કમોસમી વરસાદને કારણે પાકમાં થેયલા નુકસાન અંગે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-27 16:29:43

શિયાળામાં ચોમાસાનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં ગઈકાલથી માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે રવિ પાકને મોટા પાયે નુકસાન થયું છે. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. જગતનો તાત બેહાલ થઈ ગયો છે. એક તરફ પાકને નુકસાન થાય છે તો બીજી તરફ વીજળી પડવાને કારણે પણ અનેક લોકોના મોત થયા છે. નિયમો મુજબ 4 લાખ રૂપિયાની સહાય આપવાની જોગવાઈ છે. ત્યારે એવી માહિતી પણ સામે આવી છે કે કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાન અંગે સર્વે કરવાના આદેશ આપી દેવાયા છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે સર્વેના આદેશ આપ્યા છે. ઝડપથી નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. 

નિયમાનુસાર સહાય ચૂકવવા માટે આપી દેવાયા છે આદેશ!

ગઈકાલથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે. આ માવઠામાં અનેક લોકોના તેમજ અનેક પશુઓના મોત થયા છે. વીજળી પડવાને કારણે 20થી વધારે લોકોના મોત થયા છે જ્યારે અનેક પશુ પણ આનો ભોગ બન્યા છે. રાજ્ય સરકાર આ મામલે સતત એક્ટિવ દેખાઈ રહી છે. મુખ્યમંત્રી હાલ જાપાનના પ્રવાસે છે પણ તેમણે ગુજરાતમાં આવેલા કમોસમી વરસાદને લઈ માહિતી મેળવી છે. મુખ્યમંત્રીએ એક ટ્વિટ કરી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદ અને વીજળી પડવાને કારણે મૃત્યુ પામનાર વ્યક્તિઓના પરિવારજનો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દ્વારા નિયમાનુસારની સહાય ચૂકવવા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે. 


ભાજપના ધારાસભ્યએ સહાય માટે સીએમને લખ્યો હતો પત્ર 

એવા પણ સમાચાર સામે આવ્યા છે કે પાકને થયેલા નુકસાન અંગે સર્વે કરાવા માટે કૃષિમંત્રી રાઘવજી પટેલે તપાસના આદેશ આપી દીધા છે.  હાલમાં તમામ કૃષિ વિભાગના જિલ્લા અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઇ છે એવી માહિતી સામે આવી છે. તપાસ થયા બાદ આ સહાય અંગેની જાણકારી આપવામાં આવી શકે છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે ખેડૂતોના હીતમાં લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જલ્દી નુકસાની અંગેનો સર્વે કરવામાં આવે અને જગતના તાતને સહાય ચૂકવવામાં આવે.   



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે