Supreme Courtએ વિદ્યાર્થીઓમાં વધતા આત્મહત્યાના કિસ્સાઓને લઈ આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું માતા-પિતા જવાબદાર!


  • Published By :
  • Published Date : 2023-11-22 10:50:49

દેશમાં અનેક લોકો આત્મહત્યા કરી પોતાના જીવનને ટૂંકાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ આત્મહત્યા જેવું ભયંકર પગલું ભરી રહ્યા છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજસ્થાનના કોટા શહેરમાં આવેલું કોચિંગ સેન્ટરથી આવા સમાચાર અવાર-નવાર આવી રહ્યા છે. વધતા આત્મહત્યાના કિસ્સાઓને ધ્યાનમાં રાખી એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં એવું સામે આવ્યું કે માતા પિતા દ્વારા રાખવામાં આવતી અપેક્ષાઓને કારણે બાળકો ડિપ્રેશનનો શિકાર બનતા હોય છે અને આવું પગલું ભરે છે.! વિદ્યાર્થીઓમાં વધતા આત્મહત્યાની ઘટનાઓ પાછળ તેમના માતા પિતા જવાબદાર છે, કોચિંગ સેન્ટર નહીં તેવું નિવેદન સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યું છે.

The Supreme Court said - this is a serious issue, 'Due to free  distribution, the condition of Sri Lanka has deteriorated, India is also on  the same path'. | કહ્યું- પોલિટિકલ પાર્ટીઓ

બાળકોની તુલના થવાથી બાળકો નિરાશ થઈ જાય છે!

બાળક પાસેથી માતા પિતા આશા રાખે તે સ્વભાવિક છે પરંતુ વધારે પડતી આશા છોકરાઓને ડિપ્રેશન તરફ લઈ જતી હોય છે. અનેક વખત માતા પિતા દ્વારા કરવામાં આવતી તુલનાને કારણે બાળકોમાં નિરાશા છવાઈ જતી હોય છે અને તે આત્મહત્યા જેવું પગલું ભરી લેતા હોય છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોણ જવાબદાર! / ગુજરાત માટે સૌથી ચિંતાજનક બાબત, છેલ્લાં ૩ વર્ષમાં 10,211  યુવાનો કરી ચૂક્યાં છે આત્મહત્યા - GSTV


વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળ માતા-પિતા જવાબદાર - સુપ્રીમ કોર્ટ

 જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોટામાં દિવસેને દિવસે બાળકો આત્મહત્યા કરી રહ્યા છે તેના માટે માત્ર તેના માતા-પિતા જવાબદાર છે. સાથે જ કોર્ટે કોચિંગ સેન્ટરો પર લગામ લગાવવાની વાતને નકારી કાઢી હતી. રાજસ્થાનમાં આવેલા કોટા ઈન્સ્ટીટ્યુટથી અવાર-નવાર આપઘાતના સમાચારો આવતા રહે છે. ત્યારે કોટા ઈન્સ્ટીટ્યુટમાં એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં એ વાતની પુષ્ટિ થઈ કે ત્યાંના વિદ્યાર્થીઓ ગંભીર ડિપ્રેશનનો શિકાર છે અને માનસિક આરોગ્યની સમસ્યાઓથી પીડિત છે. 


બાળકો પાસેથી માતા પિતા ક્ષમતા કરતા વધારે આશા રાખે છે 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે બાળકો તેમના માતા-પિતાની વધુ પડતી આશાના કારણે મોતને ભેટે છે. માતાપિતા તેમના બાળકો પાસેથી તેમની ક્ષમતા કરતાં વધુ અપેક્ષા રાખે છે. જેના કારણે બાળકો દબાણમાં આવીને આ પગલું ભરી લેતા હોય છે. મહત્વનું છે કે અનેક માતા પિતા એવા હોય છે જે પોતાના બાળકની તુલના બીજા બાળકો સાથે કરતા હોય છે. તુલના થવાને કારણે બાળકોમાં સારૂં પર્ફોમન્સ આપવા માટે એક પ્રકારનું પ્રેશર સર્જાતું હોય છે. અનેક વિદ્યાર્થીઓ, બાળકો એવા હોય છે જે આ પ્રેશરને સહન નથી કરી શકતા અને આવું પગલું ભરી લેતા હોય છે. ત્યારે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે બાળકોની આત્મહત્યા પાછળ માત્ર માતા પિતા જવાબદાર છે, કોચિંગ ઈન્સ્ટીટ્યુટ નહીં. ત્યારે સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી પર તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો .    



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.