નવ દુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે માતા કાલરાત્રિ, જાણો શા માટે માતાજીએ ધારણ કર્યું આ રૂપ?


  • Published By :
  • Published Date : 2023-10-21 11:34:42

નવ દુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે કાલરાત્રિ. નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજીના નવ દુર્ગા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના સાતમા નોરતે માતા કાલરાત્રિની આરાધના કરવામાં આવે છે. જે સાધક માતાજીના સ્વરૂપની એટલે કે કાલરાત્રિની પૂજા કરે છે તે ભક્તના તમામ કષ્ટો માતાજી દૂર કરે છે. તમામ કષ્ટોથી માતાજી મુક્તિ અપાવે છે. આ રૂપને માતાજીનું રૌદ્રરૂપ માનવામાં આવે છે. આ સ્વરૂપની પૂજા કરવાથી ભય તેમજ રોગનો નાશ થાય છે. માતાજીનું સ્વરૂપ ભલે રૌદ્ર છે પરંતુ ભક્તો માટે કલ્યાણકારી છે. 


કેવું છે માતા કાલરાત્રિનું સ્વરૂપ? 

માતાજીના ઉત્પત્તિની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે માતા પાર્વતીએ દુષ્ટોનો નાશ કરવા આ રૂપ ધારણ કર્યું હતું. દૈત્ય શુંભ,નિશુંભ તેમજ રક્તબીજનો વધ કરવા માટે માતાજીએ આ રૂપ લીઘું હતું, રાત્રીના અંધકાર જેવો તેમનો વર્ણ હોવાને કારણે તેઓ કાલરાત્રિ નામથી ઓળખાય છે. માતા કાલરાત્રિના સ્વરૂપની વાત કરીએ તો મા કાલરાત્રિ ગદર્ભ એટલે ગધેડા પર સવારી કરે છે. તેઓ ત્રિનેત્ર ધારી છે. માતાજીને ચારભૂજાઓ છે. એક હાથમાં ખડગ, બીજા હાથમાં લોખંડનું શસ્ત્ર માતાજીએ ધારણ કર્યું છે. ત્રીજા હાથમાં માતાજીએ અભય મુદ્રા ધારણ કરી છે અને ચોથા હાથથી માતાજી ભક્તોને આશીર્વાદ આપે છે. માતાજીના કેશ લાંબા અને વિકરાળ છે.


ક્યા મંત્રનું કરવું જોઈએ ઉચ્ચારણ? 

માતાજીને પ્રસન્ન કરવા માટે અલગ અલગ મંત્રનો જાપ ભક્ત કરી શકે છે. મનમાં સાચી શ્રદ્ધા હશે તો કોઈ પણ મંત્ર કેમ ન હોય માતાજી તે મંત્રનો સ્વીકાર કરશે તેવું આપણે ત્યાં કેહવામાં આવે છે.માતાજીના રૂપ પ્રમાણે અલગ અલગ મંત્રો હોય છે. દરેક માતાજીને સમર્પિત મંત્રનો જાપ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે તેવું માનવામાં આવે છે. માતાજીની કૃપાદ્રષ્ટિ ભક્ત પર રહે છે. કાલરાત્રિ માતાના મંત્રની વાત કરીએ તો -

एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता, लम्बोष्टी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी।

वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा, वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥

જો આ મંત્રનું ઉચ્ચારણ શક્ય ન હોય તો કાલરાત્રિને સમર્પિત બીજ મંત્રનો જાપ સાધકે કરવો જોઈએ જે આ પ્રમાણે છે -ऊं ऐं ह्रीं क्लीं कालरातै नम:

harmful effect of jaggery you must know before having it

કયો નૈવેદ્ય માતાજીને કરવો જોઈએ અર્પણ? 

નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજી સમક્ષ દિવસ પ્રમાણે નૈવેદ્ય અર્પણ કરવાથી માતાજીના આશીર્વાદ જલ્દી પ્રાપ્ત થાય છે. અલગ અલગ દિવસે અલગ અલગ ભોગ માતાજી સમક્ષ અર્પણ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે. નવરાત્રીના સાતમા નોરતે ગોળનો નૈવેદ્ય અર્પણ કરવો જોઈએ. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.