સુપ્રીમ કોર્ટે EVM પર સવાલ ઉઠાવનારાઓને દંડ કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:38:28

સુપ્રીમ કોર્ટે આજે ઈવીએમ મશીનની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટેની જસ્ટિસ સંજય કિશન કૌલની બંધારણીય પીઠે અરજી કરનાર મધ્યપ્રદેશ જન વિકાસ પાર્ટીને 50 હજાર રૂપિયાનો દંડ ભરવા માટે આદેશ કર્યો હતો. 


સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ વિકાસ પાર્ટીને લતાડતા કહ્યું હતું કે અનેક રાજકીય પાર્ટીઓ જ્યારે લોકોના મત મેળવવામાં નિષ્ફળ થાયે છે ત્યારે તેઓ પોતાની હારનો ટોપલો ઈવીએમ મશીન પર ઢોળી દેય છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, એવું લાગે છે જે પાર્ટીને મતદારોનું સમર્થન નથી મળતું તેવી પાર્ટીઓ આવી અરજીઓ કરે છે. 


 અગાઉ પણ અનેક પાર્ટીઓએ ઈવીએમની વિશ્વસનિયતા પર સવાલ ઉઠાવતી અરજીઓ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં થઈ છે. જે મામલે તથ્યોના આધારે સુપ્રીમ કોર્ટે ચુકાદાઓ આપ્યા છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .