Supreme Courtના ચુકાદાએ વધાર્યું ગૃહિણીઓનું સન્માન! આ કેસમાં ટિપ્પણી કરતા કહ્યું કે ગૃહિણીનું મૂલ્ય નોકરી કરનારા કરતા ઓછું ના ગણી શકાય...


  • Published By :
  • Published Date : 2024-02-19 15:51:31

સામાન્ય રીતે આપણે અનેક વખત જોયું હશે કે ગૃહિણીને માન સન્માન એટલું નથી આપવામાં આવતું જેટલું માન સન્માન કમાનાર વ્યક્તિને આપવામાં આવે છે...!  અનેક લોકોને સાંભળ્યા હશે જે કહેતા હશે કે સ્ત્રીઓનું કામ ઘરને સંભાળવાનું છે વગેરે વગેરે.... ત્યારે સુપ્રીમ કોર્ટે ગૃહિણીનું સન્માન વધે તેવી ટિપ્પણી કરી છે. એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરિવારની સંભાળ લેનાર ગૃહિણીનું યોગદાન અમુલ્ય છે. આ સુનાવણી અકસ્માત દુર્ઘટનાને લઈ કરવામાં આવી હતી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ કે.વી વિશ્વનાથ દ્વારા ગૃહિણીઓ માટે આવી મોટી વાત કહેવામાં આવી છે. 

The Supreme Court said - this is a serious issue, 'Due to free  distribution, the condition of Sri Lanka has deteriorated, India is also on  the same path'. | ચૂંટણીમાં ફ્રી ઓફર્સથી


શું હતો સમગ્ર મામલો? 

જે દુર્ઘટનાને લઈ સુપ્રીમ કોર્ટમાં સુનવણી ચાલી હતી તેની વાત કરીએ તો 2006માં ઉત્તરાખંડમાં એક મહિલાનું મોત રોડ અકસ્માતમાં થયું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર જે ગાડીને મહિલા ચલાવી રહી હતી તેનો વિમો ન હતો. વાહનનો વિમો ન હતો જેને લઈ પીડિત પરિવારે વળતરનો દાવો વાહનના માલિકને કર્યો. વાહનના માલિક પર વળતરનો દાવો કરવામાં આવ્યો. સ્થાનિક ટ્રિબ્યૂનલે આ મહિલાના પરિવારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો સાથે સાથે માલિકને ૨.૫ લાખ રૂપિયા ચુકવવાનો આદેશ પણ કરવામાં આવ્યો હતો. જો કે પરિવારે ભરપાઇની રકમ ઓછી લાગી જેને લઈ પીડિત પરિવારે ઉત્તરાખંડ હાઇકોર્ટમા અપીલ કરી હતી પરંતુ હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી જે બાદ આ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.



હાઈકોર્ટે ફગાવી દીધી હતી અરજી

મીડિયા રિપોર્ટ અનુસાર હાઈકોર્ટે કહ્યું કે મહિલા ગૃહિણી હતી તેથી વળતર આપવામાં આવશે નહીં. વળતર અપેક્ષિત આયુષ્ય અને લઘુત્તમ કાલ્પનિક આવકના આધારે નક્કી કરવાનું હતું. હાઈકોર્ટે મહિલાની અંદાજિત આવકને દૈનિક વેતન મજૂર કરતા ઓછી ગણાવી હતી. આ સુનવણી માટે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને ટકોર કરી છે તેવી જાણકારી મીડિયા રિપોર્ટમાં આપવામાં આવી છે. 



સુપ્રીમ કોર્ટે વળતરની રકમ વધારવા આદેશ કર્યો!

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું કે ગૃહિણીની અંદાજિત આવકને રોજીરોટી મજૂર કરતા ઓછી કેવી રીતે ગણી શકાય? સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટની ટિપ્પણીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે અમે આ પ્રકારના દૃષ્ટિકોણને સ્વીકારતા નથી. સુપ્રીમ કોર્ટે હવે વળતર 2.5 લાખ રૂપિયાથી વધારીને 6 લાખ રૂપિયા કરી દીધું છે. કોર્ટે વાહનના માલિકને 6 અઠવાડિયામાં પેમેન્ટ કરવાનો આદેશ આપ્યો છે.


ગૃહિણીની મહત્તા આપણે નથી સમજતા!

મહત્વનું છે કે આપણામાંથી અનેક એવા હશે જે ગૃહિણીની મહત્તાને નહીં સમજતા હોઈએ. અનેક લોકોને લાગતું હોય છે કે આ તો તેમનું કામ છે, અને તે કરે છે... તેમને એવી respect નથી મળતી જેને તે deserve કરે છે. ગૃહિણીની મહત્તા ત્યારે સમજાય છે જ્યારે એક બે દિવસ માટે ગૃહિણી બહાર ગઈ હોય છે.! આખું ઘર અસ્તવ્યસ્ત થઈ જતું હોય છે ગૃહિણી વગર.!




૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.