Electoral Bondને લઈ SBIની Supreme Courtએ કાઢી ઝાટકણી, સૂંપૂર્ણ માહિતી તો આપો ઉપરાંત એફિડેવિટ આપવા પણ આદેશ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-18 15:39:22

ચૂંટણી બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટે ફરી એક વખત કડક વલણ અપનાવ્યું છે. ફરી એક વખત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ચીફ જસ્ટિટ ઓફ ઈન્ડિયાએ ઝાટકણી કાઢી છે. ચૂંટણી બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટમાં આજે ફરી એક વખત સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં ચૂંટણી બોન્ડને લઈ તમામ માહિતી આપવા માટે આદેશ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો કે ચૂંટણી બોન્ડની તમામ માહિતી આપવામાં આવે અને તે માહિતીમાં બોન્ડ નંબર પણ આપવાનો રહેશે. સાથે સાથે એફિડેવિટ પણ આપવાની રહેશે. તે ઉપરાંત ચૂંટણી પંચને પણ આદેશ કર્યો છે કે જે માહિતી આપવામાં આવે તેને વેબસાઈટ પર મૂકવી. 

ચૂંટણી બોન્ડ અંગે તો માહિતી આપવામાં આવી પરંતુ...

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી બોન્ડને લઈ ફરી એક વખત સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એસબીઆઈએ ચૂંટણી બોન્ડને લઈ માહિતી આપી હતી. તે માહિતીમાં ચૂંટણી બોન્ડ કોણે ખરીદ્યા, કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું તે હતી પરંતુ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી માહિતીમાં બોન્ડ નંબર જાહેર કરવામાં  આવ્યો ન હતો. આ મામલે એસબીઆઈની ઝાટકણી દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા અનેક વખત કાઢવામાં આવી હતી. આજે પણ ફરી એક વખત આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માટે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે.  


21 માર્ચ સુધી એસબીઆઈને આપવી પડશે સંપૂર્ણ માહિતી

ચૂંટણી બોન્ડ અંગેની તમામ માહિતી શેર કરવા માટે સુપ્રીમ કોર્ટે 21 માર્ચ સાંજ સુધીનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું કે ઇલેક્ટોરલ બોન્ડ સાથે જોડાયેલી દરેક જાણકારી 21 માર્ચ સુધી આપે. નવા આદેશમાં એ યુનિક બોન્ડનંબર્સના ખુલાસાનો પણ આદેશ આપ્યો, જેના દ્વારા બોન્ડ ખરીદનાર અને ફંડ મેળવનાર રાજનૈતિક પાર્ટીની લિંક જાણી શકાય છે. એસબીઆઈને આની માહિતી તો આપવી પડશે પરંતુ તેની સાથે સાથે એફિડેવિટ પણ કરવી પડશે જેમાં એસબીઆઈએ સ્વીકારવું પડશે કે કોઈ માહિતી છુપાવી નથી. ત્યારે જોવું રહ્યું કે 21 માર્ચે ચૂંટણી બોન્ડને લઈ શું નવા અપડેટ સામે  આવે છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.