Chandrayaan-3ના લોન્ચિંગ વખતે જે અવાજમાં આપણે કાઉન્ટ ડાઉન સાંભળ્યું હતું તે અવાજ શાંત થયો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-04 13:45:14

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના બાદ તો જીંદગીનો કોઈ ભરોસો નથી રહ્યો. નાની ઉંમરના લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. ઈસરોના વૈજ્ઞાનિકનો જીવ હાર્ટ એટેકને કારણે ગયો છે. ચંદ્રયાન-3ના લોન્ચિંગ વખતે તેમના અવાજમાં આપણે કાઉન્ટ ડાઉન સાંભળ્યું હતું તે અવાજ હવે શાંત થઈ ગયો છે. વૈજ્ઞાનિક વલારમથીનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. 


ઈસરોના વૈજ્ઞાનિકનું હાર્ટ એટેકને કારણે થયું મોત   

ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈસરો તરફથી ખુશ કરી દે તેવા સમાચારો સામે આવી રહ્યા છે. ભારતવાસીઓને ગર્વ થાય તેવી ક્ષણોનો આપણે અનુભવ કરી ચૂક્યા છે. ઈસરોના વૈજ્ઞાનિકો સતત ચર્ચામાં આવી રહ્યા છે. એક બાદ એક સારા સમાચારો મળતા હતા પરંતુ ઈસરોથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. જે મહિલા વૈજ્ઞાનિકના અવાજમાં આપણે ચંદ્રયાન -3ના લોન્ચિંગ વખતે  કાઉન્ટ ડાઉન સાંભળ્યું હતું તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. રવિવાર સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તમિલનાડુના અરિયાલુરમાં રહેતા વલારમથીનું નિધન થતા વૈજ્ઞાનિકોમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. સોશિયલ મીડિયા પર વૈજ્ઞાનિકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. 


કોરોના બાદ વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સા 

એક સમય એવો હતો જ્યારે કોરોનાને કારણે લોકોના જીવ ગયા. અનેક પરિવારોએ પોતાના સભ્યોને કોરોનામાં ગુમાવ્યા છે. પરંતુ કોરોનાની આફ્ટર ઈફેટ્સ પણ લોકો માટે ઘાતક સાબિત થઈ છે. કોરોના વેક્સિનને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે અને સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ, યુવાનો કાળનો કોળિયો બની રહ્યા છીએ. કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ રમત રમતા હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .