રાજ્ય સરકારે ડુંગળી-બટાકા પકવતા ખેડૂતો માટે કરી મોટી જાહેરાત, ગુજરાત સરકાર કરશે આટલા કરોડની સહાય


  • Published By :
  • Published Date : 2023-03-07 13:03:24

વિધાનસભામાં હાલ સત્ર ચાલી રહ્યું છે. અનેક મુદ્દાઓ પર સત્રમાં ચર્ચા કરવામાં આવી રહી છે. રાજ્યમાં છેલ્લા એક બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે રાજ્ય સરકારે લાલ ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે.

 


લાલ ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે કરાઈ સહાયની જાહેરાત

જગતનો તાત દિવસ રાત મહેનત કરી પોતાના પાકને પકવતો હોય છે. પરંતુ અમુક વખત અનેક કારણોસર તેમના પાકને નુકસાન થતું હોય છે. ત્યારે હાલ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. પોષણસમા ભાવ ન મળવાને કારણે પણ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે રાજ્ય સરકારે લાલ ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી છે. 


આટલા કરોડની સહાયની કરી જાહેરાત 

કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે ગુજરાત રાજ્યના બજારમાં લાલ ડુંગળીના ભાવ ઓછા જણાય છે. આ પરિસ્થિતિના સંદર્ભમાં એક કિલોએ રુપિયા બેની સહાય ખેડૂતોને આપવામાં આવશે. ખેડૂત દીઠ વધારેમાં વધારે 500 કટ્ટા માટેની સહાય આપવામાં આવશે. રાજ્ય સરકાર 70 કરોડની સહાય કરશે. આ ઉપરાંત સરકાર ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ માટે 20 કરોડની ફાળવણી કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત બટાકા પકાવતા ખેડૂતો માટે પણ સહાયની જાહેરાત કરવામાં આવી છે.


રાઘવજી પટેલે આપ્યું નિવેદન 

આ અંગે રાઘવજી પટેલે કહ્યું કે બટાકાની નિકાસ માટે વાહન ખર્ચમાં સહાય આપવામાં આવશે. રોડ ટ્રાન્સપોર્ટથી બટાકાની નિકાસ પર 750 રુપિયા પ્રતિ મેટ્રિક ટનની સહાય આપવામાં આવશે. ઉપરાંત રેલવે થકી કરવામાં આવતા નિકાસ માટે  1150 રુપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. દેશ બહાર બટાકાની નિકાસ કરે તો કુલ વાહતના ખર્ચના 25 ટકા આપવામાં આવશે. 


બટાકા પકવતા ખેડૂતો માટે કરાઈ આ જાહેરાત 

ઉપરાંત બટાકા પકવતા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાકાનો સંગ્રહ કરે તો પ્રતિ કિલો 1 રુપિયા લેખે ખેડૂતને એક કટ્ટાના 50 અને વધારેમાં વધારે 600 કટ્ટાની મર્યાદામાં સહાય આપવામાં આવશે. બટાકા પકવતા ખેડૂતોને 200 કરોડની સહાય આપવાની જાહેરાત સરકારે કરી છે.        




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.