નાની ઉંંમરે હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત, નવસારીમાં ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીનીને આવ્યો હાર્ટ એટેક, પરિવારમાં છવાયો શોક


  • Published By :
  • Published Date : 2023-06-26 17:52:52

હાર્ટ એટેકના કિસ્સાઓમાં અનેક ઘણો વધારો જોવા મળી રહ્યો છે.  કોરોના બાદ તો હાર્ટ એટેક આવવાના કિસ્સામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. પહેલા આપણે એવું માનતા હતા કે ઉંમરલાયક વ્યક્તિને હાર્ટ અટેક આવે. પરંતુ હવે તે ધારણા ખોટી પડે તેવી છે. નાની ઉંમરે યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. યુવાનો તો ઠીક પરંતુ આજે જે કિસ્સાની વાત કરવી છે તેમાં તો શાળામાં ભણતી વિદ્યાર્થીની હાર્ટ એટેકનો ભોગ બની છે. નવસારીની શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું સ્કૂલમાં હાર્ટ એટેક આવવાને કારણે કરૂણ મોત નિપજ્યું છે. વિદ્યાર્થીનીને હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ ત્યાં સુધી પ્રાણ પંખેરૂં ઉડી ગયું હતું.


કોઈ અકસ્માતમાં તો કોઈ હાર્ટ એટેકને કારણે મૃત્યુને પામે છે  

ઘણા વર્ષો પહેલા રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની ફિલ્મ આનંદ આવી હતી. જેમાં એક ડાયલોગ હતો बाबूमुशोई, जिंदगी और मौत ऊपर वाले के हाथ है... उससे ना तो आप बदल सकते हैं ना मैं... हम सब तो रंगमंच की कठपुतलियां है जिन्की दोर ऊपर वाले की उलझियों में बंधी है। વાત એકદમ સાચી છે કોણ ક્યારે અને કેવી રીતે મરશે તેની ખબર કોઈને નથી હોતી. કોઈ અકસ્માતમાં મોતને ભેટે છે તો કોઈ હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામે છે. હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે નવસારીમાં એક વિદ્યાર્થીનીનું મોત હાર્ટ એેટેક આવવાને કારણે થયું છે. નાની ઉંમરે લોકોના મોત થવાથી તેમના માતા પિતા પર આભ ફાટી પડતું હોય છે. માતા પિતાને સ્વીકારવામાં ઘણો સમય લાગતો હોય છે કે તેમનું સંતાન હવે આ દુનિયામાં નથી રહ્યું.    


ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીનીનું થયું મોત

આપણી સામે ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. નાની ઉંમરના લોકો માટે હાર્ટ એટેક પ્રાણઘાતક સાબિત થઈ રહ્યું છે. ત્યારે ધોરણ 12 ભણતી વિદ્યાર્થીનીનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. મળતી માહિતી અનુસાર નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરી જ્યારે સીડીઓ ચઢી રહી હતી તે દરમિયાન તે અચાનક પડી ગઈ હતી. અચાનક ઢળી પડતાં શિક્ષકે નજીકની હોસ્પિટલ તેને લઈ ગયા. પરંતુ ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત ઘોષિત કરી દીધી હતી. જે વિદ્યાર્થીનીનું મોત થયું છે તેનું નામ તનિષા છે. દીકરીના મોતથી શાળામાં તેમજ પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. મહત્વનું છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પણ આ વાતને ધ્યાનમાં લીધી છે.    




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.