નફરત ફેલાવવા મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને હાંકી લીધી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 22:24:54

લોકતંત્રના ચોથા સ્તંભ મીડિયાનો દેશના નિર્માણમાં મોટો રોલ રહેલો છે. મીડિયા શાસન પ્રશાસન અને ન્યાય પ્રણાલીમાં જે સારી કે ખરાબ કામગીરી થઈ રહી હોય તે દેશના લોકોને જણાવે છે. જ્યારે લોકોની વાત કોઈ સાંભળતું નથી ત્યારે લોકોનો અવાજ બનીને સરકારના કાન મરોડતી હોય છે. પરંતુ મીડિયાની અંદર વધી રહેલી હેટ સ્પીચ મામલે જ્યારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી ત્યારે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આકરા પ્રશ્નો કર્યા હતા કે સરકાર કેમ હેટ સ્પીચ રોકવામાં મૂંગી બની રહી છે.


જસ્ટિસ જોસેફે શું નિવેદન આપ્યું?

સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચ મામલે કેન્દ્ર સરકાર સામે ચિંતા વ્યક્ત કરતા ગંભીર નિવેદન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે તમે હેટ સ્પીચ મામલે કેમ ચૂપ છો, આપણો દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે હેટ સ્પીચ મામલે દેશમાં કોઈ કાયદો નથી તો સુપ્રીમ કોર્ટે આ મામલે આદેશ જાહેર કરવો જોઈએ. જસ્ટિસ જોસેફે મૌખિક નિવેદન આપ્યું હતું કે મીડિયામાં એન્કરનો રોલ બહું મહત્વપૂર્ણ હોય છે. હેટ સ્પીચ જે સોશિયલ મીડિયા કે મેઈન સ્ટ્રીમ મીડિયા મારફતે ફેલાવવામાં આવતી હોય છે. જો કોઈ હેટ સ્પીચ આપવાનું કામ કરે તો એન્કરે તેમને રોકી દેવો જોઈએ. 


હેટ સ્પીચ મામલે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજી થઈ 

જસ્ટિસ જોસેફે જણાવ્યું હતું કે હેટ સ્પીચને રોકવા માટે લીગલ ફ્રેમવર્ક હોવું જોઈએ. જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ રિષિકેશ રાયની બંધારણીય બેંચ પાસે હેટ સ્પીચ મામલે 11 જેટલી અરજી આવી છે. હેટ સ્પીચ મામલના રેગ્યુલેટ કરવા માટે અરજીમાં વાત કરવામાં આવી છે. 



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.