ભાવુક થઈ વિદ્યાર્થીઓએ લખ્યો નીતિન ગડકરીને પત્ર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 16:55:39

ખરાબ રસ્તાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે. દેશમાં અકસ્માતોની સંખ્યમાં ધરખમ વધારો થયો છે. ત્યારે મહારાષ્ટ્રમાં યવતમાલ અને અમરાવતી વચ્ચેથી પસાર થતા 34 સ્કુલોના વિદ્યાર્થીઓએ નીતિન ગડકરીને ભાવુક થઈ પત્ર લખી રસ્તાને સુધારવાની માગ કરી છે. પત્રમાં વિદ્યાર્થીઓએ લખ્યું છે કે જ્યારે અમે આ રસ્તેથી પસાર થઈ છે ત્યારે અમે યમરાજના દરવાજા તરફ જઈ રહ્યા હોઈએ તેવું લાગે છે. હંમેશા એવો ડર લાગે છે કે, હવે પછીના અકસ્માતમાં અમારો નંબર હશે.


નીતિન ગડકરીને વિદ્યાર્થીઓએ કરી ભાવૂક અપીલ 

દેશના રસ્તાઓની હાલત અત્યંત દયનિય થઈ રહી છે. રસ્તાઓ પર દરરોજ ખાડામાં વધારો થતો હોય તેવું લાગે છે. ગામડાઓના રસ્તાઓની હાલતતો અત્યંત નાજૂક થઈ ગઈ છે. પરંતુ ત્રણ રાજ્યોને જોડતો યવતમાલ-અમરાવતી હાઈવે પણ ખાડાઓથી ઘેરાઈ ગયો છે. આ રસ્તા પર અનેક દુર્ઘટના સર્જાતી રહે છે. ખાડાઓને જલ્દી ભરવા માટે નીતિન ગડકરીને વિદ્યાર્થીઓએ પત્ર લખ્યો છે. વિદ્યાર્થીઓએ આ રસ્તાને યમરાજનો દ્વાર ગણાવ્યો છે. આ રસ્તો જલ્દીથી સુધારવામાં આવે તેવી તેમની પ્રાર્થના છે.

રાજનીતિ છોડવાનું મન કરે છે કારણ કે... નાગપુરમાં એક કાર્યક્રમમાં બોલ્યા નીતિન  ગડકરી

રોડની દશા સુધારવા કરાઈ માગ

પ્રતિદિન વધતા અકસ્માતને કારણે અનેક નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. વધતા ખાડાને કારણે લોકોને અનેક તકલીફો વેઠવાનો વારો આવે છે. ત્યારે સરકાર જલ્દી રોડની દશા સુધારે તેવી માગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. 



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.