સુપ્રીમ કોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણજન્મભૂમિ સર્વે મામલે મુસ્લિમ પક્ષને આપ્યો ઝટકો, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-12-15 14:34:14

મથુરામાં શ્રી કૃષ્ણજન્મભૂમિ વિવાદ મામલે મુસ્લિમ પક્ષને સુપ્રિમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્લાહબાદ હાઈકોર્ટના 14 ડિસેમ્બરના રોજ આપવામાં આવેલા ફેંસવા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો છે. ઉલ્લેખનિય છે કે અલ્લાહબાદ હાઈકોર્ટે તેના ચુકાદામાં કૃષ્ણજન્મભૂમિ-શાહી ઈદગાહ પરિસરમાં સર્વેને મંજુરી આપી હતી. હાઈકોર્ટના આ ફેંસલા વિરૂધ્ધ શાહી ઈદગાહ અને સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. 


9 જાન્યુઆરીએ થશે સુનાવણી


હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કોર્ટના ચુકાદા અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે શાહી ઈદગાહ મામલે અલ્લાહબાદ હાઈકોર્ટે આદેશ આપ્યો હતો, તે આદેશને શાહી ઈદગાહ મસ્જીદ અને સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. તેમણે માગ કરી હતી કે અલ્લાહબાદ હાઈકોર્ટના ઓર્ડર પર સ્ટે આપવામાં આવે.  જો  કે સુપ્રીમ કોર્ટે તે અંગે કોઈ આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે  વધુ સુનાવણી કરવા આગામી 9 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.