કલમ 370ને લઈ Modi સરકારે લીધેલા નિર્ણયને Supreme Courtએ માન્ય રાખ્યો, કહ્યું કલમ 370 હટાવવાનો નિર્ણય યથાવત રહેશે..


  • Published By :
  • Published Date : 2023-12-11 13:55:58

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને નાબુદ કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કલમ 370 હટાવવાના નિર્ણયને પડકારતી અનેક અરજીઓદેશની સર્વોચ્ચ અદાલતમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીને લઈ સુપ્રીમ કોર્ટે આજે ચૂકાદો આપ્યો છે. કલમ 370 કાયમી હોવી જોઈએ કે નહીં, તેને હટાવવાની પ્રક્રિયા યોગ્ય છે કે ખોટી અને રાજ્યને બે ભાગમાં વહેંચવું યોગ્ય છે કે ખોટું, આ મુખ્ય પ્રશ્નો છે જેના પર ચુકાદો કોર્ટે આપ્યો છે. આ સુનવણી દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી બેન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે. 11 વાગે સુનાવણી શરૂ કરવામાં આવી છે. આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા એવી ટિપ્પણી કરવામાં આવી છે કે કલમ 370 હટાવવાનો કેન્દ્રનો નિર્ણય યોગ્ય છે. સીજેઆઈએ કહ્યું કે સરકારના દરેક નિર્ણયને પકડારી ન શકાય. કલમ 370ને હટાવવાનો નિર્ણય યથાવત રહેશે. 

 

2024માં જમ્મુ-કાશ્મીરમાં યોજાશે ચૂંટણી

2019માં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ કરી દીધી હતી. આ નિર્ણયને પડકારતી અનેક અરજી સુપ્રીમ કોર્ટમાં કરાઈ હતી. ત્યારે આ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બરમાં 16 દિવસો સુધી મેરેથોન બેઠકો યોજાઈ હતી. તમામ દલીલોને સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ અંગેના નિર્ણયને સુરક્ષિત રાખી દીધો હતો અને આજે આ અંગેનો નિર્ણય સંભળાવ્યો છે. આ કેસની સુનાવણી સીજેઆઈની અધ્યક્ષતામાં રહેલી બેન્ચે કરી રહી છે. સીજેઆઈ સિવાય આ બેન્ચમાં જસ્ટિસ કિશન કૌલ, સંજીવ ખન્ના, બીઆર ગવઈ અને સૂર્યકાંત પણ સામેલ હતા. જમ્મુ-કાશ્મીરમાં થનારી ચૂંટણીને લઈને પણ સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે. સપ્ટેમ્બર 2024 સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજાઈ શકે છે.


કલમ 370ને લઈ પીએમ મોદીએ કર્યો ટ્વિટ

આ નિર્ણય બાદ પીએમ મોદીએ આ અંગે ટ્વિટ કર્યું હતું. સોશિયલ મીડિયા પર ટ્વિટ કરતા પીએમ મોદીએ લખ્યું કે આર્ટીકલ 370ની નાબૂદી પર આજનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઐતિહાસિક છે અને 5 ઓગસ્ટ 2019ના રોજ ભારતની સંસદ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને સંવૈધાનિક રૂપે સ્થાયી રાખે છે. આ જમ્મુ કાશ્મીર અને લદાખમાં આપણી બહેનો અને ભાઈઓ માટે આશા, પ્રગતિ અને એકતાની શાનદાર જાહેરાત છે. કોર્ટે પોતાના ઊંડા જ્ઞાનથી એકતાના મૂળ સારને મજબૂત કરો છે, જેને આપણે ભારતીય હોવાને નાતે બાકી બધાથી ઉપર પ્રિય માણીએ છીએ.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.