નફરત ફેલાવવા મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને હાંકી લીધી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 22:24:54

લોકતંત્રના ચોથા સ્તંભ મીડિયાનો દેશના નિર્માણમાં મોટો રોલ રહેલો છે. મીડિયા શાસન પ્રશાસન અને ન્યાય પ્રણાલીમાં જે સારી કે ખરાબ કામગીરી થઈ રહી હોય તે દેશના લોકોને જણાવે છે. જ્યારે લોકોની વાત કોઈ સાંભળતું નથી ત્યારે લોકોનો અવાજ બનીને સરકારના કાન મરોડતી હોય છે. પરંતુ મીડિયાની અંદર વધી રહેલી હેટ સ્પીચ મામલે જ્યારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી ત્યારે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આકરા પ્રશ્નો કર્યા હતા કે સરકાર કેમ હેટ સ્પીચ રોકવામાં મૂંગી બની રહી છે.


જસ્ટિસ જોસેફે શું નિવેદન આપ્યું?

સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચ મામલે કેન્દ્ર સરકાર સામે ચિંતા વ્યક્ત કરતા ગંભીર નિવેદન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે તમે હેટ સ્પીચ મામલે કેમ ચૂપ છો, આપણો દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે હેટ સ્પીચ મામલે દેશમાં કોઈ કાયદો નથી તો સુપ્રીમ કોર્ટે આ મામલે આદેશ જાહેર કરવો જોઈએ. જસ્ટિસ જોસેફે મૌખિક નિવેદન આપ્યું હતું કે મીડિયામાં એન્કરનો રોલ બહું મહત્વપૂર્ણ હોય છે. હેટ સ્પીચ જે સોશિયલ મીડિયા કે મેઈન સ્ટ્રીમ મીડિયા મારફતે ફેલાવવામાં આવતી હોય છે. જો કોઈ હેટ સ્પીચ આપવાનું કામ કરે તો એન્કરે તેમને રોકી દેવો જોઈએ. 


હેટ સ્પીચ મામલે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજી થઈ 

જસ્ટિસ જોસેફે જણાવ્યું હતું કે હેટ સ્પીચને રોકવા માટે લીગલ ફ્રેમવર્ક હોવું જોઈએ. જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ રિષિકેશ રાયની બંધારણીય બેંચ પાસે હેટ સ્પીચ મામલે 11 જેટલી અરજી આવી છે. હેટ સ્પીચ મામલના રેગ્યુલેટ કરવા માટે અરજીમાં વાત કરવામાં આવી છે. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.