ગુજરાતથી બસ આટલા કિલોમીટર દૂર છે વાવાઝોડું! હવામાન વિભાગે કરી આગાહી કે આ તારીખે આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ, જાણો અપડેટ


  • Published By :
  • Published Date : 2023-06-12 09:58:03

રાજ્ય પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. આવનાર દિવસોમાં ગુજરાતમાં ગમે ત્યારે વાવાઝોડું ટકરાઈ શકે છે તેવી આગાહી અને અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. બચાવ કામગીરી માટે ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. બિપોરજોયને કારણે અનેક શહેરોના વાતાવરણમાં પણ પલટો અનુભવાઈ રહ્યો છે તેમજ વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

  

15 જૂન સુધી વરસાદની કરવામાં આવી છે આગાહી!

બિપોરજોયને કારણે દરિયાઓમાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાઓ ગાંડાતૂર બની ભયાવક બની રહ્યા છે. અનેક દરિયાઓના વીડિયો પણ સામે આવ્યા છે. વાવાઝોડાને કારણે અનેક જગ્યાઓ પર 12થી 15 જૂન વચ્ચે વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. 15 જૂને સમગ્ર ગુજરાતમાં મેઘવર્ષા થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ વાવાઝોડું દ્વારકાથી અંદાજીત 400 કિલોમીટર દૂર છે. 15 જૂનના રોજ તે કચ્છ પહોંચી શકે છે અને જેને કારણે સમગ્ર રાજ્યમાં વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. વાવાઝોડાને પગલે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કચ્છ, જામનગર અને દ્વારકાનો સમાવેશ થાય છે. આ ત્રણ જિલ્લાઓ સિવાય રાજ્યના અનેક બીજા જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.

  

આ તારીખે આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ!

12મી જૂન માટે કરવામાં આવેલી મુજબ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદમાં વરસાદ થઈ શકે છે તે ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં હળવો વરસાદ વરસી શકે છે. 13 જૂનના રોજ ગાંધીનગર, અમદાવાદ અને આણંદ સહિત દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં ઉપરાંત દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ અસર થશે.  

મંત્રીઓને સોંપાઈ જિલ્લાઓની જવાબદારી!

ગુજરાત સરકાર દ્વારા પણ વાવાઝોડા પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ ચક્રવાતને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે બેઠક કરી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા. વાવાઝોડાને ધ્યાનમાં રાખી બંદરો પર સિગ્નલો લગાવી દેવામાં આવ્યા હતા. રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. જેમાં 1-કચ્છ -મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનશેરીયા, 2-મોરબી- કનુભાઈ દેસાઈ, 3-રાજકોટ-રાઘવજી પટેલ, 4-પોરબંદર- કુંવરજી બાવળિયા, 5-જામનગર-મુળુ ભાઇ બેરા, 6-દેવભૂમિ દ્વારકા- હર્ષ સંઘવી, 7-જૂનાગઢ-જગદીશ વિશ્વકર્મા, 8-ગીર સોમનાથ- પરસોત્તમ સોલંકીનો સમાવેશ થાય છે. ચક્રવાત વિનાશકારી સાબિત થઈ શકે છે તેવી ધારણા સાથે તૈયારીઓ કરવામાં આવી રહી છે. એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ કલાકમાં દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, તાપી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.