કલમ 370ને લઈ Modi સરકારે લીધેલા નિર્ણયને Supreme Courtએ માન્ય રાખ્યો, કહ્યું કલમ 370 હટાવવાનો નિર્ણય યથાવત રહેશે..


  • Published By :
  • Published Date : 2023-12-11 13:55:58

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને નાબુદ કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કલમ 370 હટાવવાના નિર્ણયને પડકારતી અનેક અરજીઓદેશની સર્વોચ્ચ અદાલતમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીને લઈ સુપ્રીમ કોર્ટે આજે ચૂકાદો આપ્યો છે. કલમ 370 કાયમી હોવી જોઈએ કે નહીં, તેને હટાવવાની પ્રક્રિયા યોગ્ય છે કે ખોટી અને રાજ્યને બે ભાગમાં વહેંચવું યોગ્ય છે કે ખોટું, આ મુખ્ય પ્રશ્નો છે જેના પર ચુકાદો કોર્ટે આપ્યો છે. આ સુનવણી દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી બેન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે. 11 વાગે સુનાવણી શરૂ કરવામાં આવી છે. આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા એવી ટિપ્પણી કરવામાં આવી છે કે કલમ 370 હટાવવાનો કેન્દ્રનો નિર્ણય યોગ્ય છે. સીજેઆઈએ કહ્યું કે સરકારના દરેક નિર્ણયને પકડારી ન શકાય. કલમ 370ને હટાવવાનો નિર્ણય યથાવત રહેશે. 

 

2024માં જમ્મુ-કાશ્મીરમાં યોજાશે ચૂંટણી

2019માં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ કરી દીધી હતી. આ નિર્ણયને પડકારતી અનેક અરજી સુપ્રીમ કોર્ટમાં કરાઈ હતી. ત્યારે આ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બરમાં 16 દિવસો સુધી મેરેથોન બેઠકો યોજાઈ હતી. તમામ દલીલોને સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ અંગેના નિર્ણયને સુરક્ષિત રાખી દીધો હતો અને આજે આ અંગેનો નિર્ણય સંભળાવ્યો છે. આ કેસની સુનાવણી સીજેઆઈની અધ્યક્ષતામાં રહેલી બેન્ચે કરી રહી છે. સીજેઆઈ સિવાય આ બેન્ચમાં જસ્ટિસ કિશન કૌલ, સંજીવ ખન્ના, બીઆર ગવઈ અને સૂર્યકાંત પણ સામેલ હતા. જમ્મુ-કાશ્મીરમાં થનારી ચૂંટણીને લઈને પણ સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે. સપ્ટેમ્બર 2024 સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજાઈ શકે છે.


કલમ 370ને લઈ પીએમ મોદીએ કર્યો ટ્વિટ

આ નિર્ણય બાદ પીએમ મોદીએ આ અંગે ટ્વિટ કર્યું હતું. સોશિયલ મીડિયા પર ટ્વિટ કરતા પીએમ મોદીએ લખ્યું કે આર્ટીકલ 370ની નાબૂદી પર આજનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઐતિહાસિક છે અને 5 ઓગસ્ટ 2019ના રોજ ભારતની સંસદ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને સંવૈધાનિક રૂપે સ્થાયી રાખે છે. આ જમ્મુ કાશ્મીર અને લદાખમાં આપણી બહેનો અને ભાઈઓ માટે આશા, પ્રગતિ અને એકતાની શાનદાર જાહેરાત છે. કોર્ટે પોતાના ઊંડા જ્ઞાનથી એકતાના મૂળ સારને મજબૂત કરો છે, જેને આપણે ભારતીય હોવાને નાતે બાકી બધાથી ઉપર પ્રિય માણીએ છીએ.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.