Supreme Courtએ વિદ્યાર્થીઓમાં વધતા આત્મહત્યાના કિસ્સાઓને લઈ આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું માતા-પિતા જવાબદાર!


  • Published By :
  • Published Date : 2023-11-22 10:50:49

દેશમાં અનેક લોકો આત્મહત્યા કરી પોતાના જીવનને ટૂંકાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ આત્મહત્યા જેવું ભયંકર પગલું ભરી રહ્યા છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજસ્થાનના કોટા શહેરમાં આવેલું કોચિંગ સેન્ટરથી આવા સમાચાર અવાર-નવાર આવી રહ્યા છે. વધતા આત્મહત્યાના કિસ્સાઓને ધ્યાનમાં રાખી એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં એવું સામે આવ્યું કે માતા પિતા દ્વારા રાખવામાં આવતી અપેક્ષાઓને કારણે બાળકો ડિપ્રેશનનો શિકાર બનતા હોય છે અને આવું પગલું ભરે છે.! વિદ્યાર્થીઓમાં વધતા આત્મહત્યાની ઘટનાઓ પાછળ તેમના માતા પિતા જવાબદાર છે, કોચિંગ સેન્ટર નહીં તેવું નિવેદન સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યું છે.

The Supreme Court said - this is a serious issue, 'Due to free  distribution, the condition of Sri Lanka has deteriorated, India is also on  the same path'. | કહ્યું- પોલિટિકલ પાર્ટીઓ

બાળકોની તુલના થવાથી બાળકો નિરાશ થઈ જાય છે!

બાળક પાસેથી માતા પિતા આશા રાખે તે સ્વભાવિક છે પરંતુ વધારે પડતી આશા છોકરાઓને ડિપ્રેશન તરફ લઈ જતી હોય છે. અનેક વખત માતા પિતા દ્વારા કરવામાં આવતી તુલનાને કારણે બાળકોમાં નિરાશા છવાઈ જતી હોય છે અને તે આત્મહત્યા જેવું પગલું ભરી લેતા હોય છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોણ જવાબદાર! / ગુજરાત માટે સૌથી ચિંતાજનક બાબત, છેલ્લાં ૩ વર્ષમાં 10,211  યુવાનો કરી ચૂક્યાં છે આત્મહત્યા - GSTV


વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળ માતા-પિતા જવાબદાર - સુપ્રીમ કોર્ટ

 જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોટામાં દિવસેને દિવસે બાળકો આત્મહત્યા કરી રહ્યા છે તેના માટે માત્ર તેના માતા-પિતા જવાબદાર છે. સાથે જ કોર્ટે કોચિંગ સેન્ટરો પર લગામ લગાવવાની વાતને નકારી કાઢી હતી. રાજસ્થાનમાં આવેલા કોટા ઈન્સ્ટીટ્યુટથી અવાર-નવાર આપઘાતના સમાચારો આવતા રહે છે. ત્યારે કોટા ઈન્સ્ટીટ્યુટમાં એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં એ વાતની પુષ્ટિ થઈ કે ત્યાંના વિદ્યાર્થીઓ ગંભીર ડિપ્રેશનનો શિકાર છે અને માનસિક આરોગ્યની સમસ્યાઓથી પીડિત છે. 


બાળકો પાસેથી માતા પિતા ક્ષમતા કરતા વધારે આશા રાખે છે 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે બાળકો તેમના માતા-પિતાની વધુ પડતી આશાના કારણે મોતને ભેટે છે. માતાપિતા તેમના બાળકો પાસેથી તેમની ક્ષમતા કરતાં વધુ અપેક્ષા રાખે છે. જેના કારણે બાળકો દબાણમાં આવીને આ પગલું ભરી લેતા હોય છે. મહત્વનું છે કે અનેક માતા પિતા એવા હોય છે જે પોતાના બાળકની તુલના બીજા બાળકો સાથે કરતા હોય છે. તુલના થવાને કારણે બાળકોમાં સારૂં પર્ફોમન્સ આપવા માટે એક પ્રકારનું પ્રેશર સર્જાતું હોય છે. અનેક વિદ્યાર્થીઓ, બાળકો એવા હોય છે જે આ પ્રેશરને સહન નથી કરી શકતા અને આવું પગલું ભરી લેતા હોય છે. ત્યારે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે બાળકોની આત્મહત્યા પાછળ માત્ર માતા પિતા જવાબદાર છે, કોચિંગ ઈન્સ્ટીટ્યુટ નહીં. ત્યારે સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી પર તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો .    



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .