કુંડળધામ ખાતેથી હટાવાઈ હનુમાનજીની પ્રતિમા, નીલકંઠવર્ણીને હનુમાનજી ફળાહાર અર્પણ કરતા હોય તેવી હતી મૂર્તિ


  • Published By :
  • Published Date : 2023-09-05 18:25:21

હનુમાનજીની મૂર્તિઓને લઈ છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. સાળંગપુર ખાતે આવેલી હનુમાનજીની પ્રતિમા નીચે એવા ભીંતચિત્રો મૂકવામાં આવ્યા હતા જેમાં હનુમાનજીને દાસ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. આ ભીંતચિત્રો સામે આવતા વિવાદ છેડાઈ ગયો હતો. અનેક દિવસો સુધી વિવાદ ચાલ્યો અને અંતે વિવાદીત ભીંતચિત્રોને આજે સવારે હટાવી લેવાયા છે. જ્યારે સાળંગપુરનો આ મામલો ચાલી રહ્યો હતો ત્યારે ગુજરાતભરમાંથી અનેક એવા ફોટા સામે આવ્યા હતા જેમાં હનુમાનજી સ્વામીનારાયણ ભગવાનની સેવા કરતા હોય. અનેક એવા ફોટા સામે આવ્યા હતા જેને લઈ વિવાદ છેડાઈ શકે તેવો હતો. ત્યારે કુંડળ ધામમાં પણ મૂકવામાં આવેલી હનુમાનજીની પ્રતિમાને હટાવી લેવામાં આવી છે. 

Image

વિવાદ વધતા સાળંગપુર ખાતેથી હટાવી લેવાયા ભીંતચિત્રો 

ગુજરાતમાં થોડા સમયથી હનુમાનજીની પ્રતિમાને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવ્યા હતા. ભીંતચિત્રો હતા જેને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. વિવાદ એટલો વકર્યો કે અંતે સરકારે આ મામલે ઝંપલાવવું પડ્યું હતું. ગઈકાલે સંતો અને સરકારના પ્રતિનિધીઓ વચ્ચે બંધબારણે બેઠક થઈ હતી. બેઠક બાદ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને વીએચપી વચ્ચે પણ બેઠક થઈ હતી જે બાદ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હીતી અને સવાર સૂધીમાં વિવાદીત ભીંતચિત્રો હટાવી લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. સવાર સુધીમાં વિવાદીત ભીંતચિત્રો હટી પણ ગયા હતા. ત્યારે કુંડળધામમાં રાખેલી મૂર્તિને પણ હટાવી લેવામાં આવી છે.

Controversy in Kundal temple after Salangpur | સ્વામિનારાયણ મંદિરમાં  હનુમાનજી નીલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા દર્શાવાયા; હનુમાનભક્તોને વધુ એક  ઠેસ - Divya Bhaskar

પહેલા - 

વિવાદનો અંત આવ્યા બાદ હનુમાનજીની મૂર્તિ હટાવી લેવાઈ

પછી

કુંડળધામમાં હનુમાનજીની રખાયેલી મૂર્તિને પણ હટાવી લેવાઈ 

કુંડળધામમાં જે મૂર્તિ રાખવામાં આવી હતી તેમાં હનુમાનજી નિલકંઠ વર્ણીને ફળો અર્પણ કરી રહ્યા છે. આ મૂર્તિને લઈને પણ વિવાદ થયો હતો ત્યારે આ વિવાદ સાળંગપુર વિવાદ જેટલો વધારે ઉગ્ર થાય વધારે વધે તે પહેલા મૂર્તિને હટાવી લેવામાં આવી છે. આના અનેક ફોટા વાયરલ થયા હતા અને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો . ત્યારે હવે હનુમાનજીની મૂર્તિને ત્યાંથી હટાવી લેવામાં આવી છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.