Hit And Run કાયદાના વિરોધમાં દેશભરમાં ટ્રક ચાલકોની હડતાળ, પેટ્રોલ પંપ પર આ કારણોસર લાગી લાંબી લાઈનો! જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-01-02 12:11:04

દેશના અનેક રાજ્યોથી એક સરખા દ્રશ્યો સામે આવી રહ્યા છે. રસ્તાઓ બ્લોક કરી દેવાયા છે, ચક્કાજામ કરવામાં આવ્યો છે અને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. સમગ્ર દેશમાં ડમ્પર ચાલકો, ટ્રક ડ્રાઈવરો સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા કાયદાને લઈ વિરોધ કરી રહ્યા છે. હિટ એન્ડ રન કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ડ્રાઈવરોની માગ છે કે આ કાયદાને તરત પાછો લઈ લેવામાં આવે. રસ્તા પર ટ્રકો લગાવી ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે. હડતાળને કારણે અનેક પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે. લોકોને લાગી રહ્યું છે કે આ હડતાળને કારણે પેટ્રોલ ખલાસ થઈ જશે જેને કારણે લોકો વાહનો લઈ પેટ્રોલ પંપ પર પહોંચી ગયા છે.   

hit-and-run cases truck drivers strike

Truck drivers protest against new provisition under hit and run | Mumbai  news - Hindustan Times

રસ્તા પર જોવા મળી રહી છે ટ્રકોની લાંબી લાઈન 

ટ્રક ડ્રાઈવરો હિટ એન્ડ રનના કાયદાનો વિરોધ કરી રહ્યા છે, ડ્રાઈવરો હડતાળ પર ઉતરી ગયા છે. રસ્તા પર ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે અને વિરોધમાં નારાઓ લગાવવામાં આવી રહ્યા છે. આવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે. ન માત્ર ગુજરાતમાંથી પરંતુ દેશના અનેક રાજ્યોમાંથી આવા વીડિયો સામે આવ્યા છે. વિરોધ કરી રહેલા ડ્રાઈવરોનું કહેવું છે કે આ કાયદો ખોટો છે, અને આને તરત પાછો લઈ લેવો જોઈએ. આ માગ  સાથે  ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે. રાષ્ટ્રવ્યાપી હડતાળ કરી લીધી હોય તેવું લાગે છે. દિલ્હી, હરિયાણા, યુપી અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજ્યોમાંથી આવા વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે. ટ્રકોની લાંબી લાઈન જોવા મળી રહી છે. 

પેટ્રોલ પંપ પર જોવા મળી લોકોની ભીડ! 

હડતાળ પર ઉતરેલા ડ્રાઈવરો પોતાની ટ્રકને સાઈડ રાખી વિરોધ કરી રહ્યા છે. રસ્તા પર ટ્રકોની લાંબી લાઈન જોવા મળી રહી છે. ટ્રકના માધ્યમથી પેટ્રોલ પંપ પર પેટ્રોલ તેમજ ડીઝલ મુખ્યત્વે રીતે પહોંચાડવામાં આવે છે. આ હડતાળ ક્યારે સમેટાશે તેની જાણ નથી જેને કારણે લોકોને લાગી રહ્યું છે કે પેટ્રોલ ખતમ થઈ જશે. પેટ્રોલની અછત સર્જાશે જેને કારણે લોકોની લાંબી લાઈન પેટ્રોલ પંપ પર જોવા મળી રહી છે. 

Truck Driver Protests In Maharashtra Against New Motor Vehicle Act Hit And  Run Case Nagpur Buldhana Ghodbunder Gondia Chhatrapati Sambhaji Nagar  Marathi News | Truck Driver Strike : कुठे चक्का जाम, तर



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.