાના મંત્રની વાત કરીએ તો -

एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता, लम्बोष्टी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी।

वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा, वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥

જો આ મંત્રનું ઉચ્ચારણ શક્ય ન હોય તો કાલરાત્રિને સમર્પિત બીજ મંત્રનો જાપ સાધકે કરવો જોઈએ જે આ પ્રમાણે છે -ऊं ऐं ह्रीं क्लीं कालरातै नम:

harmful effect of jaggery you must know before having it

કયો નૈવેદ્ય માતાજીને કરવો જોઈએ અર્પણ? 

નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજી સમક્ષ દિવસ પ્રમાણે નૈવેદ્ય અર્પણ કરવાથી માતાજીના આશીર્વાદ જલ્દી પ્રાપ્ત થાય છે. અલગ અલગ દિવસે અલગ અલગ ભોગ માતાજી સમક્ષ અર્પણ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે. નવરાત્રીના સાતમા નોરતે ગોળનો નૈવેદ્ય અર્પણ કરવો જોઈએ. 



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .