નાની ઉંંમરે હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત, નવસારીમાં ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીનીને આવ્યો હાર્ટ એટેક, પરિવારમાં છવાયો શોક


  • Published By :
  • Published Date : 2023-06-26 17:52:52

હાર્ટ એટેકના કિસ્સાઓમાં અનેક ઘણો વધારો જોવા મળી રહ્યો છે.  કોરોના બાદ તો હાર્ટ એટેક આવવાના કિસ્સામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. પહેલા આપણે એવું માનતા હતા કે ઉંમરલાયક વ્યક્તિને હાર્ટ અટેક આવે. પરંતુ હવે તે ધારણા ખોટી પડે તેવી છે. નાની ઉંમરે યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. યુવાનો તો ઠીક પરંતુ આજે જે કિસ્સાની વાત કરવી છે તેમાં તો શાળામાં ભણતી વિદ્યાર્થીની હાર્ટ એટેકનો ભોગ બની છે. નવસારીની શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું સ્કૂલમાં હાર્ટ એટેક આવવાને કારણે કરૂણ મોત નિપજ્યું છે. વિદ્યાર્થીનીને હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ ત્યાં સુધી પ્રાણ પંખેરૂં ઉડી ગયું હતું.


કોઈ અકસ્માતમાં તો કોઈ હાર્ટ એટેકને કારણે મૃત્યુને પામે છે  

ઘણા વર્ષો પહેલા રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની ફિલ્મ આનંદ આવી હતી. જેમાં એક ડાયલોગ હતો बाबूमुशोई, जिंदगी और मौत ऊपर वाले के हाथ है... उससे ना तो आप बदल सकते हैं ना मैं... हम सब तो रंगमंच की कठपुतलियां है जिन्की दोर ऊपर वाले की उलझियों में बंधी है। વાત એકદમ સાચી છે કોણ ક્યારે અને કેવી રીતે મરશે તેની ખબર કોઈને નથી હોતી. કોઈ અકસ્માતમાં મોતને ભેટે છે તો કોઈ હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામે છે. હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે નવસારીમાં એક વિદ્યાર્થીનીનું મોત હાર્ટ એેટેક આવવાને કારણે થયું છે. નાની ઉંમરે લોકોના મોત થવાથી તેમના માતા પિતા પર આભ ફાટી પડતું હોય છે. માતા પિતાને સ્વીકારવામાં ઘણો સમય લાગતો હોય છે કે તેમનું સંતાન હવે આ દુનિયામાં નથી રહ્યું.    


ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીનીનું થયું મોત

આપણી સામે ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. નાની ઉંમરના લોકો માટે હાર્ટ એટેક પ્રાણઘાતક સાબિત થઈ રહ્યું છે. ત્યારે ધોરણ 12 ભણતી વિદ્યાર્થીનીનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. મળતી માહિતી અનુસાર નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરી જ્યારે સીડીઓ ચઢી રહી હતી તે દરમિયાન તે અચાનક પડી ગઈ હતી. અચાનક ઢળી પડતાં શિક્ષકે નજીકની હોસ્પિટલ તેને લઈ ગયા. પરંતુ ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત ઘોષિત કરી દીધી હતી. જે વિદ્યાર્થીનીનું મોત થયું છે તેનું નામ તનિષા છે. દીકરીના મોતથી શાળામાં તેમજ પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. મહત્વનું છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પણ આ વાતને ધ્યાનમાં લીધી છે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.