રાજ્ય સરકારે ડુંગળી-બટાકા પકવતા ખેડૂતો માટે કરી મોટી જાહેરાત, ગુજરાત સરકાર કરશે આટલા કરોડની સહાય


  • Published By :
  • Published Date : 2023-03-07 13:03:24

વિધાનસભામાં હાલ સત્ર ચાલી રહ્યું છે. અનેક મુદ્દાઓ પર સત્રમાં ચર્ચા કરવામાં આવી રહી છે. રાજ્યમાં છેલ્લા એક બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે રાજ્ય સરકારે લાલ ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે.

 


લાલ ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે કરાઈ સહાયની જાહેરાત

જગતનો તાત દિવસ રાત મહેનત કરી પોતાના પાકને પકવતો હોય છે. પરંતુ અમુક વખત અનેક કારણોસર તેમના પાકને નુકસાન થતું હોય છે. ત્યારે હાલ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. પોષણસમા ભાવ ન મળવાને કારણે પણ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે રાજ્ય સરકારે લાલ ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી છે. 


આટલા કરોડની સહાયની કરી જાહેરાત 

કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે ગુજરાત રાજ્યના બજારમાં લાલ ડુંગળીના ભાવ ઓછા જણાય છે. આ પરિસ્થિતિના સંદર્ભમાં એક કિલોએ રુપિયા બેની સહાય ખેડૂતોને આપવામાં આવશે. ખેડૂત દીઠ વધારેમાં વધારે 500 કટ્ટા માટેની સહાય આપવામાં આવશે. રાજ્ય સરકાર 70 કરોડની સહાય કરશે. આ ઉપરાંત સરકાર ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ માટે 20 કરોડની ફાળવણી કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત બટાકા પકાવતા ખેડૂતો માટે પણ સહાયની જાહેરાત કરવામાં આવી છે.


રાઘવજી પટેલે આપ્યું નિવેદન 

આ અંગે રાઘવજી પટેલે કહ્યું કે બટાકાની નિકાસ માટે વાહન ખર્ચમાં સહાય આપવામાં આવશે. રોડ ટ્રાન્સપોર્ટથી બટાકાની નિકાસ પર 750 રુપિયા પ્રતિ મેટ્રિક ટનની સહાય આપવામાં આવશે. ઉપરાંત રેલવે થકી કરવામાં આવતા નિકાસ માટે  1150 રુપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. દેશ બહાર બટાકાની નિકાસ કરે તો કુલ વાહતના ખર્ચના 25 ટકા આપવામાં આવશે. 


બટાકા પકવતા ખેડૂતો માટે કરાઈ આ જાહેરાત 

ઉપરાંત બટાકા પકવતા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાકાનો સંગ્રહ કરે તો પ્રતિ કિલો 1 રુપિયા લેખે ખેડૂતને એક કટ્ટાના 50 અને વધારેમાં વધારે 600 કટ્ટાની મર્યાદામાં સહાય આપવામાં આવશે. બટાકા પકવતા ખેડૂતોને 200 કરોડની સહાય આપવાની જાહેરાત સરકારે કરી છે.        




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.