નવ દુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે માતા કાલરાત્રિ, જાણો શા માટે માતાજીએ ધારણ કર્યું આ રૂપ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-21 11:34:42

નવ દુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે કાલરાત્રિ. નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજીના નવ દુર્ગા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના સાતમા નોરતે માતા કાલરાત્રિની આરાધના કરવામાં આવે છે. જે સાધક માતાજીના સ્વરૂપની એટલે કે કાલરાત્રિની પૂજા કરે છે તે ભક્તના તમામ કષ્ટો માતાજી દૂર કરે છે. તમામ કષ્ટોથી માતાજી મુક્તિ અપાવે છે. આ રૂપને માતાજીનું રૌદ્રરૂપ માનવામાં આવે છે. આ સ્વરૂપની પૂજા કરવાથી ભય તેમજ રોગનો નાશ થાય છે. માતાજીનું સ્વરૂપ ભલે રૌદ્ર છે પરંતુ ભક્તો માટે કલ્યાણકારી છે. 


કેવું છે માતા કાલરાત્રિનું સ્વરૂપ? 

માતાજીના ઉત્પત્તિની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે માતા પાર્વતીએ દુષ્ટોનો નાશ કરવા આ રૂપ ધારણ કર્યું હતું. દૈત્ય શુંભ,નિશુંભ તેમજ રક્તબીજનો વધ કરવા માટે માતાજીએ આ રૂપ લીઘું હતું, રાત્રીના અંધકાર જેવો તેમનો વર્ણ હોવાને કારણે તેઓ કાલરાત્રિ નામથી ઓળખાય છે. માતા કાલરાત્રિના સ્વરૂપની વાત કરીએ તો મા કાલરાત્રિ ગદર્ભ એટલે ગધેડા પર સવારી કરે છે. તેઓ ત્રિનેત્ર ધારી છે. માતાજીને ચારભૂજાઓ છે. એક હાથમાં ખડગ, બીજા હાથમાં લોખંડનું શસ્ત્ર માતાજીએ ધારણ કર્યું છે. ત્રીજા હાથમાં માતાજીએ અભય મુદ્રા ધારણ કરી છે અને ચોથા હાથથી માતાજી ભક્તોને આશીર્વાદ આપે છે. માતાજીના કેશ લાંબા અને વિકરાળ છે.


ક્યા મંત્રનું કરવું જોઈએ ઉચ્ચારણ? 

માતાજીને પ્રસન્ન કરવા માટે અલગ અલગ મંત્રનો જાપ ભક્ત કરી શકે છે. મનમાં સાચી શ્રદ્ધા હશે તો કોઈ પણ મંત્ર કેમ ન હોય માતાજી તે મંત્રનો સ્વીકાર કરશે તેવું આપણે ત્યાં કેહવામાં આવે છે.માતાજીના રૂપ પ્રમાણે અલગ અલગ મંત્રો હોય છે. દરેક માતાજીને સમર્પિત મંત્રનો જાપ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે તેવું માનવામાં આવે છે. માતાજીની કૃપાદ્રષ્ટિ ભક્ત પર રહે છે. કાલરાત્રિ માતાના મંત્રની વાત કરીએ તો -

एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता, लम्बोष्टी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी।

वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा, वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥

જો આ મંત્રનું ઉચ્ચારણ શક્ય ન હોય તો કાલરાત્રિને સમર્પિત બીજ મંત્રનો જાપ સાધકે કરવો જોઈએ જે આ પ્રમાણે છે -ऊं ऐं ह्रीं क्लीं कालरातै नम:

harmful effect of jaggery you must know before having it

કયો નૈવેદ્ય માતાજીને કરવો જોઈએ અર્પણ? 

નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજી સમક્ષ દિવસ પ્રમાણે નૈવેદ્ય અર્પણ કરવાથી માતાજીના આશીર્વાદ જલ્દી પ્રાપ્ત થાય છે. અલગ અલગ દિવસે અલગ અલગ ભોગ માતાજી સમક્ષ અર્પણ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે. નવરાત્રીના સાતમા નોરતે ગોળનો નૈવેદ્ય અર્પણ કરવો જોઈએ. 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.