બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં ભારતની આ ફિલ્મના ગીતે જીત્યો એવોર્ડ, એવોર્ડ મળતા જ રડી પડી દીપિકા પાદુકોણ!


  • Published By :
  • Published Date : 2023-03-13 18:28:15

ઓસ્કર એવોર્ડ સેરેમનીમાં ભારતની ફિલ્મોનો દબદબો જોવા મળ્યો છે. 95માં ઓસ્કર એવોર્ડમાં ભારતની ફિલ્મ RRRના નાટુ નાટુ ગીતે એવોર્ડ જીત્યો છે. આ ગીતે બેસ્ટ ઓરિજિનિલ સોંગની કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આરઆરઆર ભારતની પ્રથમ ફિચર ફિલ્મ હતી જેેને આ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું અને એવોર્ડ પણ જીત્યો છે. આરઆરઆનું નાટુ નાટુ ગીત લખનાર ચંદ્ર બોસ અને સંગીતકાર એમ.એમ.કેરાવાણીએ ટ્રોફી લીધી હતી.


પીએમ મોદીએ ટ્વિટ કરી પાઠવી શુભકામના 

ઓસ્કર મેળવ્યા બાદ ભારતના વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી અભિનંદન પાઠવ્યા હતા. નરેન્દ્ર મોદીએ ટ્વિટમાં લખ્યું કે અદ્ભૂત, નાટૂ નાટૂ ગીતની લોકપ્રિયતા હવે ગ્લોબલ થઈ ગઈ છે. આ એવું ગીત છે જે આવનાર વર્ષો સુધી લોકોને યાદ રહેશે.  


આ ડોક્યુમેન્ટરી ફિલ્મને મળ્યો છે એવોર્ડ 

આરઆરઆર ફિલ્મ સિવાય ધ એલિફન્ટ વ્હિસ્પર્સને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ ડોક્યુમેન્ટરીનું દિગ્દર્શન કાર્તિકેયી ગોન્સાલ્વેસ દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે આના નિર્માતા ગુનીત મોંગા છે. ગુનીતની આ બીજી ફિલ્મ છે જેને ઓસ્કર એવોર્ડ મળ્યો છે. 2019માં પિરિયડ એન્ડ ઓફ ક્વેઈનને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મની કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો. તે ઉપરાંત પીએમ મોદીએ ડોક્યુમેન્ટરી ફિલ્મ વિજેતાને અભિનંદન પાઠવ્યા છે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.