કમોસમી વરસાદને કારણે પાકમાં થેયલા નુકસાન અંગે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-27 16:29:43

શિયાળામાં ચોમાસાનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં ગઈકાલથી માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે રવિ પાકને મોટા પાયે નુકસાન થયું છે. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. જગતનો તાત બેહાલ થઈ ગયો છે. એક તરફ પાકને નુકસાન થાય છે તો બીજી તરફ વીજળી પડવાને કારણે પણ અનેક લોકોના મોત થયા છે. નિયમો મુજબ 4 લાખ રૂપિયાની સહાય આપવાની જોગવાઈ છે. ત્યારે એવી માહિતી પણ સામે આવી છે કે કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાન અંગે સર્વે કરવાના આદેશ આપી દેવાયા છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે સર્વેના આદેશ આપ્યા છે. ઝડપથી નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. 

નિયમાનુસાર સહાય ચૂકવવા માટે આપી દેવાયા છે આદેશ!

ગઈકાલથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે. આ માવઠામાં અનેક લોકોના તેમજ અનેક પશુઓના મોત થયા છે. વીજળી પડવાને કારણે 20થી વધારે લોકોના મોત થયા છે જ્યારે અનેક પશુ પણ આનો ભોગ બન્યા છે. રાજ્ય સરકાર આ મામલે સતત એક્ટિવ દેખાઈ રહી છે. મુખ્યમંત્રી હાલ જાપાનના પ્રવાસે છે પણ તેમણે ગુજરાતમાં આવેલા કમોસમી વરસાદને લઈ માહિતી મેળવી છે. મુખ્યમંત્રીએ એક ટ્વિટ કરી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદ અને વીજળી પડવાને કારણે મૃત્યુ પામનાર વ્યક્તિઓના પરિવારજનો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દ્વારા નિયમાનુસારની સહાય ચૂકવવા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે. 


ભાજપના ધારાસભ્યએ સહાય માટે સીએમને લખ્યો હતો પત્ર 

એવા પણ સમાચાર સામે આવ્યા છે કે પાકને થયેલા નુકસાન અંગે સર્વે કરાવા માટે કૃષિમંત્રી રાઘવજી પટેલે તપાસના આદેશ આપી દીધા છે.  હાલમાં તમામ કૃષિ વિભાગના જિલ્લા અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઇ છે એવી માહિતી સામે આવી છે. તપાસ થયા બાદ આ સહાય અંગેની જાણકારી આપવામાં આવી શકે છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે ખેડૂતોના હીતમાં લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જલ્દી નુકસાની અંગેનો સર્વે કરવામાં આવે અને જગતના તાતને સહાય ચૂકવવામાં આવે.   



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.