સુપ્રીમ કોર્ટે EVM પર સવાલ ઉઠાવનારાઓને દંડ કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:38:28

સુપ્રીમ કોર્ટે આજે ઈવીએમ મશીનની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટેની જસ્ટિસ સંજય કિશન કૌલની બંધારણીય પીઠે અરજી કરનાર મધ્યપ્રદેશ જન વિકાસ પાર્ટીને 50 હજાર રૂપિયાનો દંડ ભરવા માટે આદેશ કર્યો હતો. 


સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ વિકાસ પાર્ટીને લતાડતા કહ્યું હતું કે અનેક રાજકીય પાર્ટીઓ જ્યારે લોકોના મત મેળવવામાં નિષ્ફળ થાયે છે ત્યારે તેઓ પોતાની હારનો ટોપલો ઈવીએમ મશીન પર ઢોળી દેય છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, એવું લાગે છે જે પાર્ટીને મતદારોનું સમર્થન નથી મળતું તેવી પાર્ટીઓ આવી અરજીઓ કરે છે. 


 અગાઉ પણ અનેક પાર્ટીઓએ ઈવીએમની વિશ્વસનિયતા પર સવાલ ઉઠાવતી અરજીઓ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં થઈ છે. જે મામલે તથ્યોના આધારે સુપ્રીમ કોર્ટે ચુકાદાઓ આપ્યા છે. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.