Uttrakhand Haldwani : ગઈકાલથી ભડકેલી હિંસાએ લીધું આક્રામક રૂપ, જાણો કેવી છે ત્યાંની પરિસ્થિતિ?


  • Published By :
  • Published Date : 2024-02-09 10:52:45

ગઈકાલથી ઉત્તરાખંડમાં હિંસા ભડકી ઉઠી છે. હલ્દ્વાનીમાં ગુરૂવાર રાતથી પરિસ્થિતિ વણસી રહી છે. 8 ફેબ્રુઆરીએ કથિત રીતે ગેરકાયદેસર ઉભા કરવામાં આવેલા મદરેસાને અને ધર્મસ્થળને તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી. ઈમારત તોડી પડાતા હિંસા ફાટી નીકળી હતી. આ ભડકેલી હિંસામાં 4 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે 100 જેટલા લોકો ઘાયલ થયા છે. જે લોકો ઘાયલ થયા છે તેમાં પોલીસકર્મીઓ છે. આ પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો છે ઉપરાંત ઈન્ટરનેટ સેવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ આ પરિસ્થિતિને શાંત પાડવા માટે હાઈ લેવલ બેઠક બોલાઈ છે.

અધિક્રમણ હટાવવા ગયેલી ટીમ પર કરાયો હુમલો! 

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હલ્દવાનીના બાનભૂલપુરામાં ગેરકાયદે બાંધકામ હટાવવા દરમિયાન પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ અને કર્મચારીઓ પર હુમલાની અને વિસ્તારમાં અશાંતિ ફેલાવવાની ઘટનાને ગંભીરતાથી લીધી છે. આ સાથે જ હલ્દવાનીમાં તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે. ગુરુવારે સ્થાનિક બનભૂલપુરાના મલિક કા બગીચા વિસ્તારમાં સરકારી જમીન પર બનેલા મદરેસા અને મસ્જિદને તોડવા માટે આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર ભૂ-માફિયાના લોકોએ હુમલો કર્યો હતો અને પોલીસ સ્ટેશનને સળગાવી દીધું હતું. ત્યારથી આ વિસ્તારમાં તણાવ છે અને પ્રશાસને કર્ફ્યુ લગાવી દીધો છે અને બજારો બંધ કરી દીધા છે. આ મામલે કલેક્ટરે ખુલાસો કર્યો છે. 

આ ઘટનામાં હજી સુધી થયા ચાર જેટલા લોકોના મોત 

હલ્દવાની મામલામાં સીએમ પુષ્કર સિંહ ધામીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. સીએમ ધામીએ મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. બેફામ તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. દરમિયાન, ડીએમએ હલ્દવાનીમાં કર્ફ્યુ લાદી દીધો છે અને તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપ્યા છે. મહત્વનું છે આ ઘટનામાં હજી સુધી ચાર લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે ઉપરાંત અનેક પોલીસકર્મીએ ઘાયલ થયા છે.   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.