કલમ 370ને લઈ Modi સરકારે લીધેલા નિર્ણયને Supreme Courtએ માન્ય રાખ્યો, કહ્યું કલમ 370 હટાવવાનો નિર્ણય યથાવત રહેશે..


  • Published By :
  • Published Date : 2023-12-11 13:55:58

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને નાબુદ કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કલમ 370 હટાવવાના નિર્ણયને પડકારતી અનેક અરજીઓદેશની સર્વોચ્ચ અદાલતમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીને લઈ સુપ્રીમ કોર્ટે આજે ચૂકાદો આપ્યો છે. કલમ 370 કાયમી હોવી જોઈએ કે નહીં, તેને હટાવવાની પ્રક્રિયા યોગ્ય છે કે ખોટી અને રાજ્યને બે ભાગમાં વહેંચવું યોગ્ય છે કે ખોટું, આ મુખ્ય પ્રશ્નો છે જેના પર ચુકાદો કોર્ટે આપ્યો છે. આ સુનવણી દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી બેન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે. 11 વાગે સુનાવણી શરૂ કરવામાં આવી છે. આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા એવી ટિપ્પણી કરવામાં આવી છે કે કલમ 370 હટાવવાનો કેન્દ્રનો નિર્ણય યોગ્ય છે. સીજેઆઈએ કહ્યું કે સરકારના દરેક નિર્ણયને પકડારી ન શકાય. કલમ 370ને હટાવવાનો નિર્ણય યથાવત રહેશે. 

 

2024માં જમ્મુ-કાશ્મીરમાં યોજાશે ચૂંટણી

2019માં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ કરી દીધી હતી. આ નિર્ણયને પડકારતી અનેક અરજી સુપ્રીમ કોર્ટમાં કરાઈ હતી. ત્યારે આ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બરમાં 16 દિવસો સુધી મેરેથોન બેઠકો યોજાઈ હતી. તમામ દલીલોને સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ અંગેના નિર્ણયને સુરક્ષિત રાખી દીધો હતો અને આજે આ અંગેનો નિર્ણય સંભળાવ્યો છે. આ કેસની સુનાવણી સીજેઆઈની અધ્યક્ષતામાં રહેલી બેન્ચે કરી રહી છે. સીજેઆઈ સિવાય આ બેન્ચમાં જસ્ટિસ કિશન કૌલ, સંજીવ ખન્ના, બીઆર ગવઈ અને સૂર્યકાંત પણ સામેલ હતા. જમ્મુ-કાશ્મીરમાં થનારી ચૂંટણીને લઈને પણ સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે. સપ્ટેમ્બર 2024 સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજાઈ શકે છે.


કલમ 370ને લઈ પીએમ મોદીએ કર્યો ટ્વિટ

આ નિર્ણય બાદ પીએમ મોદીએ આ અંગે ટ્વિટ કર્યું હતું. સોશિયલ મીડિયા પર ટ્વિટ કરતા પીએમ મોદીએ લખ્યું કે આર્ટીકલ 370ની નાબૂદી પર આજનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઐતિહાસિક છે અને 5 ઓગસ્ટ 2019ના રોજ ભારતની સંસદ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને સંવૈધાનિક રૂપે સ્થાયી રાખે છે. આ જમ્મુ કાશ્મીર અને લદાખમાં આપણી બહેનો અને ભાઈઓ માટે આશા, પ્રગતિ અને એકતાની શાનદાર જાહેરાત છે. કોર્ટે પોતાના ઊંડા જ્ઞાનથી એકતાના મૂળ સારને મજબૂત કરો છે, જેને આપણે ભારતીય હોવાને નાતે બાકી બધાથી ઉપર પ્રિય માણીએ છીએ.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે