કોંગ્રેસમાં રાજીનામાંનો દોર શરૂ, ચૂંટણી પેહલા ફટકો પડ્યો.....


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:59:52

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. વિપક્ષ કોંગ્રેસ છે પરંતુ વખતે આપની બોલબાલા વધી છે. અને બીજી તરફ ચૂંટણી પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસ કમિટિને મોટો ફટકો વાગ્યો છે. અહીં નવા ઉપપ્રમુખોની યાદી જેવી બહાર પડી કે પાર્ટીમાં અસંતોષ ફેલાઈ ગયો હતો. જેના પરિણામે એકપછી એક રાજીનામાં પડવાના શરૂ થઈ ગયા હતાં. કોંગ્રેસના મહામંત્રી, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોએ પોતાના રાજીનામ ધરી દીધા છે.

 
કોંગ્રેસ ખોરવાય રહ્યું છે !!!

ચૂંટણી પહેલા કોંગ્રેસના હોદેદારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. શહેરના નવા ઉપપ્રમુખોની યાદી બહાર આવતા કોંગ્રેસમાં ભડકો થઈ ગયો છે. નોંધનીય છે કે મંહામંત્રી મોહમ્મદજીલાની શેખ, મંત્રી ઐયુબખાન પઠાણ, ઉપપ્રમુખ દિપકભાઈ પરમાર સહિતના ઉચ્ચ હોદ્દેદારોએ જગદીશ ઠાકોર અને નીરવ બક્ષીને રાજીનામું સોંપી દીધું છે.

 

 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"