શેરબજારે તોડ્યો રેકોર્ડ! નિફ્ટી-50 નવા ઓલ ટાઈમ હાઈ પર, સતત 5મા દિવસે તેજી


  • Published By :
  • Published Date : 2024-02-19 14:22:45

ભારતની ટોચની 50 કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતા નિફ્ટી-50 (Nifty-50)એ આજે ​​સતત પાંચમા ટ્રેડિંગ સત્રમાં તેજીનો ટ્રેન્ડ ચાલુ રાખ્યો હતો અને 22,157.90 પોઈન્ટના નવા  ઓલ-ટાઇમ હાઈએ પહોંચ્યો હતો. આ સાથે જ નિફ્ટી-50 એ 16 જાન્યુઆરીએ તેના અગાઉના ઓલ ટાઈમ હાઈ લેવલ 22,124ને વટાવ્યો હતો.

NSE પર લિસ્ટેડ કંપનીઓનું સંયુક્ત માર્કેટ કેપ (Mcap) આજની તેજીમાં 4.65 ટ્રિલિયન ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. નિફ્ટી-50 એ છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં લગભગ 2 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.


7 કંપનીઓના શેર 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે


આજના ટ્રેડિંગ સેશનમાં, બજાજ ઓટો, અદાણી એન્ટરપ્રાઈઝ, ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ, મારુતિ સુઝુકી ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, વિપ્રો અને એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની સહિત સાત કંપનીઓના શેર 52 સપ્તાહના નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા.


ટોપ ગેઇનર્સમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, બજાજ ઓટો, અદાણી એન્ટરપ્રાઇઝ, ભારતી એરટેલ, આઇટીસી, ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ અને આઇસીઆઇસીઆઇ બેન્ક તમામ 1.5 ટકાથી 2.8 ટકાની વચ્ચેના વધારા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.


ફેબ્રુઆરીમાં ઈન્ડેક્સની વૃદ્ધિમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સૌથી મોટો ફાળો આપનાર તરીકે ઉભરી આવ્યો છે, જેમાં TCS, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કોલ ઈન્ડિયા, M&M અને ઈન્ફોસિસે મુખ્ય યોગદાન આપ્યું છે.


ફેબ્રુઆરીમાં નિફ્ટી-50 અત્યાર સુધીમાં 410 પોઈન્ટ વધ્યો


ફેબ્રુઆરી 2024માં અત્યાર સુધીમાં નિફ્ટી-50 ઈન્ડેક્સમાં 410 પોઈન્ટ અથવા 1.92 ટકાનો વધારો થયો છે. તદુપરાંત, ઇન્ડેક્સ તેના માર્ચ 2023 ના 16,828 ની નીચી સપાટીથી 31.60 ટકા વધ્યો છે. કોવિડ-19 દરમિયાન 7,511 પોઈન્ટના નીચા સ્તર સાથે સરખામણી કરીએ તો ઈન્ડેક્સે 195 ટકાનું ઉત્તમ મલ્ટી-બેગર વળતર આપ્યું છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.