Supreme Courtના ચુકાદાએ વધાર્યું ગૃહિણીઓનું સન્માન! આ કેસમાં ટિપ્પણી કરતા કહ્યું કે ગૃહિણીનું મૂલ્ય નોકરી કરનારા કરતા ઓછું ના ગણી શકાય...


  • Published By :
  • Published Date : 2024-02-19 15:51:31

સામાન્ય રીતે આપણે અનેક વખત જોયું હશે કે ગૃહિણીને માન સન્માન એટલું નથી આપવામાં આવતું જેટલું માન સન્માન કમાનાર વ્યક્તિને આપવામાં આવે છે...!  અનેક લોકોને સાંભળ્યા હશે જે કહેતા હશે કે સ્ત્રીઓનું કામ ઘરને સંભાળવાનું છે વગેરે વગેરે.... ત્યારે સુપ્રીમ કોર્ટે ગૃહિણીનું સન્માન વધે તેવી ટિપ્પણી કરી છે. એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરિવારની સંભાળ લેનાર ગૃહિણીનું યોગદાન અમુલ્ય છે. આ સુનાવણી અકસ્માત દુર્ઘટનાને લઈ કરવામાં આવી હતી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ કે.વી વિશ્વનાથ દ્વારા ગૃહિણીઓ માટે આવી મોટી વાત કહેવામાં આવી છે. 

The Supreme Court said - this is a serious issue, 'Due to free  distribution, the condition of Sri Lanka has deteriorated, India is also on  the same path'. | ચૂંટણીમાં ફ્રી ઓફર્સથી


શું હતો સમગ્ર મામલો? 

જે દુર્ઘટનાને લઈ સુપ્રીમ કોર્ટમાં સુનવણી ચાલી હતી તેની વાત કરીએ તો 2006માં ઉત્તરાખંડમાં એક મહિલાનું મોત રોડ અકસ્માતમાં થયું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર જે ગાડીને મહિલા ચલાવી રહી હતી તેનો વિમો ન હતો. વાહનનો વિમો ન હતો જેને લઈ પીડિત પરિવારે વળતરનો દાવો વાહનના માલિકને કર્યો. વાહનના માલિક પર વળતરનો દાવો કરવામાં આવ્યો. સ્થાનિક ટ્રિબ્યૂનલે આ મહિલાના પરિવારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો સાથે સાથે માલિકને ૨.૫ લાખ રૂપિયા ચુકવવાનો આદેશ પણ કરવામાં આવ્યો હતો. જો કે પરિવારે ભરપાઇની રકમ ઓછી લાગી જેને લઈ પીડિત પરિવારે ઉત્તરાખંડ હાઇકોર્ટમા અપીલ કરી હતી પરંતુ હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી જે બાદ આ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.



હાઈકોર્ટે ફગાવી દીધી હતી અરજી

મીડિયા રિપોર્ટ અનુસાર હાઈકોર્ટે કહ્યું કે મહિલા ગૃહિણી હતી તેથી વળતર આપવામાં આવશે નહીં. વળતર અપેક્ષિત આયુષ્ય અને લઘુત્તમ કાલ્પનિક આવકના આધારે નક્કી કરવાનું હતું. હાઈકોર્ટે મહિલાની અંદાજિત આવકને દૈનિક વેતન મજૂર કરતા ઓછી ગણાવી હતી. આ સુનવણી માટે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને ટકોર કરી છે તેવી જાણકારી મીડિયા રિપોર્ટમાં આપવામાં આવી છે. 



સુપ્રીમ કોર્ટે વળતરની રકમ વધારવા આદેશ કર્યો!

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું કે ગૃહિણીની અંદાજિત આવકને રોજીરોટી મજૂર કરતા ઓછી કેવી રીતે ગણી શકાય? સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટની ટિપ્પણીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે અમે આ પ્રકારના દૃષ્ટિકોણને સ્વીકારતા નથી. સુપ્રીમ કોર્ટે હવે વળતર 2.5 લાખ રૂપિયાથી વધારીને 6 લાખ રૂપિયા કરી દીધું છે. કોર્ટે વાહનના માલિકને 6 અઠવાડિયામાં પેમેન્ટ કરવાનો આદેશ આપ્યો છે.


ગૃહિણીની મહત્તા આપણે નથી સમજતા!

મહત્વનું છે કે આપણામાંથી અનેક એવા હશે જે ગૃહિણીની મહત્તાને નહીં સમજતા હોઈએ. અનેક લોકોને લાગતું હોય છે કે આ તો તેમનું કામ છે, અને તે કરે છે... તેમને એવી respect નથી મળતી જેને તે deserve કરે છે. ગૃહિણીની મહત્તા ત્યારે સમજાય છે જ્યારે એક બે દિવસ માટે ગૃહિણી બહાર ગઈ હોય છે.! આખું ઘર અસ્તવ્યસ્ત થઈ જતું હોય છે ગૃહિણી વગર.!




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.