કમોસમી વરસાદને કારણે પાકમાં થેયલા નુકસાન અંગે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-27 16:29:43

શિયાળામાં ચોમાસાનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં ગઈકાલથી માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે રવિ પાકને મોટા પાયે નુકસાન થયું છે. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. જગતનો તાત બેહાલ થઈ ગયો છે. એક તરફ પાકને નુકસાન થાય છે તો બીજી તરફ વીજળી પડવાને કારણે પણ અનેક લોકોના મોત થયા છે. નિયમો મુજબ 4 લાખ રૂપિયાની સહાય આપવાની જોગવાઈ છે. ત્યારે એવી માહિતી પણ સામે આવી છે કે કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાન અંગે સર્વે કરવાના આદેશ આપી દેવાયા છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે સર્વેના આદેશ આપ્યા છે. ઝડપથી નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. 

નિયમાનુસાર સહાય ચૂકવવા માટે આપી દેવાયા છે આદેશ!

ગઈકાલથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે. આ માવઠામાં અનેક લોકોના તેમજ અનેક પશુઓના મોત થયા છે. વીજળી પડવાને કારણે 20થી વધારે લોકોના મોત થયા છે જ્યારે અનેક પશુ પણ આનો ભોગ બન્યા છે. રાજ્ય સરકાર આ મામલે સતત એક્ટિવ દેખાઈ રહી છે. મુખ્યમંત્રી હાલ જાપાનના પ્રવાસે છે પણ તેમણે ગુજરાતમાં આવેલા કમોસમી વરસાદને લઈ માહિતી મેળવી છે. મુખ્યમંત્રીએ એક ટ્વિટ કરી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદ અને વીજળી પડવાને કારણે મૃત્યુ પામનાર વ્યક્તિઓના પરિવારજનો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દ્વારા નિયમાનુસારની સહાય ચૂકવવા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે. 


ભાજપના ધારાસભ્યએ સહાય માટે સીએમને લખ્યો હતો પત્ર 

એવા પણ સમાચાર સામે આવ્યા છે કે પાકને થયેલા નુકસાન અંગે સર્વે કરાવા માટે કૃષિમંત્રી રાઘવજી પટેલે તપાસના આદેશ આપી દીધા છે.  હાલમાં તમામ કૃષિ વિભાગના જિલ્લા અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઇ છે એવી માહિતી સામે આવી છે. તપાસ થયા બાદ આ સહાય અંગેની જાણકારી આપવામાં આવી શકે છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે ખેડૂતોના હીતમાં લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જલ્દી નુકસાની અંગેનો સર્વે કરવામાં આવે અને જગતના તાતને સહાય ચૂકવવામાં આવે.   



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.