Uttrakhand Haldwani : ગઈકાલથી ભડકેલી હિંસાએ લીધું આક્રામક રૂપ, જાણો કેવી છે ત્યાંની પરિસ્થિતિ?


  • Published By :
  • Published Date : 2024-02-09 10:52:45

ગઈકાલથી ઉત્તરાખંડમાં હિંસા ભડકી ઉઠી છે. હલ્દ્વાનીમાં ગુરૂવાર રાતથી પરિસ્થિતિ વણસી રહી છે. 8 ફેબ્રુઆરીએ કથિત રીતે ગેરકાયદેસર ઉભા કરવામાં આવેલા મદરેસાને અને ધર્મસ્થળને તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી. ઈમારત તોડી પડાતા હિંસા ફાટી નીકળી હતી. આ ભડકેલી હિંસામાં 4 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે 100 જેટલા લોકો ઘાયલ થયા છે. જે લોકો ઘાયલ થયા છે તેમાં પોલીસકર્મીઓ છે. આ પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો છે ઉપરાંત ઈન્ટરનેટ સેવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ આ પરિસ્થિતિને શાંત પાડવા માટે હાઈ લેવલ બેઠક બોલાઈ છે.

અધિક્રમણ હટાવવા ગયેલી ટીમ પર કરાયો હુમલો! 

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હલ્દવાનીના બાનભૂલપુરામાં ગેરકાયદે બાંધકામ હટાવવા દરમિયાન પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ અને કર્મચારીઓ પર હુમલાની અને વિસ્તારમાં અશાંતિ ફેલાવવાની ઘટનાને ગંભીરતાથી લીધી છે. આ સાથે જ હલ્દવાનીમાં તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે. ગુરુવારે સ્થાનિક બનભૂલપુરાના મલિક કા બગીચા વિસ્તારમાં સરકારી જમીન પર બનેલા મદરેસા અને મસ્જિદને તોડવા માટે આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર ભૂ-માફિયાના લોકોએ હુમલો કર્યો હતો અને પોલીસ સ્ટેશનને સળગાવી દીધું હતું. ત્યારથી આ વિસ્તારમાં તણાવ છે અને પ્રશાસને કર્ફ્યુ લગાવી દીધો છે અને બજારો બંધ કરી દીધા છે. આ મામલે કલેક્ટરે ખુલાસો કર્યો છે. 

આ ઘટનામાં હજી સુધી થયા ચાર જેટલા લોકોના મોત 

હલ્દવાની મામલામાં સીએમ પુષ્કર સિંહ ધામીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. સીએમ ધામીએ મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. બેફામ તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. દરમિયાન, ડીએમએ હલ્દવાનીમાં કર્ફ્યુ લાદી દીધો છે અને તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપ્યા છે. મહત્વનું છે આ ઘટનામાં હજી સુધી ચાર લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે ઉપરાંત અનેક પોલીસકર્મીએ ઘાયલ થયા છે.   



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .