ભાવુક થઈ વિદ્યાર્થીઓએ લખ્યો નીતિન ગડકરીને પત્ર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 16:55:39

ખરાબ રસ્તાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે. દેશમાં અકસ્માતોની સંખ્યમાં ધરખમ વધારો થયો છે. ત્યારે મહારાષ્ટ્રમાં યવતમાલ અને અમરાવતી વચ્ચેથી પસાર થતા 34 સ્કુલોના વિદ્યાર્થીઓએ નીતિન ગડકરીને ભાવુક થઈ પત્ર લખી રસ્તાને સુધારવાની માગ કરી છે. પત્રમાં વિદ્યાર્થીઓએ લખ્યું છે કે જ્યારે અમે આ રસ્તેથી પસાર થઈ છે ત્યારે અમે યમરાજના દરવાજા તરફ જઈ રહ્યા હોઈએ તેવું લાગે છે. હંમેશા એવો ડર લાગે છે કે, હવે પછીના અકસ્માતમાં અમારો નંબર હશે.


નીતિન ગડકરીને વિદ્યાર્થીઓએ કરી ભાવૂક અપીલ 

દેશના રસ્તાઓની હાલત અત્યંત દયનિય થઈ રહી છે. રસ્તાઓ પર દરરોજ ખાડામાં વધારો થતો હોય તેવું લાગે છે. ગામડાઓના રસ્તાઓની હાલતતો અત્યંત નાજૂક થઈ ગઈ છે. પરંતુ ત્રણ રાજ્યોને જોડતો યવતમાલ-અમરાવતી હાઈવે પણ ખાડાઓથી ઘેરાઈ ગયો છે. આ રસ્તા પર અનેક દુર્ઘટના સર્જાતી રહે છે. ખાડાઓને જલ્દી ભરવા માટે નીતિન ગડકરીને વિદ્યાર્થીઓએ પત્ર લખ્યો છે. વિદ્યાર્થીઓએ આ રસ્તાને યમરાજનો દ્વાર ગણાવ્યો છે. આ રસ્તો જલ્દીથી સુધારવામાં આવે તેવી તેમની પ્રાર્થના છે.

રાજનીતિ છોડવાનું મન કરે છે કારણ કે... નાગપુરમાં એક કાર્યક્રમમાં બોલ્યા નીતિન  ગડકરી

રોડની દશા સુધારવા કરાઈ માગ

પ્રતિદિન વધતા અકસ્માતને કારણે અનેક નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. વધતા ખાડાને કારણે લોકોને અનેક તકલીફો વેઠવાનો વારો આવે છે. ત્યારે સરકાર જલ્દી રોડની દશા સુધારે તેવી માગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. 



આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .