ભાવુક થઈ વિદ્યાર્થીઓએ લખ્યો નીતિન ગડકરીને પત્ર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 16:55:39

ખરાબ રસ્તાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે. દેશમાં અકસ્માતોની સંખ્યમાં ધરખમ વધારો થયો છે. ત્યારે મહારાષ્ટ્રમાં યવતમાલ અને અમરાવતી વચ્ચેથી પસાર થતા 34 સ્કુલોના વિદ્યાર્થીઓએ નીતિન ગડકરીને ભાવુક થઈ પત્ર લખી રસ્તાને સુધારવાની માગ કરી છે. પત્રમાં વિદ્યાર્થીઓએ લખ્યું છે કે જ્યારે અમે આ રસ્તેથી પસાર થઈ છે ત્યારે અમે યમરાજના દરવાજા તરફ જઈ રહ્યા હોઈએ તેવું લાગે છે. હંમેશા એવો ડર લાગે છે કે, હવે પછીના અકસ્માતમાં અમારો નંબર હશે.


નીતિન ગડકરીને વિદ્યાર્થીઓએ કરી ભાવૂક અપીલ 

દેશના રસ્તાઓની હાલત અત્યંત દયનિય થઈ રહી છે. રસ્તાઓ પર દરરોજ ખાડામાં વધારો થતો હોય તેવું લાગે છે. ગામડાઓના રસ્તાઓની હાલતતો અત્યંત નાજૂક થઈ ગઈ છે. પરંતુ ત્રણ રાજ્યોને જોડતો યવતમાલ-અમરાવતી હાઈવે પણ ખાડાઓથી ઘેરાઈ ગયો છે. આ રસ્તા પર અનેક દુર્ઘટના સર્જાતી રહે છે. ખાડાઓને જલ્દી ભરવા માટે નીતિન ગડકરીને વિદ્યાર્થીઓએ પત્ર લખ્યો છે. વિદ્યાર્થીઓએ આ રસ્તાને યમરાજનો દ્વાર ગણાવ્યો છે. આ રસ્તો જલ્દીથી સુધારવામાં આવે તેવી તેમની પ્રાર્થના છે.

રાજનીતિ છોડવાનું મન કરે છે કારણ કે... નાગપુરમાં એક કાર્યક્રમમાં બોલ્યા નીતિન  ગડકરી

રોડની દશા સુધારવા કરાઈ માગ

પ્રતિદિન વધતા અકસ્માતને કારણે અનેક નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. વધતા ખાડાને કારણે લોકોને અનેક તકલીફો વેઠવાનો વારો આવે છે. ત્યારે સરકાર જલ્દી રોડની દશા સુધારે તેવી માગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.