Chandrayaan-3ના લોન્ચિંગ વખતે જે અવાજમાં આપણે કાઉન્ટ ડાઉન સાંભળ્યું હતું તે અવાજ શાંત થયો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-04 13:45:14

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના બાદ તો જીંદગીનો કોઈ ભરોસો નથી રહ્યો. નાની ઉંમરના લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. ઈસરોના વૈજ્ઞાનિકનો જીવ હાર્ટ એટેકને કારણે ગયો છે. ચંદ્રયાન-3ના લોન્ચિંગ વખતે તેમના અવાજમાં આપણે કાઉન્ટ ડાઉન સાંભળ્યું હતું તે અવાજ હવે શાંત થઈ ગયો છે. વૈજ્ઞાનિક વલારમથીનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. 


ઈસરોના વૈજ્ઞાનિકનું હાર્ટ એટેકને કારણે થયું મોત   

ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈસરો તરફથી ખુશ કરી દે તેવા સમાચારો સામે આવી રહ્યા છે. ભારતવાસીઓને ગર્વ થાય તેવી ક્ષણોનો આપણે અનુભવ કરી ચૂક્યા છે. ઈસરોના વૈજ્ઞાનિકો સતત ચર્ચામાં આવી રહ્યા છે. એક બાદ એક સારા સમાચારો મળતા હતા પરંતુ ઈસરોથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. જે મહિલા વૈજ્ઞાનિકના અવાજમાં આપણે ચંદ્રયાન -3ના લોન્ચિંગ વખતે  કાઉન્ટ ડાઉન સાંભળ્યું હતું તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. રવિવાર સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તમિલનાડુના અરિયાલુરમાં રહેતા વલારમથીનું નિધન થતા વૈજ્ઞાનિકોમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. સોશિયલ મીડિયા પર વૈજ્ઞાનિકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. 


કોરોના બાદ વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સા 

એક સમય એવો હતો જ્યારે કોરોનાને કારણે લોકોના જીવ ગયા. અનેક પરિવારોએ પોતાના સભ્યોને કોરોનામાં ગુમાવ્યા છે. પરંતુ કોરોનાની આફ્ટર ઈફેટ્સ પણ લોકો માટે ઘાતક સાબિત થઈ છે. કોરોના વેક્સિનને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે અને સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ, યુવાનો કાળનો કોળિયો બની રહ્યા છીએ. કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ રમત રમતા હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે