નવ દુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે માતા કાલરાત્રિ, જાણો શા માટે માતાજીએ ધારણ કર્યું આ રૂપ?


  • Published By :
  • Published Date : 2023-10-21 11:34:42

નવ દુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે કાલરાત્રિ. નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજીના નવ દુર્ગા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના સાતમા નોરતે માતા કાલરાત્રિની આરાધના કરવામાં આવે છે. જે સાધક માતાજીના સ્વરૂપની એટલે કે કાલરાત્રિની પૂજા કરે છે તે ભક્તના તમામ કષ્ટો માતાજી દૂર કરે છે. તમામ કષ્ટોથી માતાજી મુક્તિ અપાવે છે. આ રૂપને માતાજીનું રૌદ્રરૂપ માનવામાં આવે છે. આ સ્વરૂપની પૂજા કરવાથી ભય તેમજ રોગનો નાશ થાય છે. માતાજીનું સ્વરૂપ ભલે રૌદ્ર છે પરંતુ ભક્તો માટે કલ્યાણકારી છે. 


કેવું છે માતા કાલરાત્રિનું સ્વરૂપ? 

માતાજીના ઉત્પત્તિની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે માતા પાર્વતીએ દુષ્ટોનો નાશ કરવા આ રૂપ ધારણ કર્યું હતું. દૈત્ય શુંભ,નિશુંભ તેમજ રક્તબીજનો વધ કરવા માટે માતાજીએ આ રૂપ લીઘું હતું, રાત્રીના અંધકાર જેવો તેમનો વર્ણ હોવાને કારણે તેઓ કાલરાત્રિ નામથી ઓળખાય છે. માતા કાલરાત્રિના સ્વરૂપની વાત કરીએ તો મા કાલરાત્રિ ગદર્ભ એટલે ગધેડા પર સવારી કરે છે. તેઓ ત્રિનેત્ર ધારી છે. માતાજીને ચારભૂજાઓ છે. એક હાથમાં ખડગ, બીજા હાથમાં લોખંડનું શસ્ત્ર માતાજીએ ધારણ કર્યું છે. ત્રીજા હાથમાં માતાજીએ અભય મુદ્રા ધારણ કરી છે અને ચોથા હાથથી માતાજી ભક્તોને આશીર્વાદ આપે છે. માતાજીના કેશ લાંબા અને વિકરાળ છે.


ક્યા મંત્રનું કરવું જોઈએ ઉચ્ચારણ? 

માતાજીને પ્રસન્ન કરવા માટે અલગ અલગ મંત્રનો જાપ ભક્ત કરી શકે છે. મનમાં સાચી શ્રદ્ધા હશે તો કોઈ પણ મંત્ર કેમ ન હોય માતાજી તે મંત્રનો સ્વીકાર કરશે તેવું આપણે ત્યાં કેહવામાં આવે છે.માતાજીના રૂપ પ્રમાણે અલગ અલગ મંત્રો હોય છે. દરેક માતાજીને સમર્પિત મંત્રનો જાપ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે તેવું માનવામાં આવે છે. માતાજીની કૃપાદ્રષ્ટિ ભક્ત પર રહે છે. કાલરાત્રિ માતાના મંત્રની વાત કરીએ તો -

एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता, लम्बोष्टी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी।

वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा, वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥

જો આ મંત્રનું ઉચ્ચારણ શક્ય ન હોય તો કાલરાત્રિને સમર્પિત બીજ મંત્રનો જાપ સાધકે કરવો જોઈએ જે આ પ્રમાણે છે -ऊं ऐं ह्रीं क्लीं कालरातै नम:

harmful effect of jaggery you must know before having it

કયો નૈવેદ્ય માતાજીને કરવો જોઈએ અર્પણ? 

નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજી સમક્ષ દિવસ પ્રમાણે નૈવેદ્ય અર્પણ કરવાથી માતાજીના આશીર્વાદ જલ્દી પ્રાપ્ત થાય છે. અલગ અલગ દિવસે અલગ અલગ ભોગ માતાજી સમક્ષ અર્પણ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે. નવરાત્રીના સાતમા નોરતે ગોળનો નૈવેદ્ય અર્પણ કરવો જોઈએ. 



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .