શેરબજારે તોડ્યો રેકોર્ડ! નિફ્ટી-50 નવા ઓલ ટાઈમ હાઈ પર, સતત 5મા દિવસે તેજી


  • Published By :
  • Published Date : 2024-02-19 14:22:45

ભારતની ટોચની 50 કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતા નિફ્ટી-50 (Nifty-50)એ આજે ​​સતત પાંચમા ટ્રેડિંગ સત્રમાં તેજીનો ટ્રેન્ડ ચાલુ રાખ્યો હતો અને 22,157.90 પોઈન્ટના નવા  ઓલ-ટાઇમ હાઈએ પહોંચ્યો હતો. આ સાથે જ નિફ્ટી-50 એ 16 જાન્યુઆરીએ તેના અગાઉના ઓલ ટાઈમ હાઈ લેવલ 22,124ને વટાવ્યો હતો.

NSE પર લિસ્ટેડ કંપનીઓનું સંયુક્ત માર્કેટ કેપ (Mcap) આજની તેજીમાં 4.65 ટ્રિલિયન ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. નિફ્ટી-50 એ છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં લગભગ 2 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.


7 કંપનીઓના શેર 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે


આજના ટ્રેડિંગ સેશનમાં, બજાજ ઓટો, અદાણી એન્ટરપ્રાઈઝ, ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ, મારુતિ સુઝુકી ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, વિપ્રો અને એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની સહિત સાત કંપનીઓના શેર 52 સપ્તાહના નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા.


ટોપ ગેઇનર્સમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, બજાજ ઓટો, અદાણી એન્ટરપ્રાઇઝ, ભારતી એરટેલ, આઇટીસી, ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ અને આઇસીઆઇસીઆઇ બેન્ક તમામ 1.5 ટકાથી 2.8 ટકાની વચ્ચેના વધારા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.


ફેબ્રુઆરીમાં ઈન્ડેક્સની વૃદ્ધિમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સૌથી મોટો ફાળો આપનાર તરીકે ઉભરી આવ્યો છે, જેમાં TCS, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કોલ ઈન્ડિયા, M&M અને ઈન્ફોસિસે મુખ્ય યોગદાન આપ્યું છે.


ફેબ્રુઆરીમાં નિફ્ટી-50 અત્યાર સુધીમાં 410 પોઈન્ટ વધ્યો


ફેબ્રુઆરી 2024માં અત્યાર સુધીમાં નિફ્ટી-50 ઈન્ડેક્સમાં 410 પોઈન્ટ અથવા 1.92 ટકાનો વધારો થયો છે. તદુપરાંત, ઇન્ડેક્સ તેના માર્ચ 2023 ના 16,828 ની નીચી સપાટીથી 31.60 ટકા વધ્યો છે. કોવિડ-19 દરમિયાન 7,511 પોઈન્ટના નીચા સ્તર સાથે સરખામણી કરીએ તો ઈન્ડેક્સે 195 ટકાનું ઉત્તમ મલ્ટી-બેગર વળતર આપ્યું છે.



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.