Electoral Bondને લઈ SBIની Supreme Courtએ કાઢી ઝાટકણી, સૂંપૂર્ણ માહિતી તો આપો ઉપરાંત એફિડેવિટ આપવા પણ આદેશ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-18 15:39:22

ચૂંટણી બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટે ફરી એક વખત કડક વલણ અપનાવ્યું છે. ફરી એક વખત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ચીફ જસ્ટિટ ઓફ ઈન્ડિયાએ ઝાટકણી કાઢી છે. ચૂંટણી બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટમાં આજે ફરી એક વખત સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં ચૂંટણી બોન્ડને લઈ તમામ માહિતી આપવા માટે આદેશ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો કે ચૂંટણી બોન્ડની તમામ માહિતી આપવામાં આવે અને તે માહિતીમાં બોન્ડ નંબર પણ આપવાનો રહેશે. સાથે સાથે એફિડેવિટ પણ આપવાની રહેશે. તે ઉપરાંત ચૂંટણી પંચને પણ આદેશ કર્યો છે કે જે માહિતી આપવામાં આવે તેને વેબસાઈટ પર મૂકવી. 

ચૂંટણી બોન્ડ અંગે તો માહિતી આપવામાં આવી પરંતુ...

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી બોન્ડને લઈ ફરી એક વખત સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એસબીઆઈએ ચૂંટણી બોન્ડને લઈ માહિતી આપી હતી. તે માહિતીમાં ચૂંટણી બોન્ડ કોણે ખરીદ્યા, કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું તે હતી પરંતુ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી માહિતીમાં બોન્ડ નંબર જાહેર કરવામાં  આવ્યો ન હતો. આ મામલે એસબીઆઈની ઝાટકણી દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા અનેક વખત કાઢવામાં આવી હતી. આજે પણ ફરી એક વખત આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માટે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે.  


21 માર્ચ સુધી એસબીઆઈને આપવી પડશે સંપૂર્ણ માહિતી

ચૂંટણી બોન્ડ અંગેની તમામ માહિતી શેર કરવા માટે સુપ્રીમ કોર્ટે 21 માર્ચ સાંજ સુધીનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું કે ઇલેક્ટોરલ બોન્ડ સાથે જોડાયેલી દરેક જાણકારી 21 માર્ચ સુધી આપે. નવા આદેશમાં એ યુનિક બોન્ડનંબર્સના ખુલાસાનો પણ આદેશ આપ્યો, જેના દ્વારા બોન્ડ ખરીદનાર અને ફંડ મેળવનાર રાજનૈતિક પાર્ટીની લિંક જાણી શકાય છે. એસબીઆઈને આની માહિતી તો આપવી પડશે પરંતુ તેની સાથે સાથે એફિડેવિટ પણ કરવી પડશે જેમાં એસબીઆઈએ સ્વીકારવું પડશે કે કોઈ માહિતી છુપાવી નથી. ત્યારે જોવું રહ્યું કે 21 માર્ચે ચૂંટણી બોન્ડને લઈ શું નવા અપડેટ સામે  આવે છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.