નાની ઉંંમરે હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત, નવસારીમાં ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીનીને આવ્યો હાર્ટ એટેક, પરિવારમાં છવાયો શોક


  • Published By :
  • Published Date : 2023-06-26 17:52:52

હાર્ટ એટેકના કિસ્સાઓમાં અનેક ઘણો વધારો જોવા મળી રહ્યો છે.  કોરોના બાદ તો હાર્ટ એટેક આવવાના કિસ્સામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. પહેલા આપણે એવું માનતા હતા કે ઉંમરલાયક વ્યક્તિને હાર્ટ અટેક આવે. પરંતુ હવે તે ધારણા ખોટી પડે તેવી છે. નાની ઉંમરે યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. યુવાનો તો ઠીક પરંતુ આજે જે કિસ્સાની વાત કરવી છે તેમાં તો શાળામાં ભણતી વિદ્યાર્થીની હાર્ટ એટેકનો ભોગ બની છે. નવસારીની શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું સ્કૂલમાં હાર્ટ એટેક આવવાને કારણે કરૂણ મોત નિપજ્યું છે. વિદ્યાર્થીનીને હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ ત્યાં સુધી પ્રાણ પંખેરૂં ઉડી ગયું હતું.


કોઈ અકસ્માતમાં તો કોઈ હાર્ટ એટેકને કારણે મૃત્યુને પામે છે  

ઘણા વર્ષો પહેલા રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની ફિલ્મ આનંદ આવી હતી. જેમાં એક ડાયલોગ હતો बाबूमुशोई, जिंदगी और मौत ऊपर वाले के हाथ है... उससे ना तो आप बदल सकते हैं ना मैं... हम सब तो रंगमंच की कठपुतलियां है जिन्की दोर ऊपर वाले की उलझियों में बंधी है। વાત એકદમ સાચી છે કોણ ક્યારે અને કેવી રીતે મરશે તેની ખબર કોઈને નથી હોતી. કોઈ અકસ્માતમાં મોતને ભેટે છે તો કોઈ હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામે છે. હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે નવસારીમાં એક વિદ્યાર્થીનીનું મોત હાર્ટ એેટેક આવવાને કારણે થયું છે. નાની ઉંમરે લોકોના મોત થવાથી તેમના માતા પિતા પર આભ ફાટી પડતું હોય છે. માતા પિતાને સ્વીકારવામાં ઘણો સમય લાગતો હોય છે કે તેમનું સંતાન હવે આ દુનિયામાં નથી રહ્યું.    


ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીનીનું થયું મોત

આપણી સામે ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. નાની ઉંમરના લોકો માટે હાર્ટ એટેક પ્રાણઘાતક સાબિત થઈ રહ્યું છે. ત્યારે ધોરણ 12 ભણતી વિદ્યાર્થીનીનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. મળતી માહિતી અનુસાર નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરી જ્યારે સીડીઓ ચઢી રહી હતી તે દરમિયાન તે અચાનક પડી ગઈ હતી. અચાનક ઢળી પડતાં શિક્ષકે નજીકની હોસ્પિટલ તેને લઈ ગયા. પરંતુ ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત ઘોષિત કરી દીધી હતી. જે વિદ્યાર્થીનીનું મોત થયું છે તેનું નામ તનિષા છે. દીકરીના મોતથી શાળામાં તેમજ પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. મહત્વનું છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પણ આ વાતને ધ્યાનમાં લીધી છે.    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.