ગુજરાતમાં વિકાસનો સિલસિલો કાયમ આગળ વધતો રહેશે- વડાપ્રધાન નરેન્દ્ર મોદી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 17:01:15

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બીજા દિવસના પ્રવાસ દરમિયાન અનેક જનસભા સંબોધી રહ્યા છે. ભરૂચ ખાતે તેમણે જનસભા સંબોધી હતી જે બાદ આણંદ ખાતે પહોંચ્યા હતા. આણંદના શાસ્ત્રી મેદાન ખાતે જનસભાનું આયોજન જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કમળને હમેશાં ખીલતું રાખ્યું છે - વડાપ્રધાન મોદી

પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે ગુજરાત અને ભાજપનો સંબંધ અખૂટ છે. આ સંબંધ માત્ર રાજકારણના નથી. આતો દિલનો પ્રેમ છે, કમળને હંમેશા ખીલતું રાખ્યું છે. ગુજરાત એટલે ઉતરો ઉતર પ્રગતિ. નિત નવા સાહસો, મારા ગુજરાતીઓનો દુનિયામાં જયજયકાર છે. ગુજરાત એટલે સબ કા સાથ સબ કા વિકાસ, તમે જેટલો પ્રેમ આપ્યો છે, અમે એટલો વિકાસ આપ્યો છે. મહિલાઓની સુરક્ષા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ગુજરાતની દિકરી મોડી રાત સુધી સ્કુટી લઈને બહાર જાય પણ મા બાપ ચિંતા મુક્ત હોય છે. દિકરીઓને સન્માન આપીને મા-બાપની ચિંતા ઓછી કરી દીધી છે. 

PM Modi in Anand: Gujarat & BJP have unbreakable bond, says PM PM Modi in Anand:ગુજરાતમાં ઘરે ઘરે વીજળી પહોંચાડવાનું કામ પૂર્ણ કરી દીધુઃ વડાપ્રધાન મોદી




વિકાસના કામો અંગે પીએમ મોદીએ કરી વાત

ભાજપના વિકાસના કામો ગણાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગામે ગામ પાકા રસ્તા બનાવ્યા છે, અને ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે. ભાજપની સરકારે 20 વર્ષમાં ડબલ કામ કર્યા છે. ઘરે ઘરે વીજળી પહોંચાડી છે અને ગામડામાં થ્રી-ફેજ વીજળી મળવા લાગી છે. ઘરમાંથી જવાનીયાઓને ઘરડા મા-બાપ છોડીને નોકરી માટે હવે દુર નથી જવું પડતું, ઘર આંગણે જ રોજગાર મળે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી વિશ્વભરમાં સરદાર પટેલનું સન્માન થયું છે પણ કોંગ્રેસવાળા હજુ સ્ટેચ્યુ ઓફ યુનિટિ નથી ગયા. 21મી સદીમાં ગુજરાતની ઓળખ વિશ્વભરમાં થઈ છે. અમે વાતોના વડા કરનાર લોકો નથી, ધરતી પર કામ કરનાર લોકો છીએ. 


કોંગ્રેસ પર કર્યા પ્રહાર

ભાજપનો પ્રચાર કરવા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પણ અનેક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે આ વખતે કોંગ્રેસે નવી ચાલ ચાલી હોય તેવું મને લાગે છે. પહેલાં તો હાકલા પડકારા કરતા હતા, આ વખતે બોલતા નથી પણ ગામે ગામ ગોઠવણ કરી રહ્યા છે. એટલે તમે સાવચેત રહેજો. એ નવી ચાલચાલીને તમને ભોળવશે. વધુમાં તેમણે કહ્યું તે આપણે એમની ટીકા નથી કરવી પણ સતર્ક રહેવું પડશે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.