ગુજરાતથી બસ આટલા કિલોમીટર દૂર છે વાવાઝોડું! હવામાન વિભાગે કરી આગાહી કે આ તારીખે આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ, જાણો અપડેટ


  • Published By :
  • Published Date : 2023-06-12 09:58:03

રાજ્ય પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. આવનાર દિવસોમાં ગુજરાતમાં ગમે ત્યારે વાવાઝોડું ટકરાઈ શકે છે તેવી આગાહી અને અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. બચાવ કામગીરી માટે ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. બિપોરજોયને કારણે અનેક શહેરોના વાતાવરણમાં પણ પલટો અનુભવાઈ રહ્યો છે તેમજ વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

  

15 જૂન સુધી વરસાદની કરવામાં આવી છે આગાહી!

બિપોરજોયને કારણે દરિયાઓમાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાઓ ગાંડાતૂર બની ભયાવક બની રહ્યા છે. અનેક દરિયાઓના વીડિયો પણ સામે આવ્યા છે. વાવાઝોડાને કારણે અનેક જગ્યાઓ પર 12થી 15 જૂન વચ્ચે વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. 15 જૂને સમગ્ર ગુજરાતમાં મેઘવર્ષા થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ વાવાઝોડું દ્વારકાથી અંદાજીત 400 કિલોમીટર દૂર છે. 15 જૂનના રોજ તે કચ્છ પહોંચી શકે છે અને જેને કારણે સમગ્ર રાજ્યમાં વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. વાવાઝોડાને પગલે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કચ્છ, જામનગર અને દ્વારકાનો સમાવેશ થાય છે. આ ત્રણ જિલ્લાઓ સિવાય રાજ્યના અનેક બીજા જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.

  

આ તારીખે આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ!

12મી જૂન માટે કરવામાં આવેલી મુજબ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદમાં વરસાદ થઈ શકે છે તે ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં હળવો વરસાદ વરસી શકે છે. 13 જૂનના રોજ ગાંધીનગર, અમદાવાદ અને આણંદ સહિત દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં ઉપરાંત દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ અસર થશે.  

મંત્રીઓને સોંપાઈ જિલ્લાઓની જવાબદારી!

ગુજરાત સરકાર દ્વારા પણ વાવાઝોડા પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ ચક્રવાતને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે બેઠક કરી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા. વાવાઝોડાને ધ્યાનમાં રાખી બંદરો પર સિગ્નલો લગાવી દેવામાં આવ્યા હતા. રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. જેમાં 1-કચ્છ -મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનશેરીયા, 2-મોરબી- કનુભાઈ દેસાઈ, 3-રાજકોટ-રાઘવજી પટેલ, 4-પોરબંદર- કુંવરજી બાવળિયા, 5-જામનગર-મુળુ ભાઇ બેરા, 6-દેવભૂમિ દ્વારકા- હર્ષ સંઘવી, 7-જૂનાગઢ-જગદીશ વિશ્વકર્મા, 8-ગીર સોમનાથ- પરસોત્તમ સોલંકીનો સમાવેશ થાય છે. ચક્રવાત વિનાશકારી સાબિત થઈ શકે છે તેવી ધારણા સાથે તૈયારીઓ કરવામાં આવી રહી છે. એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ કલાકમાં દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, તાપી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.