સુપ્રીમ કોર્ટે EVM પર સવાલ ઉઠાવનારાઓને દંડ કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:38:28

સુપ્રીમ કોર્ટે આજે ઈવીએમ મશીનની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટેની જસ્ટિસ સંજય કિશન કૌલની બંધારણીય પીઠે અરજી કરનાર મધ્યપ્રદેશ જન વિકાસ પાર્ટીને 50 હજાર રૂપિયાનો દંડ ભરવા માટે આદેશ કર્યો હતો. 


સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ વિકાસ પાર્ટીને લતાડતા કહ્યું હતું કે અનેક રાજકીય પાર્ટીઓ જ્યારે લોકોના મત મેળવવામાં નિષ્ફળ થાયે છે ત્યારે તેઓ પોતાની હારનો ટોપલો ઈવીએમ મશીન પર ઢોળી દેય છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, એવું લાગે છે જે પાર્ટીને મતદારોનું સમર્થન નથી મળતું તેવી પાર્ટીઓ આવી અરજીઓ કરે છે. 


 અગાઉ પણ અનેક પાર્ટીઓએ ઈવીએમની વિશ્વસનિયતા પર સવાલ ઉઠાવતી અરજીઓ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં થઈ છે. જે મામલે તથ્યોના આધારે સુપ્રીમ કોર્ટે ચુકાદાઓ આપ્યા છે. 



રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.