પ્લાસ્ટિક ખુરશીની મજબુતાઈ બતાવા કરાયો આવો દાવ કે વીડિયો થઈ ગયો વાયરલ! શું તમે જોયો એ વીડિયો?


  • Published By :
  • Published Date : 2023-04-13 16:53:09

ગ્રાહક દુકાનદાર માટે ભગવાન માનવામાં આવે છે.  પોતાની પ્રોડક્ટ બેસ્ટ, સારી ગુણવત્તાવાળી છે તેવું સાબિત કરવા દુકાનદારો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે. અનેક દુકાનદરો અલગ અલગ રીતના પોતાની વસ્તુઓ વેચવાનો પ્રયાસ કરતા હોય છે. અને એમાં જો ઘરમાં ઉપયોગી થતાં વસ્તુઓની વાત હોય તો તો વાત જ શું પૂછવી. ગામડા અને નાના શહેરોમાં અનેક ફેરીયાઓ એવા હોય છે જે ટેસ્ટિંગ કરીને વસ્તુ ટકાઉ છે કે નહીં તે બતાવતા હોય છે. ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 


ખુરશી પર ફર્યું પીકવાનનું ટાયર!       

સોશિયલ મીડિયા એક વીડિયો ખૂબ જોવાઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ દેખાઈ રહ્યો છે જે પ્લાસ્ટિકની ખુરશી વેચી રહ્યો છે. ખુરશી મજબુત છે કે નહીં તે ગ્રાહકોને ચેક કરાવી રહ્યો છે. પરંતુ જે રીતથી તે ખુરશીની મજબુતાઈ લોકોને બતાવી રહ્યો છે તે રસપ્રદ છે. મજબુતી દર્શાવવા જે રસ્તો અપનાવામાં આવ્યો છે તે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ લાલ રંગની ખુરશીને પીક-વાન નીચે રાખે છે. ખુરશી પર પીકઅપ વાનનું ટાયર ફરતું પણ દેખાય છે. પીકઅપ વાન આગળ વધે અને ખુરથી એકદમ વળી જાય છે. જેવી જ પીકઅપ વાન ખુરશી પર પસાર થઈ પેલો વ્યક્તિ ખુરશીને ગાડી નીચેથી બહાર કાઢે છે. પેલો વ્યક્તિ ખુરશીને પહેલા જેવી કરી દે છે. આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. કરોડો લોકોએ આ વીડિયો જોઈ લીધો છે.  

  

આ વીડિયો પર તમે શું આપશો કમેન્ટ? 

વીડિયો શેર કરતી વખતે જે કેપ્શન આપવામાં આવ્યું છે તે પણ આ વીડિયોને સૂટ થાય છે. વીડિયો શેર કરતા લખવામાં આવ્યું છે કે 'માર્કેટિંગ લેવલ જોઈ રહ્યા છો!'આ વીડિયો પર અનેક લોકોએ રિએક્ટ કર્યું છે અને અનેક લોકોએ કમેન્ટ પણ કરી છે. કોઈકે લખ્યું કે મેક ઈન ઈન્ડિયા. ઈન્ડિયામાં જ આવી વસ્તુઓ બની શકે, તો કોઈકે  લખ્યું કે આ માર્કેટિંગ લેવલ નથી પરંતુ કોન્ફીડન્સ લેવલ છે. તો કોઈકે લખ્યું કે ભગવાન આટલો જ મજબુત બનાઈ દો. આ વીડિયોને જોઈ અલગ અલગ લોકો પોતાની રાય આપી રહ્યા છે. ત્યારે આ વીડિયો પર તમે શું કમેન્ટ આપશો તે અમને જણાવો.    



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.