Supreme Courtએ વિદ્યાર્થીઓમાં વધતા આત્મહત્યાના કિસ્સાઓને લઈ આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું માતા-પિતા જવાબદાર!


  • Published By :
  • Published Date : 2023-11-22 10:50:49

દેશમાં અનેક લોકો આત્મહત્યા કરી પોતાના જીવનને ટૂંકાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ આત્મહત્યા જેવું ભયંકર પગલું ભરી રહ્યા છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજસ્થાનના કોટા શહેરમાં આવેલું કોચિંગ સેન્ટરથી આવા સમાચાર અવાર-નવાર આવી રહ્યા છે. વધતા આત્મહત્યાના કિસ્સાઓને ધ્યાનમાં રાખી એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં એવું સામે આવ્યું કે માતા પિતા દ્વારા રાખવામાં આવતી અપેક્ષાઓને કારણે બાળકો ડિપ્રેશનનો શિકાર બનતા હોય છે અને આવું પગલું ભરે છે.! વિદ્યાર્થીઓમાં વધતા આત્મહત્યાની ઘટનાઓ પાછળ તેમના માતા પિતા જવાબદાર છે, કોચિંગ સેન્ટર નહીં તેવું નિવેદન સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યું છે.

The Supreme Court said - this is a serious issue, 'Due to free  distribution, the condition of Sri Lanka has deteriorated, India is also on  the same path'. | કહ્યું- પોલિટિકલ પાર્ટીઓ

બાળકોની તુલના થવાથી બાળકો નિરાશ થઈ જાય છે!

બાળક પાસેથી માતા પિતા આશા રાખે તે સ્વભાવિક છે પરંતુ વધારે પડતી આશા છોકરાઓને ડિપ્રેશન તરફ લઈ જતી હોય છે. અનેક વખત માતા પિતા દ્વારા કરવામાં આવતી તુલનાને કારણે બાળકોમાં નિરાશા છવાઈ જતી હોય છે અને તે આત્મહત્યા જેવું પગલું ભરી લેતા હોય છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોણ જવાબદાર! / ગુજરાત માટે સૌથી ચિંતાજનક બાબત, છેલ્લાં ૩ વર્ષમાં 10,211  યુવાનો કરી ચૂક્યાં છે આત્મહત્યા - GSTV


વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળ માતા-પિતા જવાબદાર - સુપ્રીમ કોર્ટ

 જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોટામાં દિવસેને દિવસે બાળકો આત્મહત્યા કરી રહ્યા છે તેના માટે માત્ર તેના માતા-પિતા જવાબદાર છે. સાથે જ કોર્ટે કોચિંગ સેન્ટરો પર લગામ લગાવવાની વાતને નકારી કાઢી હતી. રાજસ્થાનમાં આવેલા કોટા ઈન્સ્ટીટ્યુટથી અવાર-નવાર આપઘાતના સમાચારો આવતા રહે છે. ત્યારે કોટા ઈન્સ્ટીટ્યુટમાં એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં એ વાતની પુષ્ટિ થઈ કે ત્યાંના વિદ્યાર્થીઓ ગંભીર ડિપ્રેશનનો શિકાર છે અને માનસિક આરોગ્યની સમસ્યાઓથી પીડિત છે. 


બાળકો પાસેથી માતા પિતા ક્ષમતા કરતા વધારે આશા રાખે છે 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે બાળકો તેમના માતા-પિતાની વધુ પડતી આશાના કારણે મોતને ભેટે છે. માતાપિતા તેમના બાળકો પાસેથી તેમની ક્ષમતા કરતાં વધુ અપેક્ષા રાખે છે. જેના કારણે બાળકો દબાણમાં આવીને આ પગલું ભરી લેતા હોય છે. મહત્વનું છે કે અનેક માતા પિતા એવા હોય છે જે પોતાના બાળકની તુલના બીજા બાળકો સાથે કરતા હોય છે. તુલના થવાને કારણે બાળકોમાં સારૂં પર્ફોમન્સ આપવા માટે એક પ્રકારનું પ્રેશર સર્જાતું હોય છે. અનેક વિદ્યાર્થીઓ, બાળકો એવા હોય છે જે આ પ્રેશરને સહન નથી કરી શકતા અને આવું પગલું ભરી લેતા હોય છે. ત્યારે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે બાળકોની આત્મહત્યા પાછળ માત્ર માતા પિતા જવાબદાર છે, કોચિંગ ઈન્સ્ટીટ્યુટ નહીં. ત્યારે સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી પર તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો .    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.