કોંગ્રેસમાં રાજીનામાંનો દોર શરૂ, ચૂંટણી પેહલા ફટકો પડ્યો.....


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:59:52

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. વિપક્ષ કોંગ્રેસ છે પરંતુ વખતે આપની બોલબાલા વધી છે. અને બીજી તરફ ચૂંટણી પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસ કમિટિને મોટો ફટકો વાગ્યો છે. અહીં નવા ઉપપ્રમુખોની યાદી જેવી બહાર પડી કે પાર્ટીમાં અસંતોષ ફેલાઈ ગયો હતો. જેના પરિણામે એકપછી એક રાજીનામાં પડવાના શરૂ થઈ ગયા હતાં. કોંગ્રેસના મહામંત્રી, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોએ પોતાના રાજીનામ ધરી દીધા છે.

 
કોંગ્રેસ ખોરવાય રહ્યું છે !!!

ચૂંટણી પહેલા કોંગ્રેસના હોદેદારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. શહેરના નવા ઉપપ્રમુખોની યાદી બહાર આવતા કોંગ્રેસમાં ભડકો થઈ ગયો છે. નોંધનીય છે કે મંહામંત્રી મોહમ્મદજીલાની શેખ, મંત્રી ઐયુબખાન પઠાણ, ઉપપ્રમુખ દિપકભાઈ પરમાર સહિતના ઉચ્ચ હોદ્દેદારોએ જગદીશ ઠાકોર અને નીરવ બક્ષીને રાજીનામું સોંપી દીધું છે.

 

 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .