કુંડળધામ ખાતેથી હટાવાઈ હનુમાનજીની પ્રતિમા, નીલકંઠવર્ણીને હનુમાનજી ફળાહાર અર્પણ કરતા હોય તેવી હતી મૂર્તિ


  • Published By :
  • Published Date : 2023-09-05 18:25:21

હનુમાનજીની મૂર્તિઓને લઈ છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. સાળંગપુર ખાતે આવેલી હનુમાનજીની પ્રતિમા નીચે એવા ભીંતચિત્રો મૂકવામાં આવ્યા હતા જેમાં હનુમાનજીને દાસ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. આ ભીંતચિત્રો સામે આવતા વિવાદ છેડાઈ ગયો હતો. અનેક દિવસો સુધી વિવાદ ચાલ્યો અને અંતે વિવાદીત ભીંતચિત્રોને આજે સવારે હટાવી લેવાયા છે. જ્યારે સાળંગપુરનો આ મામલો ચાલી રહ્યો હતો ત્યારે ગુજરાતભરમાંથી અનેક એવા ફોટા સામે આવ્યા હતા જેમાં હનુમાનજી સ્વામીનારાયણ ભગવાનની સેવા કરતા હોય. અનેક એવા ફોટા સામે આવ્યા હતા જેને લઈ વિવાદ છેડાઈ શકે તેવો હતો. ત્યારે કુંડળ ધામમાં પણ મૂકવામાં આવેલી હનુમાનજીની પ્રતિમાને હટાવી લેવામાં આવી છે. 

Image

વિવાદ વધતા સાળંગપુર ખાતેથી હટાવી લેવાયા ભીંતચિત્રો 

ગુજરાતમાં થોડા સમયથી હનુમાનજીની પ્રતિમાને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવ્યા હતા. ભીંતચિત્રો હતા જેને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. વિવાદ એટલો વકર્યો કે અંતે સરકારે આ મામલે ઝંપલાવવું પડ્યું હતું. ગઈકાલે સંતો અને સરકારના પ્રતિનિધીઓ વચ્ચે બંધબારણે બેઠક થઈ હતી. બેઠક બાદ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને વીએચપી વચ્ચે પણ બેઠક થઈ હતી જે બાદ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હીતી અને સવાર સૂધીમાં વિવાદીત ભીંતચિત્રો હટાવી લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. સવાર સુધીમાં વિવાદીત ભીંતચિત્રો હટી પણ ગયા હતા. ત્યારે કુંડળધામમાં રાખેલી મૂર્તિને પણ હટાવી લેવામાં આવી છે.

Controversy in Kundal temple after Salangpur | સ્વામિનારાયણ મંદિરમાં  હનુમાનજી નીલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા દર્શાવાયા; હનુમાનભક્તોને વધુ એક  ઠેસ - Divya Bhaskar

પહેલા - 

વિવાદનો અંત આવ્યા બાદ હનુમાનજીની મૂર્તિ હટાવી લેવાઈ

પછી

કુંડળધામમાં હનુમાનજીની રખાયેલી મૂર્તિને પણ હટાવી લેવાઈ 

કુંડળધામમાં જે મૂર્તિ રાખવામાં આવી હતી તેમાં હનુમાનજી નિલકંઠ વર્ણીને ફળો અર્પણ કરી રહ્યા છે. આ મૂર્તિને લઈને પણ વિવાદ થયો હતો ત્યારે આ વિવાદ સાળંગપુર વિવાદ જેટલો વધારે ઉગ્ર થાય વધારે વધે તે પહેલા મૂર્તિને હટાવી લેવામાં આવી છે. આના અનેક ફોટા વાયરલ થયા હતા અને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો . ત્યારે હવે હનુમાનજીની મૂર્તિને ત્યાંથી હટાવી લેવામાં આવી છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.