ગુજરાતથી બસ આટલા કિલોમીટર દૂર છે વાવાઝોડું! હવામાન વિભાગે કરી આગાહી કે આ તારીખે આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ, જાણો અપડેટ


  • Published By :
  • Published Date : 2023-06-12 09:58:03

રાજ્ય પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. આવનાર દિવસોમાં ગુજરાતમાં ગમે ત્યારે વાવાઝોડું ટકરાઈ શકે છે તેવી આગાહી અને અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. બચાવ કામગીરી માટે ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. બિપોરજોયને કારણે અનેક શહેરોના વાતાવરણમાં પણ પલટો અનુભવાઈ રહ્યો છે તેમજ વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

  

15 જૂન સુધી વરસાદની કરવામાં આવી છે આગાહી!

બિપોરજોયને કારણે દરિયાઓમાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાઓ ગાંડાતૂર બની ભયાવક બની રહ્યા છે. અનેક દરિયાઓના વીડિયો પણ સામે આવ્યા છે. વાવાઝોડાને કારણે અનેક જગ્યાઓ પર 12થી 15 જૂન વચ્ચે વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. 15 જૂને સમગ્ર ગુજરાતમાં મેઘવર્ષા થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ વાવાઝોડું દ્વારકાથી અંદાજીત 400 કિલોમીટર દૂર છે. 15 જૂનના રોજ તે કચ્છ પહોંચી શકે છે અને જેને કારણે સમગ્ર રાજ્યમાં વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. વાવાઝોડાને પગલે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કચ્છ, જામનગર અને દ્વારકાનો સમાવેશ થાય છે. આ ત્રણ જિલ્લાઓ સિવાય રાજ્યના અનેક બીજા જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.

  

આ તારીખે આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ!

12મી જૂન માટે કરવામાં આવેલી મુજબ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદમાં વરસાદ થઈ શકે છે તે ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં હળવો વરસાદ વરસી શકે છે. 13 જૂનના રોજ ગાંધીનગર, અમદાવાદ અને આણંદ સહિત દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં ઉપરાંત દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ અસર થશે.  

મંત્રીઓને સોંપાઈ જિલ્લાઓની જવાબદારી!

ગુજરાત સરકાર દ્વારા પણ વાવાઝોડા પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ ચક્રવાતને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે બેઠક કરી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા. વાવાઝોડાને ધ્યાનમાં રાખી બંદરો પર સિગ્નલો લગાવી દેવામાં આવ્યા હતા. રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. જેમાં 1-કચ્છ -મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનશેરીયા, 2-મોરબી- કનુભાઈ દેસાઈ, 3-રાજકોટ-રાઘવજી પટેલ, 4-પોરબંદર- કુંવરજી બાવળિયા, 5-જામનગર-મુળુ ભાઇ બેરા, 6-દેવભૂમિ દ્વારકા- હર્ષ સંઘવી, 7-જૂનાગઢ-જગદીશ વિશ્વકર્મા, 8-ગીર સોમનાથ- પરસોત્તમ સોલંકીનો સમાવેશ થાય છે. ચક્રવાત વિનાશકારી સાબિત થઈ શકે છે તેવી ધારણા સાથે તૈયારીઓ કરવામાં આવી રહી છે. એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ કલાકમાં દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, તાપી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.