નફરત ફેલાવવા મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને હાંકી લીધી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 22:24:54

લોકતંત્રના ચોથા સ્તંભ મીડિયાનો દેશના નિર્માણમાં મોટો રોલ રહેલો છે. મીડિયા શાસન પ્રશાસન અને ન્યાય પ્રણાલીમાં જે સારી કે ખરાબ કામગીરી થઈ રહી હોય તે દેશના લોકોને જણાવે છે. જ્યારે લોકોની વાત કોઈ સાંભળતું નથી ત્યારે લોકોનો અવાજ બનીને સરકારના કાન મરોડતી હોય છે. પરંતુ મીડિયાની અંદર વધી રહેલી હેટ સ્પીચ મામલે જ્યારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી ત્યારે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આકરા પ્રશ્નો કર્યા હતા કે સરકાર કેમ હેટ સ્પીચ રોકવામાં મૂંગી બની રહી છે.


જસ્ટિસ જોસેફે શું નિવેદન આપ્યું?

સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચ મામલે કેન્દ્ર સરકાર સામે ચિંતા વ્યક્ત કરતા ગંભીર નિવેદન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે તમે હેટ સ્પીચ મામલે કેમ ચૂપ છો, આપણો દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે હેટ સ્પીચ મામલે દેશમાં કોઈ કાયદો નથી તો સુપ્રીમ કોર્ટે આ મામલે આદેશ જાહેર કરવો જોઈએ. જસ્ટિસ જોસેફે મૌખિક નિવેદન આપ્યું હતું કે મીડિયામાં એન્કરનો રોલ બહું મહત્વપૂર્ણ હોય છે. હેટ સ્પીચ જે સોશિયલ મીડિયા કે મેઈન સ્ટ્રીમ મીડિયા મારફતે ફેલાવવામાં આવતી હોય છે. જો કોઈ હેટ સ્પીચ આપવાનું કામ કરે તો એન્કરે તેમને રોકી દેવો જોઈએ. 


હેટ સ્પીચ મામલે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજી થઈ 

જસ્ટિસ જોસેફે જણાવ્યું હતું કે હેટ સ્પીચને રોકવા માટે લીગલ ફ્રેમવર્ક હોવું જોઈએ. જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ રિષિકેશ રાયની બંધારણીય બેંચ પાસે હેટ સ્પીચ મામલે 11 જેટલી અરજી આવી છે. હેટ સ્પીચ મામલના રેગ્યુલેટ કરવા માટે અરજીમાં વાત કરવામાં આવી છે. 



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.