કુંડળધામ ખાતેથી હટાવાઈ હનુમાનજીની પ્રતિમા, નીલકંઠવર્ણીને હનુમાનજી ફળાહાર અર્પણ કરતા હોય તેવી હતી મૂર્તિ


  • Published By :
  • Published Date : 2023-09-05 18:25:21

હનુમાનજીની મૂર્તિઓને લઈ છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. સાળંગપુર ખાતે આવેલી હનુમાનજીની પ્રતિમા નીચે એવા ભીંતચિત્રો મૂકવામાં આવ્યા હતા જેમાં હનુમાનજીને દાસ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. આ ભીંતચિત્રો સામે આવતા વિવાદ છેડાઈ ગયો હતો. અનેક દિવસો સુધી વિવાદ ચાલ્યો અને અંતે વિવાદીત ભીંતચિત્રોને આજે સવારે હટાવી લેવાયા છે. જ્યારે સાળંગપુરનો આ મામલો ચાલી રહ્યો હતો ત્યારે ગુજરાતભરમાંથી અનેક એવા ફોટા સામે આવ્યા હતા જેમાં હનુમાનજી સ્વામીનારાયણ ભગવાનની સેવા કરતા હોય. અનેક એવા ફોટા સામે આવ્યા હતા જેને લઈ વિવાદ છેડાઈ શકે તેવો હતો. ત્યારે કુંડળ ધામમાં પણ મૂકવામાં આવેલી હનુમાનજીની પ્રતિમાને હટાવી લેવામાં આવી છે. 

Image

વિવાદ વધતા સાળંગપુર ખાતેથી હટાવી લેવાયા ભીંતચિત્રો 

ગુજરાતમાં થોડા સમયથી હનુમાનજીની પ્રતિમાને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવ્યા હતા. ભીંતચિત્રો હતા જેને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. વિવાદ એટલો વકર્યો કે અંતે સરકારે આ મામલે ઝંપલાવવું પડ્યું હતું. ગઈકાલે સંતો અને સરકારના પ્રતિનિધીઓ વચ્ચે બંધબારણે બેઠક થઈ હતી. બેઠક બાદ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને વીએચપી વચ્ચે પણ બેઠક થઈ હતી જે બાદ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હીતી અને સવાર સૂધીમાં વિવાદીત ભીંતચિત્રો હટાવી લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. સવાર સુધીમાં વિવાદીત ભીંતચિત્રો હટી પણ ગયા હતા. ત્યારે કુંડળધામમાં રાખેલી મૂર્તિને પણ હટાવી લેવામાં આવી છે.

Controversy in Kundal temple after Salangpur | સ્વામિનારાયણ મંદિરમાં  હનુમાનજી નીલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા દર્શાવાયા; હનુમાનભક્તોને વધુ એક  ઠેસ - Divya Bhaskar

પહેલા - 

વિવાદનો અંત આવ્યા બાદ હનુમાનજીની મૂર્તિ હટાવી લેવાઈ

પછી

કુંડળધામમાં હનુમાનજીની રખાયેલી મૂર્તિને પણ હટાવી લેવાઈ 

કુંડળધામમાં જે મૂર્તિ રાખવામાં આવી હતી તેમાં હનુમાનજી નિલકંઠ વર્ણીને ફળો અર્પણ કરી રહ્યા છે. આ મૂર્તિને લઈને પણ વિવાદ થયો હતો ત્યારે આ વિવાદ સાળંગપુર વિવાદ જેટલો વધારે ઉગ્ર થાય વધારે વધે તે પહેલા મૂર્તિને હટાવી લેવામાં આવી છે. આના અનેક ફોટા વાયરલ થયા હતા અને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો . ત્યારે હવે હનુમાનજીની મૂર્તિને ત્યાંથી હટાવી લેવામાં આવી છે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.