Chandrayaan-3ના લોન્ચિંગ વખતે જે અવાજમાં આપણે કાઉન્ટ ડાઉન સાંભળ્યું હતું તે અવાજ શાંત થયો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-04 13:45:14

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના બાદ તો જીંદગીનો કોઈ ભરોસો નથી રહ્યો. નાની ઉંમરના લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. ઈસરોના વૈજ્ઞાનિકનો જીવ હાર્ટ એટેકને કારણે ગયો છે. ચંદ્રયાન-3ના લોન્ચિંગ વખતે તેમના અવાજમાં આપણે કાઉન્ટ ડાઉન સાંભળ્યું હતું તે અવાજ હવે શાંત થઈ ગયો છે. વૈજ્ઞાનિક વલારમથીનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. 


ઈસરોના વૈજ્ઞાનિકનું હાર્ટ એટેકને કારણે થયું મોત   

ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈસરો તરફથી ખુશ કરી દે તેવા સમાચારો સામે આવી રહ્યા છે. ભારતવાસીઓને ગર્વ થાય તેવી ક્ષણોનો આપણે અનુભવ કરી ચૂક્યા છે. ઈસરોના વૈજ્ઞાનિકો સતત ચર્ચામાં આવી રહ્યા છે. એક બાદ એક સારા સમાચારો મળતા હતા પરંતુ ઈસરોથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. જે મહિલા વૈજ્ઞાનિકના અવાજમાં આપણે ચંદ્રયાન -3ના લોન્ચિંગ વખતે  કાઉન્ટ ડાઉન સાંભળ્યું હતું તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. રવિવાર સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તમિલનાડુના અરિયાલુરમાં રહેતા વલારમથીનું નિધન થતા વૈજ્ઞાનિકોમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. સોશિયલ મીડિયા પર વૈજ્ઞાનિકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. 


કોરોના બાદ વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સા 

એક સમય એવો હતો જ્યારે કોરોનાને કારણે લોકોના જીવ ગયા. અનેક પરિવારોએ પોતાના સભ્યોને કોરોનામાં ગુમાવ્યા છે. પરંતુ કોરોનાની આફ્ટર ઈફેટ્સ પણ લોકો માટે ઘાતક સાબિત થઈ છે. કોરોના વેક્સિનને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે અને સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ, યુવાનો કાળનો કોળિયો બની રહ્યા છીએ. કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ રમત રમતા હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.