રાજ્ય સરકારે ડુંગળી-બટાકા પકવતા ખેડૂતો માટે કરી મોટી જાહેરાત, ગુજરાત સરકાર કરશે આટલા કરોડની સહાય


  • Published By :
  • Published Date : 2023-03-07 13:03:24

વિધાનસભામાં હાલ સત્ર ચાલી રહ્યું છે. અનેક મુદ્દાઓ પર સત્રમાં ચર્ચા કરવામાં આવી રહી છે. રાજ્યમાં છેલ્લા એક બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે રાજ્ય સરકારે લાલ ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે.

 


લાલ ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે કરાઈ સહાયની જાહેરાત

જગતનો તાત દિવસ રાત મહેનત કરી પોતાના પાકને પકવતો હોય છે. પરંતુ અમુક વખત અનેક કારણોસર તેમના પાકને નુકસાન થતું હોય છે. ત્યારે હાલ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. પોષણસમા ભાવ ન મળવાને કારણે પણ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે રાજ્ય સરકારે લાલ ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી છે. 


આટલા કરોડની સહાયની કરી જાહેરાત 

કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે ગુજરાત રાજ્યના બજારમાં લાલ ડુંગળીના ભાવ ઓછા જણાય છે. આ પરિસ્થિતિના સંદર્ભમાં એક કિલોએ રુપિયા બેની સહાય ખેડૂતોને આપવામાં આવશે. ખેડૂત દીઠ વધારેમાં વધારે 500 કટ્ટા માટેની સહાય આપવામાં આવશે. રાજ્ય સરકાર 70 કરોડની સહાય કરશે. આ ઉપરાંત સરકાર ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ માટે 20 કરોડની ફાળવણી કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત બટાકા પકાવતા ખેડૂતો માટે પણ સહાયની જાહેરાત કરવામાં આવી છે.


રાઘવજી પટેલે આપ્યું નિવેદન 

આ અંગે રાઘવજી પટેલે કહ્યું કે બટાકાની નિકાસ માટે વાહન ખર્ચમાં સહાય આપવામાં આવશે. રોડ ટ્રાન્સપોર્ટથી બટાકાની નિકાસ પર 750 રુપિયા પ્રતિ મેટ્રિક ટનની સહાય આપવામાં આવશે. ઉપરાંત રેલવે થકી કરવામાં આવતા નિકાસ માટે  1150 રુપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. દેશ બહાર બટાકાની નિકાસ કરે તો કુલ વાહતના ખર્ચના 25 ટકા આપવામાં આવશે. 


બટાકા પકવતા ખેડૂતો માટે કરાઈ આ જાહેરાત 

ઉપરાંત બટાકા પકવતા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાકાનો સંગ્રહ કરે તો પ્રતિ કિલો 1 રુપિયા લેખે ખેડૂતને એક કટ્ટાના 50 અને વધારેમાં વધારે 600 કટ્ટાની મર્યાદામાં સહાય આપવામાં આવશે. બટાકા પકવતા ખેડૂતોને 200 કરોડની સહાય આપવાની જાહેરાત સરકારે કરી છે.        




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.