બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં ભારતની આ ફિલ્મના ગીતે જીત્યો એવોર્ડ, એવોર્ડ મળતા જ રડી પડી દીપિકા પાદુકોણ!


  • Published By : Utpal Dave
  • Published Date : 2023-03-13 18:28:15

ઓસ્કર એવોર્ડ સેરેમનીમાં ભારતની ફિલ્મોનો દબદબો જોવા મળ્યો છે. 95માં ઓસ્કર એવોર્ડમાં ભારતની ફિલ્મ RRRના નાટુ નાટુ ગીતે એવોર્ડ જીત્યો છે. આ ગીતે બેસ્ટ ઓરિજિનિલ સોંગની કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આરઆરઆર ભારતની પ્રથમ ફિચર ફિલ્મ હતી જેેને આ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું અને એવોર્ડ પણ જીત્યો છે. આરઆરઆનું નાટુ નાટુ ગીત લખનાર ચંદ્ર બોસ અને સંગીતકાર એમ.એમ.કેરાવાણીએ ટ્રોફી લીધી હતી.


પીએમ મોદીએ ટ્વિટ કરી પાઠવી શુભકામના 

ઓસ્કર મેળવ્યા બાદ ભારતના વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી અભિનંદન પાઠવ્યા હતા. નરેન્દ્ર મોદીએ ટ્વિટમાં લખ્યું કે અદ્ભૂત, નાટૂ નાટૂ ગીતની લોકપ્રિયતા હવે ગ્લોબલ થઈ ગઈ છે. આ એવું ગીત છે જે આવનાર વર્ષો સુધી લોકોને યાદ રહેશે.  


આ ડોક્યુમેન્ટરી ફિલ્મને મળ્યો છે એવોર્ડ 

આરઆરઆર ફિલ્મ સિવાય ધ એલિફન્ટ વ્હિસ્પર્સને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ ડોક્યુમેન્ટરીનું દિગ્દર્શન કાર્તિકેયી ગોન્સાલ્વેસ દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે આના નિર્માતા ગુનીત મોંગા છે. ગુનીતની આ બીજી ફિલ્મ છે જેને ઓસ્કર એવોર્ડ મળ્યો છે. 2019માં પિરિયડ એન્ડ ઓફ ક્વેઈનને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મની કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો. તે ઉપરાંત પીએમ મોદીએ ડોક્યુમેન્ટરી ફિલ્મ વિજેતાને અભિનંદન પાઠવ્યા છે.



ગુજરાતમાં કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. શનિવારે કોરોનાના 372 નવા કેસ નોંધાયા છે. ફરી એક વખત અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 128 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાંથી 34, સુરત જિલ્લામાં 35 તેમજ રાજકોટથી 19 કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાંથી 14 કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લાથી 8 કેસ સામે આવ્યા છે.

દીકરીને ન્યાય મળે તે માટે સમાજ દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ ઝડપથી કરવામાં આવી હતી. શનિવારે પોલીસને મોટી સફળતા મળી છે જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મહારાષ્ટ્રથી આરોપીને દબોચી લીધો છે.

ગેરકાયદેસર રીતે કોઈપણ દેશમાં લોકો ઘૂસવાની કોશિષ કરતા હોય છે અને જીવન ગુમાવતા હોય છે. ત્યારે કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ સભ્યો મોતને ભેટ્યાં છે. મરનાર લોકોમાં એક પરિવાર ભારતનો હતો.

જયસુખ પટેલ જામીન માટે સતત અરજી કરી રહ્યા છે. આજે પણ જયસુખ પટેલે જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. રેગ્યુલર જામીન માટે મોરબી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરી છે.