પ્લાસ્ટિક ખુરશીની મજબુતાઈ બતાવા કરાયો આવો દાવ કે વીડિયો થઈ ગયો વાયરલ! શું તમે જોયો એ વીડિયો?


  • Published By :
  • Published Date : 2023-04-13 16:53:09

ગ્રાહક દુકાનદાર માટે ભગવાન માનવામાં આવે છે.  પોતાની પ્રોડક્ટ બેસ્ટ, સારી ગુણવત્તાવાળી છે તેવું સાબિત કરવા દુકાનદારો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે. અનેક દુકાનદરો અલગ અલગ રીતના પોતાની વસ્તુઓ વેચવાનો પ્રયાસ કરતા હોય છે. અને એમાં જો ઘરમાં ઉપયોગી થતાં વસ્તુઓની વાત હોય તો તો વાત જ શું પૂછવી. ગામડા અને નાના શહેરોમાં અનેક ફેરીયાઓ એવા હોય છે જે ટેસ્ટિંગ કરીને વસ્તુ ટકાઉ છે કે નહીં તે બતાવતા હોય છે. ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 


ખુરશી પર ફર્યું પીકવાનનું ટાયર!       

સોશિયલ મીડિયા એક વીડિયો ખૂબ જોવાઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ દેખાઈ રહ્યો છે જે પ્લાસ્ટિકની ખુરશી વેચી રહ્યો છે. ખુરશી મજબુત છે કે નહીં તે ગ્રાહકોને ચેક કરાવી રહ્યો છે. પરંતુ જે રીતથી તે ખુરશીની મજબુતાઈ લોકોને બતાવી રહ્યો છે તે રસપ્રદ છે. મજબુતી દર્શાવવા જે રસ્તો અપનાવામાં આવ્યો છે તે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ લાલ રંગની ખુરશીને પીક-વાન નીચે રાખે છે. ખુરશી પર પીકઅપ વાનનું ટાયર ફરતું પણ દેખાય છે. પીકઅપ વાન આગળ વધે અને ખુરથી એકદમ વળી જાય છે. જેવી જ પીકઅપ વાન ખુરશી પર પસાર થઈ પેલો વ્યક્તિ ખુરશીને ગાડી નીચેથી બહાર કાઢે છે. પેલો વ્યક્તિ ખુરશીને પહેલા જેવી કરી દે છે. આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. કરોડો લોકોએ આ વીડિયો જોઈ લીધો છે.  

  

આ વીડિયો પર તમે શું આપશો કમેન્ટ? 

વીડિયો શેર કરતી વખતે જે કેપ્શન આપવામાં આવ્યું છે તે પણ આ વીડિયોને સૂટ થાય છે. વીડિયો શેર કરતા લખવામાં આવ્યું છે કે 'માર્કેટિંગ લેવલ જોઈ રહ્યા છો!'આ વીડિયો પર અનેક લોકોએ રિએક્ટ કર્યું છે અને અનેક લોકોએ કમેન્ટ પણ કરી છે. કોઈકે લખ્યું કે મેક ઈન ઈન્ડિયા. ઈન્ડિયામાં જ આવી વસ્તુઓ બની શકે, તો કોઈકે  લખ્યું કે આ માર્કેટિંગ લેવલ નથી પરંતુ કોન્ફીડન્સ લેવલ છે. તો કોઈકે લખ્યું કે ભગવાન આટલો જ મજબુત બનાઈ દો. આ વીડિયોને જોઈ અલગ અલગ લોકો પોતાની રાય આપી રહ્યા છે. ત્યારે આ વીડિયો પર તમે શું કમેન્ટ આપશો તે અમને જણાવો.    



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?